Friday, October 18News That Matters

Tag: leaving people feeling hurt

વાપીના ત્રિરત્ન સર્કલ પર ટેન્કરચાલકે મહાનુભાવોની પ્રતિમા સાથેનું સ્ટ્રક્ચર જમીન દોસ્ત કરી નાખતા લોકોની લાગણી દુભાઈ

વાપીના ત્રિરત્ન સર્કલ પર ટેન્કરચાલકે મહાનુભાવોની પ્રતિમા સાથેનું સ્ટ્રક્ચર જમીન દોસ્ત કરી નાખતા લોકોની લાગણી દુભાઈ

Gujarat
વાપી ચણોદ ચાર રસ્તા પરના ત્રિરત્ન સર્કલ ઉપર મહાનુભવોની પ્રતિમાઓને એક ટેન્કર ચાલકે ટક્કર મારી હતી. ટેન્કરની ટક્કરથી સ્ટ્રક્ચર પર મૂકેલ શિવાજી મહારાજ, બાબાસાહેબ આંબેડકર અને જ્યોતિબા ફૂલેની પ્રતિમાને ખંડિત કરી હતી. ઘટના 6 વાગ્યે બની હતી. જે બાદ ટેન્કર ચાલક ફરાર થઇ ગયો હતો. મહાનુભાવોની પ્રતિમા ખંડિત થતા સ્થાનિક લોકોની લાગણી દુભાઈ હતી. જેઓએ તાત્કાલિક ટેન્કર ચાલક સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ઘટના અંગે સ્થાનિક અગ્રણીઓને જાણ થતાં વિવિધ સંસ્થાના આગેવાનો ત્રિરત્ન સર્કલ પાસે એકત્રિત થઈ કન્ટેનર ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે હંગામો મચાવ્યો હતો. અગ્રણીઓએ પોલીસ મથકે અજાણ્યા ટેન્કર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી ત્રિરત્ન સર્કલ પાસે લાગેલા સરકારી અને ખાનગી.CCTV ફૂટેજ મેળવી ટેન્કરનો નંબર જાણવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ઘટના અંગ...