સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ વાપી ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ‘ધન્ય ધરા વલસાડી’ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કલાકારોએ રજૂ કર્યો વલસાડનો ઇતિહાસ….!
દેશના 77માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ પુરુષ અધ્યાપન મંદિર, વાપી ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ધન્ય ધરા વલસાડી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વલસાડના પ્રસિદ્ધ યાત્રાધામ બગવાડાના વિકાસ માટે રૂપિયા ત્રણ કરોડ સહિત રૂપિયા 138 કરોડના 18 વિકાસકામોની ભેટ ધરી હતી. ઉમરસાડી દરિયા કિનારે બીચને વિકસાવવાની જાહેરાત કરી હતી. સમાજમાં ઉત્કુષ્ટ કામગીરી કરનાર મહાનુભાવોને શાલ ઓઢાડી સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કર્યા હતાં.
વાપી પુરૂષ અધ્યાપન મંદિર ખાતે તૈયાર કરેલ ભવ્ય ડૉમ માં સોમવારે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં નાણામંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે ધરમપુર,પારડી અને ઉમરગામ પાલિકામાં અંડર ગ્રાઉન્ડ કેલબિલંગના પ્રોજેકટ પૂર્ણ તરફ છે. ઉમરગામનાના વલવાડા ખાતે રૂ.48.34 કરોડના ખર્ચે બ્રીજ, ધમડાચી ખાતે રૂ....