Friday, October 18News That Matters

Month: March 2022

વાપીના મોરાઈ ગામે “વિરાંજલી” એક શામ શહીદો કે નામ કાર્યક્રમમાં જુના જનસંઘી મનુભાઈ દેસાઈના પરિવારનું સન્માન કરાયું

વાપીના મોરાઈ ગામે “વિરાંજલી” એક શામ શહીદો કે નામ કાર્યક્રમમાં જુના જનસંઘી મનુભાઈ દેસાઈના પરિવારનું સન્માન કરાયું

Gujarat, National
વાપી નજીક મોરાઈ ગામે વાપી ભાજપ યુવા મોરચા દ્વારા "વિરાંજલી" એક શામ શહીદો ને નામ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના નાણાપ્રધાન કનું દેસાઈ, પાણી પુરવઠા પ્રધાન જીતુ ચૌધરી સહિત જિલ્લા ભાજપના આગેેેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દેશમાં આઝાદીના 75માં અમૃતવર્ષ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. જે અંતર્ગત 23મી માર્ચથી શહિદ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના યુવાનોમાં દેશદાઝની ભાવના કેળવાય, આઝાદી માં યોગદાન આપનાર વીર સપૂતોને યાદ કરી શકાય તે ઉદેશય આ કાર્યક્રમનો હતો. વાપી નજીક મોરાઈ ગામે વાપી તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા શહિદ સપ્તાહની ઉજવણી અંતર્ગત "વિરાંજલી" એક શામ શહીદો ને નામ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.  દેશમાં આઝાદીના 75માં અમૃતવર્ષ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. જે અંતર્ગત 23મી માર્ચથી શહિદ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના યુવાનોમાં દેશદાઝની ભાવના કેળવ...
વાપીમાં ટ્રાન્સપોર્ટ નગર બનશે! ચૂંટણી ઢુંકળી આવતા કનુંભાઈને ફરી ટ્રાન્સપોર્ટ નગર યાદ આવ્યું? 

વાપીમાં ટ્રાન્સપોર્ટ નગર બનશે! ચૂંટણી ઢુંકળી આવતા કનુંભાઈને ફરી ટ્રાન્સપોર્ટ નગર યાદ આવ્યું? 

Gujarat, National
વાપી GIDC માં ટ્રાન્સપોર્ટ નગર માટે વર્ષોથી માંગ કરતા ટ્રાન્સપોર્ટ એસોસિએશન ને ખુશ કરવા અને ચૂંટણી નજીક આવતા નાણાપ્રધાન કનું દેસાઈએ ફરી જાહેર મંચ પરથી જાહેરાત કરી હતી કે વાપીમાં આગામી દિવસોમાં ટ્રાન્સપોર્ટ નગર બનશે. આ માટે પ્રપોઝલ સબમિટ કરી છે. અને ટૂંક સમયમાં મંજુર કરાવીશું.  વાપીમાં શનિવારે ગુંજન વિસ્તારમાં અન્ડરગ્રાઉન્ડ કેબલિંગના ખાત મુહરત કાર્યક્રમમાં ઉપસ્થિત નાણાપ્રધાન કનું દેસાઈએ પોતાના વક્તવ્ય માં જણાવ્યું હતું કે વાપીમાં વાપી ઉદ્યોગકારો અને સરકારના સંકલનમાં અનેક વિકાસના કામો થયા છે. આગામી દિવસોમાં વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનની વર્ષો જુની ટ્રાન્સપોર્ટ નગર માટે જમીન ફાળવવાની અને ટ્રાન્સપોર્ટ નગર બનાવવાની માંગ છે. જે અંગે પ્રપોઝલ સબમિટ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં આ પ્રપોઝલ મંજુર કરાવીને વાપીને ટ્રાન્સપોર્ટ નગરની ભેટ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગ...
વાપીની કોલેજનું નામ યુનિવર્સીટી લેવલે રોશન કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી સન્માન કરાયું

વાપીની કોલેજનું નામ યુનિવર્સીટી લેવલે રોશન કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી સન્માન કરાયું

Gujarat, National
વાપીમાં આવેલ KBS કોમર્સ કોલેજ એન્ડ નટરાજ સાયંસીઝ પ્રોફેશનલ કોલેજ તેમજ પ્રવીણા શાંતિલાલ શાહ PG સેન્ટર દ્વારા વાપીના VIA ઓડિટોરિયમમાં એન્યુઅલ ડે અને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ, પ્રાધ્યાપકો, ટ્રસ્ટીઓના હસ્તે કોલેજનું નામ યુનિવર્સિટી લેવલે રોશન કરનાર વિદ્યાર્થીઓ ને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આયોજિત આ કાર્યક્રમ અંગે પ્રિન્સિપાલ પૂનમ ચૌહાણ અને કોલેજના GS સહિતના વિદ્યાર્થીઓએ વિગતો આપી હતી કે, આ કાર્યક્રમ કોલેજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે આયોજિત કરવામાં આવ્યો હતો. એન્યુઅલ ડે અને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમનીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે એવા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેઓએ એકેડમી લેવલે, સ્પોર્ટ્સ લેવલે અથવા અન્ય દર...
DNH શિવસેના સાંસદ કલાબેન ડેલકરે ધરમપુર તાલુકાના સૂચિત રિવરલિંક પ્રોજેક્ટનો મુદ્દો લોકસભામાં ઉઠાવ્યો

