Friday, October 18News That Matters

Month: October 2023

વાપીમાં પ્રમુખ ગ્રુપ દ્વારા 2 કલાકનું સ્વચ્છતા શ્રમદાન, 5 વર્ષના આરવે પણ રસ્તા પર ઝાડુથી સફાઈ કરી આપ્યો સ્વચ્છતાનો સંદેશ

વાપીમાં પ્રમુખ ગ્રુપ દ્વારા 2 કલાકનું સ્વચ્છતા શ્રમદાન, 5 વર્ષના આરવે પણ રસ્તા પર ઝાડુથી સફાઈ કરી આપ્યો સ્વચ્છતાનો સંદેશ

Gujarat, National
સ્વચ્છતા હી સેવા ના સૂત્રને સાર્થક કરવા વાપીમાં પ્રમુખ ગ્રુપના ડાયરેકટર, કર્મચારીઓએ 2જી ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે 2 કલાક સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું હતું. 150થી વધુ કર્મચારીઓ સાથે હાથ ધરાયેલ આ સ્વચ્છતા અભિયાનમાં 5 વર્ષના આરવે પણ હાથમાં ઝાડુ પકડી રસ્તા પર સફાઈ કરી સ્વચ્છતાનો અનોખો સંદેશ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક તારીખે એક કલાક સ્વચ્છતા માટે આપી શ્રમ દાન કરો એવા આહવાનમાંથી પ્રેરણા લઈને વાપી-ચલા સ્થિત પ્રમુખ ગ્રૂપ દ્વારા બીજી ઓક્ટોબરના ગાંધી જયંતીના દિવસે બે કલાક સફાઈ કરી શ્રમદાન કરવાનો સંકલ્પ લીધો હતો. જે સંકલ્પ ને સાર્થક કરવા બીજી ઓક્ટોબરના પ્રમુખ ગ્રુપના તમામ ડાયરેક્ટરોએ ઓફીસ કર્મચારીઓ અને પ્રમુખ ગ્રુપની દરેક સાઈટ પર કામ કરતા કામદારો સાથે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. આ સફાઈ અભિયાનમાં 5 વર્ષના આરવ હિરપરા નામના બાળકે હાથમાં ઝાડુ લઈ રસ્તા પર સફાઈ કરી પ્રમુખ ગ્રુપના બ્રાન...
વાપીમાં ગાંધી જયંતિ નિમિત્તે ભાજપ-કોંગ્રેસના આગેવાનો એ બાપુને કર્યા યાદ, બાપુની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી નમન કર્યા

વાપીમાં ગાંધી જયંતિ નિમિત્તે ભાજપ-કોંગ્રેસના આગેવાનો એ બાપુને કર્યા યાદ, બાપુની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી નમન કર્યા

Gujarat
2જી ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મોહનચંદ કરમચંદ ગાંધીનો 154મો જન્મ દિવસ હતો. મહાત્મા અને રાષ્ટ્રપિતાનું બિરુદ મેળવનાર ગાંધીજીને યાદ કરી આ દિવસે ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ વાપીમાં આવેલ કોપરલી ચાર રસ્તા ખાતે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી, ફુલહાર ચઢાવી નમન કરવા સાથે, દેશની આઝાદીમાં આપેલા યોગદાનને યાદ કર્યું હતું. વાપીમાં કોપરલી ચાર રસ્તા, ગાંધી સર્કલ ખાતે મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપી નગરપાલિકા અને ભાજપ દ્વારા આયોજિત ગાંધી જયંતીના કાર્યક્રમમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ, VIA પ્રમુખ સતીશ પટેલ, કારોબારી ચેરમેન મિતેશ દેસાઈ સહિત ભાજપના કાર્યકરો, વાપી નગરપાલિકાના સભ્યોએ ગાંધીજીની પ્રતિમાને સુતર ની આંટી, ફુલહાર ચઢાવી નમન કર્યા હતાં. તેમજ ગાંધીજી ખાદી ના હિમાયતી હોય નાણાપ્રધાને ખાદીની ખરીદી કરી ખાદી નો પ્રચાર પ્રસાર...
સ્વચ્છતા હી સેવાઃ વલસાડ જિલ્લાની 384 ગ્રામ પંચાયતોમાં 51725 લોકો મહા શ્રમદાન અભિયાનમાં જોડાયા

સ્વચ્છતા હી સેવાઃ વલસાડ જિલ્લાની 384 ગ્રામ પંચાયતોમાં 51725 લોકો મહા શ્રમદાન અભિયાનમાં જોડાયા

Gujarat
વલસાડ જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા’’ અભિયાન અંતર્ગત આજે તા. 1 ઓક્ટોબરના રોજ સવારે એક કલાક માટે જિલ્લાના 384 ગ્રામ પંચાયતોમાં મહાશ્રમદાન કાર્યક્રમમાં યોજાયો. જે અંતર્ગત કુલ 223 પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી. જેમાં 51725 લોકો ઉત્સાહભેર જોડાતા વલસાડ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન જન આંદોલન બની ગયું હોય એવુ પ્રતિત થયું હતું. એક દિવસ દરમિયાન ઉપરોક્ત ગ્રામ પંચાયતોમાંથી 783 કિલો કચરાનો નિકાલ કરાયો હતો. વલસાડ તાલુકાના નનકવાડા ગામમાં ધારાસભ્ય ભરતભાઈ પટેલ સફાઈ અભિયાનમાં જોડાયા હતા અને લોકોને પણ પોતાના આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરી હતી. વલસાડ તાલુકાની કુલ ૯૫ ગ્રામ પંચાયતોમાં એક કલાકના મહા શ્રમદાનની પ્રવૃત્તિમાં રંગોળી, શાળા, આંગણવાડી અને સરકારી દવાખાના તેમજ જાહેર સ્થળો ઉપર સફાઈ અભિયાનની સાથે સ્વચ્છતાના શપશ અને હેન્ડ વોશ સહિતની કુલ 39 પ્રવૃતિઓ કરવામાં આવી હતી. જેમાં 8857 લોકો મહા શ્રમદાન...
વાપીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ‘એક તારીખ, એક કલાક’ સૂત્ર સાથે મહા શ્રમદાન પ્રવૃત્તિઓ હાથ ધરાઈ

વાપીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ‘એક તારીખ, એક કલાક’ સૂત્ર સાથે મહા શ્રમદાન પ્રવૃત્તિઓ હાથ ધરાઈ

Gujarat
વલસાડ તા. 1 ઓક્ટોબર ‘‘સ્વચ્છતા હી સેવા’’ માસની ઉજવણી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તા.1લી ઓક્ટોબર, 2023ના દિવસે દેશનાં તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન પ્રતિનિધિઓની આગેવાની હેઠળ 'એક તારીખ, એક કલાક' સૂત્ર સાથે મહા શ્રમદાન પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને અનુલક્ષીને વલસાડ જિલ્લાના વાપી ખાતે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં મહા સફાઈ અભિયાનની કામગીરી થઈ હતી. વાપી ખાતે જિલ્લા કક્ષાના મહા શ્રમદાન અભિયાનમાં ઉપસ્થિત રાજ્યના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, ભારત દેશ સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. ગાંધીજીના સપનાનું સ્વચ્છ ભારત બને તે માટે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દરેક દેશવાસીઓને એક ધ્યેય સાથે સફાઈ અભિયાન તરફ વાળ્યા છે. આ કામ લોક નાયક જ કરી શકે છે. કોરોનાના કપરા કાળમાં તેમણે સમગ્ર દેશમાં સ્વયંભૂ લોકડ...
એક કલાકનું શ્રમદાન:- સ્વચ્છતા માટે કોઈએ શેરી-સોસાયટીમાં સફાઈ કરી તો, કોઈ સંસ્થાએ સ્વચ્છતા માટે કાપડની થેલીઓનું વિતરણ કર્યું

એક કલાકનું શ્રમદાન:- સ્વચ્છતા માટે કોઈએ શેરી-સોસાયટીમાં સફાઈ કરી તો, કોઈ સંસ્થાએ સ્વચ્છતા માટે કાપડની થેલીઓનું વિતરણ કર્યું

Gujarat, National
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાન બાદ 1 ઓક્ટોબર રવિવારના સ્વચ્છતાને પ્રાધાન્ય આપી એક કલાકનું શ્રમદાન કરવા આહવાન કર્યું હતું. વાપી શહેર માં પણ "સ્વચ્છતા હી સેવા " કાર્યક્રમ હેઠળ વાપી નગરપાલિકાએ શહેરના તમામ વોર્ડમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. જેમાં રાજકીય આગેવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓના સભ્યો, સફાઈ કર્મીઓએ એક કલાક શ્રમદાન કર્યું હતું. ત્યારે, ચલા સ્થિત સુંદરમ સોસાયટીના સભ્યોએ ફ્રૂટ-શાકભાજી વેંચતા ફેરિયાઓને કાપડની થેલીઓ આપી પ્લસટીક ની થેળીનો ઉપયોગ ટાળવા અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1 ઓક્ટોબરના સ્વચ્છતા એ સેવા અભિયાન હેઠળ દરેક નાગરિકને એક કલાક સ્વચ્છતાના અભિયાનમાં શ્રમદાન કરવાનું આહવાન કર્યું હતું. જે અનુસંધાને વાપીમાં નગરપાલિકા દ્વારા આયોજિત શ્રમદાન અભિયાનમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, વાપી નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સહિત દરેક સમિતિના સભ્યો, નગરસેવકો, કાર્યકરો, ...