Friday, October 18News That Matters

Month: April 2022

વલસાડ જિલ્લાના પારડી ખાતે ભાજપનો સક્રિય કાર્યકર્તાઓને લાઇવ સંબોધન અને કાર્ડ વિતરણ કાર્યક્રમ, ભગવા ટોપીમાં સજ્જ જોવા મળ્યા કાર્યકર્તાઓ!

વલસાડ જિલ્લાના પારડી ખાતે ભાજપનો સક્રિય કાર્યકર્તાઓને લાઇવ સંબોધન અને કાર્ડ વિતરણ કાર્યક્રમ, ભગવા ટોપીમાં સજ્જ જોવા મળ્યા કાર્યકર્તાઓ!

Gujarat, National
વલસાડ જીલ્લા ભારતીય જનતા પાર્ટી ગુજરાત સરકારના મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને તેમજ વલસાડ જીલ્લા ભાજપ પ્રભારી શિતલબેન સોનીની ઉપસ્થિતિમાં તથા જીલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારાના માર્ગદર્શન હેઠળ પારડીના ધીરૂભાઇ નાયક સત્સંગ હોલ ખાતે વલસાડ જીલ્લાના કાર્યકર્તાઓને લાઇવ સંબોધન અને કાર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ કાર્યકરોને ભગવા રંગની ટોપીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.  ભગવા ટોપીમાં હોલ કેસરિયા રંગમાં જોવા મળ્યો હતો. જો કે હોલમાં મહાનુભાવોના સંબોધન વખતે હોંશે હોંશે ટોપી પહેરી બેસેલા કાર્યકરોમાં કેટલાકે ગણતરીની હાજરી આપી બહાર નીકળી ટોપી ખિસ્સામાં મૂકી ચાલતી પકડી હતી. કેટલાકે શરમના માર્યા પણ કાર્યક્રમ સ્થળની બહાર નીકળતા જ ટોપી ખિસ્સામાં મૂકી દીધી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત વક્તાઓએ ભાજપની ઐતિહાસિક સાફલ્યા ગાથા વર્ણવી ન...
વિકસતા વાપીમાં ટ્રાફિકનું ભારણ હળવું કરવા બલિઠા ફાટક, NH-48નો નિર્માણાધિન બ્રિજ ફોર લેન બનાવો, બલિઠા, સલવાવના ગ્રામજનોએ કનુભાઈના કાને વાત કરી

વિકસતા વાપીમાં ટ્રાફિકનું ભારણ હળવું કરવા બલિઠા ફાટક, NH-48નો નિર્માણાધિન બ્રિજ ફોર લેન બનાવો, બલિઠા, સલવાવના ગ્રામજનોએ કનુભાઈના કાને વાત કરી

Gujarat, National
સતત વિકસતા વાપી શહેર અને નજીકના બલિઠા, સલવાવ, મોરાઈ, મોહનગામ, વલવાડા ઉદવાડા જેવા ગામોના ટ્રાફિકને ધ્યાને રાખી કેટલાક વર્ષો પહેલા કેન્દ્ર સરકારે રેલવે મંત્રાલય સાથે સંકલન સાધી ઇસ્ટ-વેસ્ટને જોડવા રેલવે ઓવર બ્રિજ (ROB) અને NH-48 પર ઓવરબ્રિજ, અન્ડરબ્રિજ મંજુર કર્યા છે. જો કે આ મહત્વના પ્રોજેકટમાં પહેલા કોંગ્રેસના નેતાઓ નડતર રૂપ હતા જે બાદ ભાજપના જ નેતાઓ આડખીલી રુપ બનતા બ્રિજ કામગીરી ઘોંચ માં પડી હતી. હવે કામગીરી શરૂ થઈ છે. ત્યારે ભવિષ્યના ટ્રાફિક ને ધ્યાને રાખી બલિઠા ROB ને ફોરલેન બનાવવા માટે હાલમાં જ બલિઠા-સલવાવમાં વિકાસના કામોનું ખાતમુહરત-લોકાર્પણ કરવા આવેલા નાણાપ્રધાન કનું દેસાઈ સમક્ષ ગામના સરપંચો, સભ્યો, આગેવાનોએ રજુઆત કરી હતી.  એક સમયે બ્રિજની કામગીરીમાં આડખીલીરૂપ બનેલા આ મહાનુભાવો ને હવે રહી રહીને બ્રહ્મજ્ઞાન મળ્યું છે. એટલે ભાજપના નેતાઓ પાસેથી દબાણ કરાવી ફોરલેન બ્...
વાપી ટાઉન પોલીસમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીના પતિએ કાર પાર્કિંગ જેવી નજીવી બાબતે વકીલ સાથે મારામારી કરી પોલીસે બન્નેની ફરિયાદ લઈ કાર્યવાહી કરી

