વાપીની બેસ્ટ પેપરમિલ અને VIA દ્વારા ત્રિદિવસીય આયુર્વેદિક પંચકર્મ અને ન્યુરો થેરાપીના નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરાયું
ગુજરાત સરકારના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે નિઃશુલ્ક આયુર્વેદિક શિબિરનું VIA ઓડિટોરિયમ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બેસ્ટ ગ્રૂપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ અને વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA)ના સહયોગમાં આયોજિત આ ત્રિદિવસીય કેમ્પમાં મહેસાણામાં આયુર્વેદિક પંચકર્મથી સારવાર કરતા ડૉ. મયુર પ્રજાપતિ દ્વારા આયુર્વેદિક સારવાર આપી વર્ષોથી વિવિધ રોગોથી પીડાતા દર્દીઓને નિઃશુલ્ક સારવારનો લાભ આપ્યો હતો.
વાપીમાં અને સરીગામમાં બેસ્ટ પેપર મીલ ધરાવતા ઉદ્યોગપતિઓ રમેશ શાહ અને નિતિન ઓઝા દ્વારા VIA ના સહયોગમાં વાપીના VIA ઓડિટોરિયમમાં ત્રિદિવસીય આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પોતાને થયેલા ફાયદાને જોઇ આ ફાયદો વાપીની જનતા પણ લઇ શકે તેવા શુભ ઉદ્દેશ્યથી મહેસાણામાં આયુર્વેદિક પંચકર્મથી સારવાર કરતા ડૉ. મયુર પ્રજાપતિ સાથે મળી આ નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્...