વાપીની KBS કોલેજમાં જાણીતા સ્પીકર જય વસાવડાએ વિદ્યાર્થીઓને શીખવ્યા જીવનની કારકિર્દીના પાઠ
વાપીમાં ચણોદ સ્થિત KBS નટરાજ કોલેજમાં વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે કારકિર્દીમાં પણ આગળ વધે, ડ્રગ્સ જેવા વ્યસનથી દૂર રહે, મોબાઈલનો ઉપયોગ જરૂરિયાત મુજબ કરે તે માટે ગુજરાતના જાણીતા મોટીવેશનલ સ્પીકર જય વસાવડાનો મોટીવેશનલ સેમિનાર યોજાયો હતો. જેમાં ઉપસ્થિત કોલેજના યુવાનોએ જય વસાવડાને સાંભળ્યા હતાં. યુવાનોએ જય વસાવડા પાસેથી ઉપયોગી કારકિર્દી માર્ગદર્શન મેળવ્યું હતું.
વાપી માં ચણોદ ખાતે આવેલ KBS નટરાજ કોલેજમાં આયોજિત મોટીવેશનલ સેમિનાર અંગે સ્પીકર જય વસાવડાએ જણાવ્યું હતું કે, આજની પેઢીના યુવાનો પારદર્શક છે. તેમને જો સાચી દિશા આપવામાં આવે તો તે ક્રાંતિ કરી શકે છે. સેમિનારમાં તેમણે કોલેજના યુવાનોને ભારતના અને વિશ્વના વિવિધ મહાનુભાવોના જીવનના રહસ્ય, કારકિર્દી માટે કરેલી મહેનત તેને ટકાવી રાખવા સંયમ સાથે કરેલા પ્રયાસ અંગે તેમજ બોલીવુડના કલાકારો, ક્રિકેટરો, ધર્મગુરુઓ, ભગવાન કૃષ્ણ, મહાવીર, પયંગબર સહિત દે...