વાપી ટાઉન પોલીસમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીના પતિએ કાર પાર્કિંગ જેવી નજીવી બાબતે વકીલ સાથે મારામારી કરી પોલીસે બન્નેની ફરિયાદ લઈ કાર્યવાહી કરી

Gujarat, National
વાપી ટાઉન પોલીસ મથકમાં મહિલા કર્મચારી તરીકે ફરજ બજાવતા મહિલાના પતિએ કાર પાર્કિંગ કરવાની નજીવી બાબતે એક વકીલ સાથે મારામારી કરતા ચકચાર મચી ગઇ છે. આ ઘટનામાં બંને પક્ષે એકબીજા સામે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વકીલ અને મહિલા કર્મચારીના પતિની કલમ 151 હેઠળ અટક કરતા વાપી વકીલ મંડળે ટાઉન પોલીસ મથકે જઈ આક્રોશ ઠાલવ્યો હતો. જો કે આ ઘટનામાં આખરે કોર્ટ દ્વારા એક પક્ષના આરોપીઓને જ્યૂડીશયલ કસ્ટડી અને વકીલને જામીન મળ્યા હતાં. વાપી ટાઉન વિસ્તારમાં પોલીસ મથક પાછળ આઈસ્ક્રીમની દુકાન ધરાવતા મોહનસિંગ રાજપૂતનો વકીલાતની પ્રેક્ટિસ કરતો પુત્ર ભુપેન્દ્ર સિંગ રાજપૂત દુકાન પર પોતાના મિત્ર ભરત ગુપ્તા સાથે બેઠો હતો. ત્યારે કાર લઈને આવેલા આકાશ પરમાર અને તેની સાથેના 2 વ્યક્તિઓએ ગાળાગાળી કરી ભુપેન્દ્ર અને ભરત સાથે મારામારી કરી હતી. જેમાં બંને પક્ષે એકબીજાને માર માર્યો હતો. જે બાદ બંનેએ વાપી ટાઉન પોલી...
વાપીમાં જૈન સમાજની યુવાપેઢી જૈનીઝમ અંગે જાણે તેવા ઉદ્દેશ્યથી The Jain Files અંતર્ગત પ્રવચન યોજાયું

વાપીમાં જૈન સમાજની યુવાપેઢી જૈનીઝમ અંગે જાણે તેવા ઉદ્દેશ્યથી The Jain Files અંતર્ગત પ્રવચન યોજાયું

Gujarat, National
વાપીમાં ગુંજન વિસ્તારમાં આવેલ શ્રી આદિનાથ જૈન સંઘ GIDC વાપી ખાતે સમાજની યુવાપેઢી જૈનીઝમ અંગે જાણે તેવા ઉદ્દેશ્યથી The Jain Files અંતર્ગત પ્રવચન યોજાયું હતું. જેમાં 15 થી 45 વર્ષની યુવા પેઢીને રાજરક્ષિતવીજયજી તથા યુવા પ્રવચનકાર મુનિ નયરક્ષિતવિજયજીએ જૈનીઝમ અંગે મહત્વનું પ્રવચન આપ્યું હતું. શ્રી આદિનાથ જૈન સંઘ GIDC વાપી ખાતે પ્રથમ વખત Life Transforming Session, The Jain Files અંતર્ગત ચંદ્રશેખર વિજયજીના શિષ્ય રાજરક્ષિતવીજયજી તથા યુવા પ્રવચનકાર મુનિ નયરક્ષિતવિજયજીએ જૈનીઝમ અંગે મહત્વનું પ્રવચન આપ્યું હતું. આ પ્રવચન સેમિનાર યોજવા પાછળના ઉદ્દેશ્ય અંગે શ્રી આદિનાથ જૈન સંઘના પ્રમુખ કિરીટ દોષીએ જણાવ્યું હતું કે જૈન સમાજની યુવા પેઢી જૈન ધર્મ અંગે જાણે, જૈનીઝમ શુ છે? તે કેટલો જૂનો છે. તેનો મૂળ પાયો શુ છે. તેમાં સાયન્સનું તત્વ કેટલું છે. વિજ્ઞાન સાથેના આ સામ્ય ને યુવાનો જાણી શકે તેવા હે...
ડુંગરા પોલીસ સ્ટેશન હેઠળ આવતા લવાછા માં જિલ્લા પોલીસવડાના હસ્તે લવાછા પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરાયું

ડુંગરા પોલીસ સ્ટેશન હેઠળ આવતા લવાછા માં જિલ્લા પોલીસવડાના હસ્તે લવાછા પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરાયું

Gujarat, National
વલસાડ જિલ્લામાં કાયદો વ્યવસ્થાનું સુચારુ પાલન થાય, ગામલોકોને પોલીસની ઝડપી અને સમયસરની મદદ મળી રહે તેવા શુભ આશયથી લવાછા ખાતે પોલીસ ચોકી ઉભી કરી વલસાડ જિલ્લા પોલીસવડાએ શનિવારે ઉદ્ઘાટન કર્યું હતું. વલસાડ જિલ્લો સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ, મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલો જિલ્લો છે. અહીં વાપી જેવી GIDC માં મોટા પાયે પરપ્રાંતીય કામદારો વસવાટ કરે છે. જેઓ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી રૂમોની ચાલીઓમાં રહે છે. વાપી નજીક લવાછા ગામ પણ સ્થાનિક વસ્તી સાથે પરપ્રાંતીય લોકોની વસ્તી ધરાવતું ગામ છે. એ ઉપરાંત લવાછા ગામ દાદરા નગર હવેલીની સરહદથી ઘેરાયેલું ગામ છે. આ ગામની અને એ ઉપરાંત નજીકના પીપરિયા, ચણોદ જેવા ગામલોકોને કાયદો વ્યવસ્થા માટે બનતી ત્વરાયે પોલીસ ની મદદ મળી રહે તેવા હેતુથી લવાછા ખાતે વલસાડ જિલ્લા પોલીસ વડા ના હસ્તે નવી પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ...
વાપીના મુરલી નાયરે કર્યું અવયવોનું દાન, 5 લોકોને મળશે જીવનદાન!

વાપીના મુરલી નાયરે કર્યું અવયવોનું દાન, 5 લોકોને મળશે જીવનદાન!

Gujarat, National
વાપીની હરિયા એલ જી રોટરી હોસ્પિટલ ખાતે  શનિવારે બીજું અંગદાન કરવામાં આવ્યું હતું. વાપીના 55 વર્ષીય મુરલી નાયર નામના દર્દી બ્રેઇન ડેડ થવાથી તેના પરિવાર દ્વારા જરૂરિયાતમંદ દર્દીને આંખો, લીવર તથા કીડનીનું દાન કરી પાંચ દર્દીઓને જીવનદાન આપ્યું છે. વાપીની હરિયા એલ જી હોસ્પિટલમાંથી અમદાવાદની જાયડ્સ હોસ્પિટલ સુધી ગ્રીન કોરોડોર તૈયાર કરી દર્દીના લીવર, કિડનીને મોકલવામાં આવ્યાં હતા. અમદાવાદમાં આ અવયવો 3 દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ કરી નવું જીવન આપવામાં આવશે.  વાપીમાં રહેતા મુરલી નાયરને બ્રેઇન સ્ટ્રોક આવતા વાપીની હરિયા એલ. જી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. 6 દિવસની સારવાર બાદ પણ તે બ્રેઇન સ્ટ્રોક માંથી બહાર આવી શક્યા નહોતા. જ્યારે તેમના અન્ય કિડની, લીવર જેવા અંગો સલામત હતાં. એટલે તબીબોએ નાયર પરિવાર સાથે અંગોના દાન અંગે વાત કરી હતી. જે નાયર પરિવારે સહર્ષ સ્વીકારી લીધી હતી. જે બાદ શનિવારે મુર...