DNH શિવસેના સાંસદ કલાબેન ડેલકરે ધરમપુર તાલુકાના સૂચિત રિવરલિંક પ્રોજેક્ટનો મુદ્દો લોકસભામાં ઉઠાવ્યો

Gujarat, National
ધરામપુરમાં આકાર લેનારા સૂચિત પાર-તાપી-નર્મદા રિવરલીન્ક પ્રોજેકટ થી હજારો આદિવાસી પરિવારોના જીવન પર અનેક પ્રકારની માઠી અસર થશે તેવી રજુઆત સાથે આ મુદ્દો દાદરા નગર હવેલીના શિવસેના સાંસદ કલાબેન ડેલકરે ઉઠાવ્યો છે. ગુજરાત સરકારના ધરમપુર તાલુકામાં સૂચિત રિવરલિંક પ્રોજેક્ટનો મુદ્દો લોકસભામાં ઉઠાવી આદિવાસી સમાજના હજારો પરિવારોને બચાવી લેવા માટે સાંસદ ડેલકરે સરકારને ભલામણ કરી છે. સાંસદ કલાબેન ડેલકરે આ સૂચિત પરિયોજના પર ભારત સરકારનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, જ્યાં ડેમનું નિર્માણ કરવાની વાતો ચાલી રહી તે મારી જન્મભૂમિ છે. અહીંના આદિવાસી સમાજના અગ્રણીઓએ મને આ બાબતની જાણકારી આપી હતી કે અહીં આ પરિયોજના સાકાર થશે તો લોકોને ભારે નુકસાન થશે. 75 જેટલાં ગામો અને અને તેમાં વસતા 35 હજાર જેટલાં પરિવારોના જીવન પર અનેક પ્રકારની માઠી અસર થશે. લોકો બેરોજગાર થશે, બાળકોના શિક્ષણ પર અસર થશે. જળ -જંગલ-...
પાકિસ્તાન જેલમાં મૃત્યુ પામેલા ગુજરાતના માછીમારના મૃતદેહને લાવી પરિવારને સોંપો, શક્તિસિંહ ગોહિલની રાજ્યસભામાં રજુઆત

પાકિસ્તાન જેલમાં મૃત્યુ પામેલા ગુજરાતના માછીમારના મૃતદેહને લાવી પરિવારને સોંપો, શક્તિસિંહ ગોહિલની રાજ્યસભામાં રજુઆત

Gujarat, National
પાકિસ્તાન જેલમાં કેદ ભારતીય માછીમારો પૈકીના એક નાનુ રામ ક્મલીયાના મૃત્યુ અંગેના પ્રશ્નને ઉઠાવતા રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે શુક્રવારે સંસદમાં જીરો અવર્સમાં માછીમારોનો મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે, પાકિસ્તાની જેલમાં ગુજરાતના 580 જેટલા માછીમારો કેદ છે.  જેમાંથી ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંસોજ ગામના 44 વર્ષીય  માછીમાર નાનુ રામ ક્મલીયા અને અન્ય પાંચ માછીમારોને પાકિસ્તાન મરીન 9 ડીસેમ્બર, 2018ના રોજ ઉઠાવીને લઈ ગઈ હતી. તેમના ઉપર કેસ ચલાવવામાં આવ્યો અને ત્રણ મહિનાની સજા કરવામાં આવી હતી. આ સજા તા. 16 જાન્યુઆરી, 2019 ના રોજ પૂરી થઈ ગઈ હોવા છતાં ભારત સરકાર નાનુ રામ ક્મલીયા અને તેમના સાથીઓને પાછા લાવી શકી નહી. તારીખ 3 ફેબ્રુઆરીના રોજ નાનુ રામ ક્મલીયાનું પાકિસ્તાનની જેલમાં મુત્યુ થઈ ગયુ છે. મૃતદેહ તેમના પરિવારને તાત્કાલિ મળી જવો જોઈએ પરંતુ દોઢ મહિના જેટલો સમય થઈ ગયો હોવા છતાં, સર...
વાપી નજીક તલવાડામાં પોલીસે જપ્ત કરી ખડકલો કરેલા વાહનોમાં આગ ભભૂકી! 20 વાહનો બળીને ખાખ! આગ લાગવાનું કારણ અકબંધ

