
વલસાડમાં નિવૃત જીવન ગાળતા ફૂડ સેફટી ઓફિસર વિરુદ્ધ અપ્રમાણસર મિલ્કત અંગે ACB એ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી
આરોપી અશોકભાઇ લક્ષ્મણભાઇ પટેલ, ઉ.વ.60 સીનીયર ફુડ સેફટી ઓફીસર,ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરા,વર્ગ-2 (હાલ-વય નિવૃત તા.31/05/2022) રહેવાસી ધોડીપાડા વાયા સંજાણ તા.ઉમરગામ જિ.વલસાડ હાલ રહેવાસી શારદાધામ સોસાયટી મોગરાવાડી વલસાડ વિરૂધ્ધમા અપ્રમાણસર મિલ્કત અંગેનો ગુનો પંચમહાલ ACB પોલીસ સ્ટેશન ગોધરા ખાતે દાખલ થયો છે. જેની વધુ તપાસ ACB એ હાથ ધરી છે.
આ કેસ અંગે ACB એ આપેલી વિગત મુજબ આરોપી અશોકભાઇ લક્ષ્મણભાઇ પટેલ, ઉ.વ. 60 સીનીયર ફુડ સેફટી ઓફીસર,ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરા,વર્ગ-2 (હાલ-વય નિવુત તા.31/05/2022) રહેવાસી ધોડીપાડા વાયા સંજાણ તા.ઉમરગામ હાલ રહેવાસી શારદાધામ સોસાયટી મોગરાવાડી વલસાડનાએ તા.01/01/2002 થી તા.31/12/2019 દરમ્યાન કાયદેસર આવકના સાધનોમાંથી મેળવેલ આવક કરતા રૂપિયા 20,73,900/- (21.20%) ની મિલકતો પોતાની કાયદેસરની ફરજ દરમ્યાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી ધનવાન થવ...