શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે નાણાપ્રધાન દેસાઈએ અંભેટી કાંપરિયા પ્રાથમિક શાળા ખાતેથી 16 બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના આજે તા. 24 મી જૂનના બીજા દિવસે કપરાડા તાલુકાના અંભેટી પ્રાથમિક શાળા ખાતે રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ શાળાના 10 કુમાર અને 6 કન્યા મળી કુલ 16 પ્રવેશપાત્ર બાળકોનો તેમજ આંગણવાડીના 02 બાળકોનો પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે નાણાપ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજયનો દરેક બાળક શિક્ષિત બને અને સમાજમાં સ્વામાનભેર જીવી શકે તે હેતુસર વર્ષઃ 2002-03 થી કન્યા કેળવણી અને શાળા પ્રવશોત્સવની શરૂઆત કરી હતી. આ શિક્ષણદીપના યજ્ઞમાં સ્વયં તેઓએ ભાગ લઇને સમગ્ર ગુજરાતને પ્રેરણા આપી છે.
કોરોના કાળના બે વર્ષ બાદ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્ત્વમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ શરૂ થયો છે આ તબક્કે શાળાના નિવૃત્ત આચાર્ય પરાગભાઇ વણસાભાઇ પટેલ અ...