Sunday, September 8News That Matters

National

વાપીમાં સામાન્ય બોલાચાલીમાં આધેડની હત્યા કરનાર ઝનૂની યુવકની પોલીસે કરી ધરપકડ

વાપીમાં સામાન્ય બોલાચાલીમાં આધેડની હત્યા કરનાર ઝનૂની યુવકની પોલીસે કરી ધરપકડ

Gujarat, National
વાપી ટાઉન પોલીસે એક એવી હત્યાનો આરોપી પકડ્યો છે. જે એટલો ઝનૂની છે કે, તેણે સામાન્ય બોલાચાલીમાં એક આધેડની હત્યા કરી નાખી છે. હત્યા કરનાર આરોપી વાપીના ગીતા નગરના ટાંકી ફળિયામાં વર્ષોથી એકલવાયું જીવન ગુજારે છે. અને ભીખ માંગીને કે, કચરો વીણીને પોતાનું ગુજરાન ચલાવે છે. વાપી ટાંકી ફળીયા પાણીની ટાંકી સામે 31મી ઓગસ્ટના એક નેપાળી આધેડની શંકાસ્પદ હાલતમાં હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. જે હત્યા કરનાર આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે. જે અંગે વલસાડ જિલ્લા પોલીસવડાએ ચોંકાવનારી વિગતો આપી હતી. જિલ્લા પોલીસવડા ડૉ. કારણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, વાપી ટાંકી ફળીયા વિસ્તારમાં દિલબહાદુર બાલબહાદુર કારકી નામના નેપાળી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહનું CHC વાપી ખાતે પેનલ ડોક્ટરથી પી.એમ.કરાવતા તેમનું મોત માથાના તથા માથાના ડાબી સાઇડના કાનના પાછળના ભાગે ગંભીર ઇ...
NHSRCL Fact Video :- વિશ્વામિત્રી નદીનું પુર બુલેટ ટ્રેનના કામને કારણે આવ્યું હોવાની ભ્રામક સેટેલાઈઝ ઇમેજ સામે NHSRCLનો ખુલાસો

NHSRCL Fact Video :- વિશ્વામિત્રી નદીનું પુર બુલેટ ટ્રેનના કામને કારણે આવ્યું હોવાની ભ્રામક સેટેલાઈઝ ઇમેજ સામે NHSRCLનો ખુલાસો

Gujarat, National
હાલમાં ચોમાસામાં વડોદરામાં પુરના પાણીએ તબાહી સર્જી છે. ત્યારે, આ પુરનું પાણી વિશ્વામિત્રી નદી પર બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત ચાલી રહેલ બ્રિજના અવરોધને કારણે આવ્યું હોવાની એક સેટેલાઈઝ ઇમેઝ વાયરલ થઈ છે. જે તદ્દન ભ્રામક હોવાનો ખુલાસો NHSRCL દ્વારા કરવામાં આવ્યો છે. તેમજ તે અંગેનો એક વિડિઓ પણ અખબારી યાદીમાં અને X પર પ્રસારિત કર્યો છે.NHSRCLએ સોશ્યલ મીડિયા X ના પ્લેટફોર્મ થી અને અખબારી યાદીના માધ્યમથી જણાવ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ચાલી રહેલા બ્રિજના કામને કારણે વિશ્વામિત્રી નદીમાં પૂર આવે તેવો ભ્રામક વીડિયો પ્રસારિત કરવામાં આવી રહ્યો છે. હકીકતે વિડિયોમાં દેખાડવામાં આવેલી સેટલાઇટ તસવીરો ચોમાસા પહેલાની છે.પ્રદેશમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને, નદીના વહેણને સરળ બનાવવા માટે નદી પર પુલ બનાવવાની સુવિધા માટે બનાવેલ કામચલાઉ એપ્રોચ રોડને ચોમાસા પહેલા જ તોડી પાડવામાં આવ્યો હતો. અને બ...
શ્વાનનો શિકાર કરવા આવેલ દીપડો ખુદ શિકાર બનતા માંડમાંડ બચ્યો…! કૂતરાએ દીપડા સામે લગાવી દીધી જીવ સટોસટની બાજી…!

શ્વાનનો શિકાર કરવા આવેલ દીપડો ખુદ શિકાર બનતા માંડમાંડ બચ્યો…! કૂતરાએ દીપડા સામે લગાવી દીધી જીવ સટોસટની બાજી…!

Gujarat, National
વલસાડ જિલ્લાના રોલા ગામે ડુંગરા ફળિયામાં રહેતા વિરલ પટેલના ઘરે તેમના પાલતુ શ્વાન અને દીપડા વચ્ચે જીવ સટોસટની થયેલ લડાઈ CCTV માં કેદ થઈ છે. બંગલાના પરિસરમાં સુરક્ષા માટે શ્વાન પાળ્યો છે. આ શ્વાનને રાત્રી દરમ્યાન બંગલા ના આંગણામાં સાંકળ થી બાંધ્યો હતો. જેને સુવા માટે પાથરેલ પાથરણા પર કૂતરો સૂતેલો હતો. ત્યારે મોડી રાત્રે અંધારામાં એક દીપડો બંગલાના કમ્પાઉન્ડમાં સૂતેલા કૂતરાંનો શિકાર કરવા આવી પહોંચ્યો હતો. લાગ જોઈ દીપડો જેવો કૂતરાને બોચીમાંથી પકડવા ગયો કે, તરત જ કૂતરાએ પોતાના બચાવમાં જીવ સટોસટની બાજી લગાડી દીધી હતી. પોતાને બોચીમાંથી પકડવા આવેલા દીપડાની જ બોચી પકડી લેતા દીપડો કુતરાના મોઢાનો શિકાર થાય એ પહેલાં પોતાને છોડાવી ઉભી પૂંછડીએ ભાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લાના રોલા અને વાઘલધરા ગામમાં 6 માસ બાદ ફરીથી દીપડો ફરતો દેખાતાં ગ્રામજનોમાં ફફટાડ ફેલાયો છે. આ અગાઉ આ પંથકના જોરાવાસણ, ડુ...
વાપીમાં શિક્ષક દિન નિમિત્તે યોજાઇ મેગા સ્ટુડન્ટ ટીચર એવોર્ડ 2.0 ઇવેન્ટ, શાળા-કોલેજમાંથી પસંદગી પામેલ પ્રતિભાશાળી વક્તાઓને એવોર્ડ આપી સન્માનિત કર્યા

વાપીમાં શિક્ષક દિન નિમિત્તે યોજાઇ મેગા સ્ટુડન્ટ ટીચર એવોર્ડ 2.0 ઇવેન્ટ, શાળા-કોલેજમાંથી પસંદગી પામેલ પ્રતિભાશાળી વક્તાઓને એવોર્ડ આપી સન્માનિત કર્યા

Gujarat, National
દર વર્ષની 5મી સપ્ટેમ્બરે શ્રેષ્ઠ શિક્ષક એવા સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસને દેશભરમાં શિક્ષક દિન તરીકે ઉજવવમાં આવે છે. જેને ધ્યાને રાખી વલસાડ જિલ્લાના અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ધોરણ 8 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓમાં રહેલી વક્તા તરીકેની પ્રતિભા ને બિરદાવવા વાપીમાં મેગા સ્ટુડન્ટ ટીચર એવોર્ડ 2.0 કોમ્પિટિશન ઇવેન્ટ યોજાઇ હતી. ઇવેન્ટમાં શાળા-કોલેજના 17 પ્રતિભાશાળી વક્તાઓ વચ્ચે વક્તવ્યની સ્પર્ધા યોજી હતી. જેમાંથી બેસ્ટ વક્તાની પસંદગી કરી તેમને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા.વાપીમાં ચલા ખાતે આવેલ મેરિલ એકેડમિના તક્ષશિલા ઓડિટોરિયમ માં મેગા સ્ટુડન્ટ ટીચર એવોર્ડ 2.0 વક્તવ્ય કોમ્પિટિશનના ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું હતું. Alchemy આયોજિત અને ટ્વીન સીટી ક્લિનિક, મનોવિકાસ બાલસેવા, સવિશંક ફાઉન્ડેશન પ્રેરિત એવોર્ડ સેરેમનીમાં મુખ્ય અતિથિ કપરાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી, ...
જમીયત ઉલમા-એ-વાપી ટ્રસ્ટ અને લાયન્સ કલબ આયોજિત રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન

જમીયત ઉલમા-એ-વાપી ટ્રસ્ટ અને લાયન્સ કલબ આયોજિત રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન

Gujarat, National
રવિવારે 1લી સપ્ટેમ્બરે વાપીમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ જમીયત ઉલમાં-એ-વાપી ટ્રસ્ટ અને લાયન્સ કલબ ઓફ વાપીના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું અયોજન કરવામાં આવ્યું હતું. જમીયત દ્વારા આ પ્રથમ રક્તદાન કેમ્પ હતો. જેમાં 118 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરવા આવ્યાં હતાં. પરંતુ રક્તદાન માટે નિયત ઉંમર અને વજન તેમજ બ્લડ પ્રેશર, ડાયાબીટીસ જેવી બીમારી છે કે કેમ તે અગત્યનું પાસું હોય એવા 50 થી વધુ રક્તદાતાઓનું રક્ત નહિ લેવામાં આવતા તેઓએ ભારે હૈયે પરત થવું પડ્યું હતું. રક્તદાન કેમ્પની આયોજક સંસ્થા એવી જમીયત ઉલમાં એ વાપી ટ્રસ્ટના પ્રમુખ ઇન્તેખાબ ખાન અને ખજાનચી અબ્દુલ વહાબ ખાને જણાવ્યું હતું કે, આ તેમની સંસ્થા તરફથી પ્રથમ કેમ્પ હતો. જે સફળ રહ્યો છે. રક્તદાતાઓનો ઉત્સાહ જોઈ આગામી દિવસોમાં પણ આ જ પ્રકારે રક્તદાન કેમ્પ કરતા રહેવાની પ્રેરણા મળી ...
વલસાડ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને મળી સંકલન સમિતિની બેઠક, તમામ ધારાસભ્યોના પાકા રિપોર્ટ સામે સાંસદ નો રિપોર્ટ રહ્યો અધૂરી માહિતી જેવો…?

વલસાડ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને મળી સંકલન સમિતિની બેઠક, તમામ ધારાસભ્યોના પાકા રિપોર્ટ સામે સાંસદ નો રિપોર્ટ રહ્યો અધૂરી માહિતી જેવો…?

Gujarat, National
વલસાડ જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતની ઉપસ્થિતિમાં કલેકટર કચેરીના સભાખંડમાં મળેલી સંકલન સમિતિની બેઠકમાં તમામ ધારાસભ્યોએ પોતાના વિસ્તાર ની અનેક સમસ્યાઓની રજુઆત કરી હતી. જો કે, બેઠકમાં છવાઈ જવાના મનોરથ સાથે આવેલા સાંસદે સૌથી વધુ રજુઆત કરી હતી. પરંતુ, તેમની કેટલીક રજૂઆતોનું નિરાકરણ પહેલા જ થઈ ચૂક્યું હોવાની પ્રતીતિ અધિકારીઓના જવાબ પરથી જોવા મળી હતી. ધારાસભ્યો જે રીતે પાકો રિપોર્ટ લઈને આવ્યા હતા તેની સરખામણીએ સાંસદ નો રિપોર્ટ અધકચરી માહિતી જેવો નવાઈ પમાડતો હતો.સંકલન બેઠકમાં જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવેના રસ્તા, જિલ્લા પંચાયત અને સ્ટેટના માર્ગ મકાન વિભાગના રસ્તાઓ પર પડેલા ખાડા અને જીવલેણ અકસ્માતોને લઈ પ્રજાના ચૂંટાયેલા પદાધિકારીઓ અને જિલ્લા કલેકટરે પણ સંબંધિત ત્રણેય વિભાગના અધિકારીઓને યુધ્ધના ધોરણે જિલ્લાના જે પણ રસ્તા પર ખાડા પડ્યા હોય ત્યાં મ...
દમણમાં પ્રેમિકાને મળવા યુવકે લીધો બુરખાનો સહારો…! પણ… પકડાઈ જતા બન્યો હાંસિપાત્ર…

