અધિક શ્રાવણ મહિનાના અનુસંધાને છીરીમાં ઇચ્છાપૂર્તિ હનુમાન મંદિરે અખંડ રામધૂન અને મહાપ્રસાદનું આયોજન
વાપીમાં વર્ષોથી ધાર્મિક સેવાકીય પ્રવુતિ સાથે સંકળાયેલ તેમજ છીરીમાં ભવ્ય હનુમાન મંદિરનું નિર્માણ કરનાર કનૈયાલાલ મિશ્રા દ્વારા ઇચ્છાપૂર્તિ હનુમાન મંદિરે અખંડ રામધૂન અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તોએ ગાયક વૃંદ સાથે રામધૂન બોલાવી હતી.
આ અખંડ રામધૂન અને મહાપ્રસાદના આયોજન અંગે કનૈયાલાલ મિશ્રા (મનીષ મિશ્રા) અને મનોજકુમાર ઠાકુરે જણાવ્યું હતું. કે વર્ષ 2005માં આ હનુમાન મંદિરનું નિર્માણ શરૂ કરી વર્ષ 2011માં ભવ્ય હનુમાનજીની પ્રતિમાં સ્થાપિત કરી હતી. તેમની વર્ષોજુની મનોકામના સિદ્ધ થતાં આ મંદિરનું નામ ઇચ્છાપૂર્તિ હનુમાન મંદિર રાખવામાં આવ્યું છે. અહીં દરેક ધાર્મિક તહેવારે વિશેષ કાર્યક્રમનું અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવે છે.
હાલમાં અધિક શ્રાવણ મહિનો ચાલે છે. જેને ધ્યાને રાખી અહીં અખંડ રામધૂન અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું ...