Saturday, July 27News That Matters

Gujarat

વલસાડ જિલ્લાના ઉમરગામમાં અને દમણમાં બારેમેઘ ખાંગા, વરસાદના પાણીથી જળબંબાકારની સ્થિતિ

વલસાડ જિલ્લાના ઉમરગામમાં અને દમણમાં બારેમેઘ ખાંગા, વરસાદના પાણીથી જળબંબાકારની સ્થિતિ

Gujarat, National
શુક્રવારે વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસતા વરસાદમાં ઉમરગામ તાલુકામાં બારે મેઘ ખાંગા થયા છે. ઉમરગામમાં સવારના 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 6 ઇંચ વરસાદ વરસતા અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે. તો સંઘપ્રદેશ દમણમાં પણ 7 કલાકમાં 116mm વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સેલવાસમાં પણ 8 કલાકમાં 91mm વરસાદે લોકોને તૌબા પોકરાવ્યાં છે. વાપીમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં, રેલવે ગરનાળામાં અને ઓવરબ્રિજ આસપાસના વિસ્તારમાં પાણી ભરાયા છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં શુક્રવારે મેઘરાજાએ પોતાનું હેત વરસાવવા સાથે ઉમરગામ તાલુકામાં અને વલસાડ તાલુકામાં ભારે પવન સાથે રૌદ્ર રૂપનો પરચો બતાવ્યો છે. વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં 10 કલાકમાં 4 ઇંચ તો ઉમરગામ તાલુકામાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. વાપીમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં, રેલવે ગરનાળામાં અને ઓવરબ્...
સરીગામ સ્કૂલમાં વિદ્યાર્થીઓને આપવા રાખેલી સાયકલો ચોમાસામાં ભંગારમાં ફેરવાઈ

સરીગામ સ્કૂલમાં વિદ્યાર્થીઓને આપવા રાખેલી સાયકલો ચોમાસામાં ભંગારમાં ફેરવાઈ

Gujarat, National
વલસાડ જિલ્લામાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ નવમાની વિદ્યાર્થીઓને સહાયરૂપ આપવાની સાયકલો ચોમાસાના વરસાદી પાણીમાં ભીંજાઈ જતા ભંગાર અને કાટ ખાધેલી હાલતમાં રહેલા દ્રશ્યો સરીગામ ખાતે કેડીબી હાઈસ્કૂલના પટાંગણમાં જોવા મળ્યા છે,વર્ષ 2023-24 અંતર્ગત વિદ્યાર્થીનીઓને સહાય આપવા અનુસૂચિત જાતિ તથા બક્ષીપંચ વિભાગ દ્વારા ઉપરોક્ત સહાય સમગ્ર જિલ્લાના ગ્રાન્ટેબલ તથા સરકારી શાળાઓમાં સહાય આપવા મોટી સંખ્યામાં સાયકલોનો ખડકલો ઉમરગામ ના સરીગામ કેડીબી હાઈસ્કૂલના પટાંગણમાં ખડકવામાં આવતા ભર ચોમાસાએ ઘોર બેદરકારી સામે આવી છે.વિદ્યા સહાયરૂપ આપવાની સાયકલો, વિદ્યાર્થીઓને કાટ ખવાયેલી, ભંગાર હાલતમાં અપાશે તેની ભીતિ સેવાઈ રહી છે, ભર ચોમાસામાં સંબંધીત વિભાગો તેના ઉપર પ્લાસ્ટિક મારી ઢાંકવાની પણ તસ્દી ન લેતા બેદરકારી દાખવી હોવાનું ફલિત થયું છે. ...
સેલવાસ ના નરોલીમાં પુષ્પક બારમાં થયેલ સંજાણ ના યુવકની હત્યા પ્રકરણમાં સામેલ 11 આરોપીઓ 5 દિવસના પોલીસ રિમાન્ડ પર

સેલવાસ ના નરોલીમાં પુષ્પક બારમાં થયેલ સંજાણ ના યુવકની હત્યા પ્રકરણમાં સામેલ 11 આરોપીઓ 5 દિવસના પોલીસ રિમાન્ડ પર

