દક્ષિણ ગુજરાત માહ્યાવંશી એકતા પરિષદના વિનયભાઈ વાડીવાળાની સર્વાનુમત્તે નવા પ્રમુખ પદે વરણી કરવામાં આવી
વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત અને મુંબઈ માં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ દક્ષિણ ગુજરાત માહ્યાવંશી એકતા પરિષદના વિનયભાઈ વાડીવાળા ને સર્વાનુમત્તે નવા પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે. વિનયભાઈ ની વરણી થતા વાપીના સર્કિટ હાઉસ ખાતે સમાજના અગેવાનોએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.વલસાડ જિલ્લાના પારડી અને વાપી વિસ્તારની સામાજિક સંસ્થા શ્રી માહ્યાવંશી સેવા ટ્રસ્ટ દ્વારા ભરૂચ થી મુંબઈ સુધી સામાજિક સેવા કાર્ય કરતી દક્ષિણ ગુજરાત માહ્યાવંશી એકતા પરિષદના નવા પ્રમુખ તરીકે વિનયભાઈ વાડીવાળાની વરણી કરવામાં આવી છે. વિનયભાઈ વાડીવાળા ને સમાજના આગેવાનો, મિત્રો શ્રી માહ્યાવંશી સેવા ટ્રસ્ટ ના સભ્યો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાત માહ્યાવંશી એકતા પરિષદ ના આવનારા કાર્યકાળમાં વિનયભાઈ વાડીવાલા સમાજના વિકાસમાં ખૂબ સુંદર કામગીરી કરે, સમાજના દરેક નાગરિકોને બનતા મદદરૂપ થાય, સમાજના દરેક વર્ગના જરૂરિયાત...