વાપી નજીક તલવાડામાં પોલીસે જપ્ત કરી ખડકલો કરેલા વાહનોમાં આગ ભભૂકી! 20 વાહનો બળીને ખાખ! આગ લાગવાનું કારણ અકબંધ

Gujarat, National
વાપી :- વાપી પોલીસ ડિવિઝન હસ્તક આવતા પોલીસ મથકોમાં જપ્ત કરાયેલ વાહનોને ભિલાડ નજીક આવેલ તલવાડા ખાતે બનાવેલ યાર્ડમાં રાખવામાં આવ્યા છે. આ યાર્ડમાં શુક્રવારે બપોર બાદ અચાનક આગ ભભૂકી ઉઠતા 20 જેટલા વાહનો આગમાં સ્વાહા થયા છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.   વાપી નજીક ભિલાડ પોલીસ મથકથી 1કિમિ દૂર નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ તલવાડા ગામ સ્થિત પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલ પૈકી વાહનોના યાર્ડમાં બપોરે સવા 2 વાગ્યા આસપાસ અચાનક એક ફોર વ્હીલર વાહનમાં આગ ભભૂકી ઉઠી હતી. જે આગ એટલી વિકરાળ બની કે અન્ય આજુબાજુમાં પાર્ક કરેલ 20 જેટલા વાહનોને લપેટમાં લેતા તમામ વાહનો આગમાં સ્વાહા થયાં છે.     પોલીસે વિવિધ ગુન્હા સબબ જપ્ત કરેલા વાહનોના યાર્ડમાં લાગેલી આગથી આસપાસના લોકોમાં અફરાતફરી સાથે ભયનો માહોલ ઉત્પન્ન થયો હતો. આગ લાગી કે લગાડવામાં આવી તેવા તર્ક વહેતા થયા હતાં. જ્યા...
ગુજરાત સરકારના પાલિકા અધિનિયમ પરિપત્રનો ભળતો અર્થ કાઢી વાપી નગરપાલિકાના સત્તાધીશોનો અનોખો ખેલ, મિલકત ધારકો પાસેથી ઉઘરાવી રહ્યા છે કરોડોનો મિલકત વેરો

ગુજરાત સરકારના પાલિકા અધિનિયમ પરિપત્રનો ભળતો અર્થ કાઢી વાપી નગરપાલિકાના સત્તાધીશોનો અનોખો ખેલ, મિલકત ધારકો પાસેથી ઉઘરાવી રહ્યા છે કરોડોનો મિલકત વેરો

Gujarat, National
  નગરપાલિકા એ શહેર માટેની લોકોથી, લોકો વડે, લોકો માટે અને લોકો દ્વારા ચાલતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. નગરપાલિકાને ચોક્કસ હદ હોય છે અને તેમાં રહેતા લોકો તે સ્થાનિક સંચાલનની હદ નીચે આવે છે. નગરપાલિકા દ્વારા મુખ્યત્વે શહેરના વિકાસથી માંડીને લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ કરવાની કામગીરી કરવામાં આવે છે, બદલામાં નગરપાલિકા લોકો પાસેથી વિવિધ પ્રકારના વેરા ઉઘરાવે છે. નગરપાલિકા દ્વારા એરીયાબેઇઝ મિલકતની આકારણી કરીને મિલકત વેરો, પાણી વેરો, દીવાબત્તી વેરો, વ્યવસાય વેરો વગેરે કરવેરા ઉઘરાવવામાં આવે છે. જો કે આ વેરામાં સરકારના પરિપત્ર મુજબ વાત કરીએ તો વાપી નગરપાલિકા ના સત્તાધીશો મિલ્કતધારકો ને રીતસરના મૂરખ બનાવી રહ્યા છે. કેમ કે વિવિધ વેરા અને તેના નિયમોની આંટીઘૂંટી ખુદ પાલિકાના સત્તાધીશો કે કર્મચારીઓ ને પલે નથી પડતી તો, આમ નાગરિકોને ક્યાંથી પડવાની?         ...
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત દમણ જિલ્લામાં ખેલ રમતોત્સવનું આયોજન

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત દમણ જિલ્લામાં ખેલ રમતોત્સવનું આયોજન

Gujarat, National
 દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ નવીન પટેલે દમણ જિલ્લા પંચાયત અને હેડ ઓફ સ્પોર્ટ્સ દ્વારા યોજાનાર દમણ જિલ્લા રમતોત્સવની તૈયારીઓ અંગે દમણ જિલ્લાના તમામ ગામોના સરપંચો અને ગ્રામ પંચાયત સચિવ સાથે બેઠક યોજી હતી.  આ બેઠકમાં દમણ જિલ્લા એપીઇઓ અધિકારી કાંતિ પટેલ અને અક્ષય કોટલવાડે માહિતી અને નિયમોની બેઠકમાં માહિતી આપી હતી.  આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત એપ્રિલ માસમાં જિલ્લા પંચાયત દમણના ગ્રામ્ય વિસ્તારોમાં દમણ જિલ્લા રમતોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં સ્થાનિક ખેલાડીઓ ક્રિકેટ, વોલીબોલ, રસ્સા ખેંચ, રેસ જેવી રમતો દ્વારા પોતાની પ્રતિભા રજૂ કરી શકે છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નવીન પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રશાસિત પ્રદેશ 3D પ્રશાસક  પ્રફુલ પટેલના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર સ્થાનિક રમતગમતને પ્રોત્સાહન આપી રહી...
ભીખ માંગવાના બહાને ફરતી 5 મહિલાઓની ટોળકીએ સેલવાસના એક ઘરમાંથી 25 હજાર રોકડ અને દાગીનાની ચોરી કરી

ભીખ માંગવાના બહાને ફરતી 5 મહિલાઓની ટોળકીએ સેલવાસના એક ઘરમાંથી 25 હજાર રોકડ અને દાગીનાની ચોરી કરી

Gujarat, National
સેલવાસના આમલી વિસ્તારમાં ભીખ માંગવાના બહાને એક ઘરમાં ઘુસેલી પાંચ મહિલાઓની ચોર ટોળકીએ 25000 રોકડ અને ચાંદીની બંગડીઓ ચોરી કરી ફરાર થઇ જતા ચકચાર મચી ગઇ છે, દુકાનદારે સોશ્યલ મીડિયામાં CCTV વાયરલ કરી લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. મળતી જાણકારી અનુસાર સેલવાસના આમલી વિસ્તારમાં જિલ્લા પંચાયત કચેરી સામે આવેલી કરિયાણાની દુકાનમાં પાંચ મહિલાઓ બે નાના બાળકો સાથે ભીખ માંગવાના બહાને આવી હતી, જેને દુકાનના માલિક કિરણ ભાનુશાલીએ ત્યાંથી ભગાડી મૂકી હતી, જે બાદ પાંચેય મહિલાઓ કરિયાણાની દુકાનમાં જ કામ કરતા અને દુકાનની પાછળ રહેતા સુરેશ દુલારામજી નામક યુવકના ઘરમાં ઘુસી હતી, મહિલા ચોર ટોળકીએ સુરેશ ના ઘરમાં ઘુસી ઘરમાં મુકેલી 25000 રૂપિયા રોકડ અને નાની બાળકીની ચાંદીની બંગળીઓ ભરેલી બેગ તફડાવી છુમંતર થઇ ગઈ હતી, થોડા સમય બાદ સુરેશ દુલારામજી બેંકમાં પૈસા જમા કરવા માટે બેગ લેવા ઘરે ગય...
ઉમરગામ તાલુકાના સંજાણ નજીક ધીમસા રેલવે ફાટક પાસે બ્રિજની માંગ ને લઈને ગ્રામજનોનો વિરોધ

ઉમરગામ તાલુકાના સંજાણ નજીક ધીમસા રેલવે ફાટક પાસે બ્રિજની માંગ ને લઈને ગ્રામજનોનો વિરોધ

Gujarat, National
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના તુમ્બ - ધીમસા, કાંકરિયા સહિત ગામના ગામલોકોએ વેસ્ટર્ન રેલવે ટ્રેક પર બેસી વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત ગામલોકો ટ્રેક પર આવી જતા નવકાર ટ્રેનો અટકાવી દેવામાં આવી હતી. ગામલોકોએ માંગ કરી હતી કે અહીં રેલવે ફાટક નંબર 69 પર તેમને કાયમી અવરજવર માટે રેલવે ઓવર બ્રિજ અથવા અન્ડરપાસની સગવડ પુરી પાડવામાં આવે.  આ ફાટક પરથી દૈનિક આસપાસના 10 જેટલા ગામના લોકો અવરજવર કરે છે. જેને હાલ કાયમી બંધ કરવાનું રેલવે દ્વારા નક્કી કરાયું છે. જેને લઈને આ વિરોધ કરવામાં આવ્યો છે. ગામલોકોનું કહેવું છે કે, આ ફાટક કાયમ માટે બંધ કરી દેવામાં આવે તો બંને તરફ રહેતા લોકો ને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે, આવી સ્થિતિમાં ગ્રામજનોને રેલ્વે ટ્રેક ઓળંગવા માટે અંદાજિત 5 કિલોમીટરનું વધારાનું અંતર કાપવું પડશે. ગ્રામજનોની જરૂરિયાતને ધ્યાને રાખીને રેલવે વિભાગ અહીં અંડરપાસ કે...