દમણમાં પ્રેમિકાને મળવા યુવકે લીધો બુરખાનો સહારો…! પણ… પકડાઈ જતા બન્યો હાંસિપાત્ર…

Gujarat, National
સંઘપ્રદેશ દમણમાં યુવકને બુરખો પહેરવો ભારે પડી ગયો હતો. પોતાની પ્રેમિકાને મળવા માટે યુવક બુરખો પહેરીને પહોંચ્યો હતો. પરંતુ, સ્થાનિકોને શંકા જતા તપાસ કરી તો યુવકનો ભાંડો ફૂટી ગયો હતો. બાળકો ચોરવા માટે યુવક આવ્યો હોવાનુ સમજી સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યો હતો અને બાદમાં પોલીસને સોંપ્યો હતો. મળતી માહિતી મુજબ દમણના એક વિસ્તારમાં રહેતી પ્રેમિકાને ઘણા સમયથી યુવક મળ્યો નહોતો. જેથી પ્રેમિકાને મળવા માટે ગતરાત્રીએ યુવક બુરખો પહેરી તેની પ્રેમિકાને મળવા ગયો હતો. જે દરમ્યાન સ્થાનિક લોકોએ બુરખાની અંદર મહિલાની જગ્યાએ કોઈ અજાણ્યો ઈસમ હોવાનું અને તે ઈસમ બાળકોને ચોરી કરવા આવ્યો હોવાની શંકા ગઈ હતી. શંકાના આધારે સ્થાનિક લોકોએ બુરખામાં આવેલા યુવકને ઘેરી ચેક કરતા બુરખામાં અજાણ્યો વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું હતું. યુવકની સ્થાનિક લોકોએ પ્રાથમિક પૂછપરછ કરતા યોગ્ય જવાબ આપી શક્યો ન હતો. સ્થાનિક લોકોએ યુવકને મેથીપાક ચખાડી...
શ્રાવણ મહિનામાં કોચરવા ગામે પાર્થિવ દ્રાદશ જ્યોતિર્લિંગના પૂજન અર્ચન અને વિસર્જન સાથે તુલજા ભવાની માતાજી મંદિરનો કરાયો જીર્ણોદ્ધાર

શ્રાવણ મહિનામાં કોચરવા ગામે પાર્થિવ દ્રાદશ જ્યોતિર્લિંગના પૂજન અર્ચન અને વિસર્જન સાથે તુલજા ભવાની માતાજી મંદિરનો કરાયો જીર્ણોદ્ધાર

Gujarat, National
વાપી નજીક આવેલ કોચરવા ગામે કુંભાર ફળિયામાં નિર્માણ પામેલ તુલજા ભવાની માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. તારીખ 29 અને 30 ઓગસ્ટ એમ દિવસ આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં ગામના ગોર મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે સ્થાપન પૂજા, આરતી અને અભિષેકાત્મક લઘુરુદ્ર યજ્ઞ બાદ પાર્થિવ દ્રાદશ જ્યોતિર્લિંગનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં ગામલોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.આ ધાર્મિક કાર્યક્રમને શાત્રોક્ત વિધિ અનુસાર પાર પાડનાર કોચરવા ગામના ગામગોર પ્રશિત ઇશ્વરલાલ જોશીએ જણાવ્યું હતું કે, કોચરવા ગામના 7 ફળિયાના સૌ નાગરિકોએ અહીં તુલજા ભવાની માતાજીના મંદિરના જીર્ણોદ્ધાર માં પોતાનું યોગદાન આપ્યું છે. આજના આ પ્રસંગ દરમ્યાન હાલ શ્રાવણ મહિનો પણ ચાલી રહ્યો હોય 12 પાર્થિવ જ્યોતિર્લિંગ નું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગામના લોકો પર હંમેશા શિવની કૃપા વરસતી રહે અને ...
ડુંગરામાં વાપી-સેલવાસ રોડ પર આવેલ એમ. એસ. ફર્નિચર નામના બામ્બુના ગોડાઉનમાં લાગી ભીષણ આગ 

ડુંગરામાં વાપી-સેલવાસ રોડ પર આવેલ એમ. એસ. ફર્નિચર નામના બામ્બુના ગોડાઉનમાં લાગી ભીષણ આગ 

Gujarat, National
વાપીના ડુંગરા વિસ્તારમાં વાપી-સેલવાસ રોડ પર આવેલ એમ. એસ. ફર્નિચર નામના બામ્બુ ના ગોડાઉનમાં શુક્રવારે ભીષણ આગ લાગી હતી. આગની વિકરાળ જ્વાળા અને ધુમાડાના ગોટેગોટાએ આસપાસમાં ગભરાટ નો માહોલ ઉત્પન્ન કર્યો હતો. આગની ઘટનામાં ફાયરે આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ભીષણ આગને કારણે બામ્બુ ના ગોડાઉન માલિકને ભારે નુકસાન થયું છે. ઘટના અંગે વાપી નોટિફાઇડ ફાયર વિભાગે આપેલી વિગતો મુજબ વાપી ના ડુંગરામાં વાપી સેલવાસ રોડ પર બુલેટ ટ્રેન સ્ટેશની નજીક બામ્બુના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હોવાનો કોલ આવ્યો હતો. જેથી ફાયરના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતાં.આગ બુલેટ ટ્રેન સ્ટેશન નજીક આવેલ પ્લોટ નંબર-4, સર્વે નંબર 31માં કાર્યરત એમ. એસ. ફર્નિચર નામના બામ્બુના ગોડાઉનમાં લાગી હતી. આગની વિકરાળ જ્વાળા વધુ ને વધુ પ્રસરી રહી હોવાનું જોતા સેલવાસ ફાયર અને અન્ય ફાયરને જાણકારી આપી હતી. 3 થી વધુ ફાયર ફાઇ...
આવતી કાલે પ્રધાનમંત્રી પાલઘરમાં 76,000 કરોડના વઢવાણ પોર્ટ પ્રોજેક્ટનો અને 1,560 કરોડની 218 મત્સ્યઉદ્યોગ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

આવતી કાલે પ્રધાનમંત્રી પાલઘરમાં 76,000 કરોડના વઢવાણ પોર્ટ પ્રોજેક્ટનો અને 1,560 કરોડની 218 મત્સ્યઉદ્યોગ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

Gujarat, National
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ઓગસ્ટ, 2024નાં રોજ મહારાષ્ટ્રનાં મુંબઈ અને પાલઘરની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 11 વાગે મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (GFF) 2024ને સંબોધન કરશે. ત્યારબાદ બપોરે લગભગ 1:30 વાગે પ્રધાનમંત્રી પાલઘરમાં સિડકો મેદાનમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.પાલઘરમાં પ્રધાનમંત્રી..... પ્રધાનમંત્રી 30મી ઓગસ્ટ, 2024ના રોજ વઢવાણ પોર્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ આશરે રૂ. 76,000 કરોડ છે. તેનો ઉદ્દેશ વિશ્વકક્ષાનો દરિયાઇ પ્રવેશદ્વાર સ્થાપિત કરવાનો છે, જે મોટા કન્ટેનર જહાજોને પૂરી પાડીને, ઊંડા ડ્રાફ્ટ ઓફર કરીને અને અલ્ટ્રા-લાર્જ કાર્ગો જહાજોને સમાવીને દેશના વેપાર અને આર્થિક વિકાસને વેગ આપશે. પાલઘર જિલ્લામાં દહાણુ શહેરની નજીક આવેલું વઢવાણ બંદર ભારતનાં સૌથી મોટાં ઊંડાં પાણીનાં બંદરોમાંનું એક હશે અને તે આંતરરાષ્ટ...