Gujarat, National
સેલવાસના નરોલી ચેકપોસ્ટ પાસેના પુષ્પક બારમાં બોલાચાલી પછી થયેલા મર્ડર કેસમાં સેલવાસ પોલીસે 11 આરોપીને ઝડપ્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતા નામદાર કોર્ટે 11 આરોપીને 5 દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા હતા.આ કેસમાં દાદરા નગર હવેલી પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103 અને 3(5) લગાવી હતી. આ કેસમાં પોલીસે 11 આરોપીને ઝડપી લીધા હતા અને પૂછપરછ કરી હતી આ દરમિયાન 11 આરોપીએ ગુનો કર્યો હોવાની કબૂલાત કરી હતી. આ આરોપીમાં સંદીપ રાજુ ઉં. વ 32 વર્ષ મૂળ રહે. યુપી, દિપક કુમાર ઉ.વ 18 વર્ષ મૂળ રહે. યુપી, સોમનાથ કુમાર ઉ.વ 22 વર્ષ મૂળ રહે. નેપાળ, અનિલ વર્મા ઉં.વ 24 વર્ષ મૂળ રહે. યુપી, મહેન્દ્ર યાદવ ઉ.વ 28 વર્ષ મૂળ રહે નેપાળ, પવન ઉં.વ 35 વર્ષ મૂળ રહે. ઉત્તરાખંડ, સંદીપ કુમાર ઉ.વ 34 વર્ષ મૂળ રહે યુપી, હેમંત કુમાર ચૌધરી ઉ.વ 31 વર્ષ મૂળ રહે નેપાળ, રાજકુમાર યાદવ ઉ.વ 26 વર્ષ મૂળ રહે.નેપાળ, સુજીત હળદર ઉ.વ 26 વર્ષ મૂ...
મુક-બધીર અને માનસિક અસ્વસ્થ બાળકોને વાપીના દેગામની આ શાળા આપી રહી છે નિઃશુલ્ક શિક્ષણ, તાલીમ અને રહેવા-જમવાની સંપૂર્ણ સુવિધા…!

મુક-બધીર અને માનસિક અસ્વસ્થ બાળકોને વાપીના દેગામની આ શાળા આપી રહી છે નિઃશુલ્ક શિક્ષણ, તાલીમ અને રહેવા-જમવાની સંપૂર્ણ સુવિધા…!

Gujarat, National
વાપી તાલુકાના દેગામ ખાતે એક એવી શાળા આવેલી છે. જેમાં મુક બધિર, માનસિક વિકલાંગ બાળકોને અભ્યાસ, વ્યવસાયિક તાલીમ અને રહેવા માટે હોસ્ટેલ, ભોજન તમામ સુવિધા નિઃશુલ્ક આપી પગભર કરી રહી છે. આ શાળાનું નામ મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ-વાપી સંચાલિત રમણલાલ ગુલાબચંદ શાહ સ્પેશ્યલ એજ્યુકેશન એન્ડ રિહેબીલીટેશન સેન્ટર છે. જેમાં આગામી 27મી જુલાઈના શનિવારે એબનોર્મલ બાળકો માટે શાળા પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.   વાપી તાલુકાના દેગામ ખાતે છેલ્લા 25 વર્ષથી મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ વાપી સંચાલિત અનોખી શાળા કાર્યરત છે. રમણલાલ ગુલાબચંદ શાહ સ્પેશ્યલ એજ્યુકેશન એન્ડ રિહેબીલીટેશન સેન્ટર એવા નામ સાથે ચાલતી આ શાળા સ્પેશ્યલ ચાઈલ્ડ કેટેગરીમાં આવતા મુક બધિર, માનસિક વિકલાંગ બાળકોને શિક્ષણ આપવા સાથે વ્યવસાયિક તાલીમ આપી પગભર કરે છે.  આ સ્પેશ્યલ એજ્યુકેશન એન્ડ રિહેબીલીટેશન સેન્ટર અંગે સંચાલક અને ટ્રસ્ટી એવા ડૉ. મોહન દેવ ...
નાની દમણમાં ‘Styles N Smiles’ ના મુમતાજ પરેરા દ્વારા ફેમિલી સલૂનની નવી શાખાનું મહાનુભાવોના હસ્તે કરાયું ઉદ્ઘાટન

નાની દમણમાં ‘Styles N Smiles’ ના મુમતાજ પરેરા દ્વારા ફેમિલી સલૂનની નવી શાખાનું મહાનુભાવોના હસ્તે કરાયું ઉદ્ઘાટન

Gujarat, National
દમણમાં પોતાની સુંદરતામાં નિખાર લાવવા બ્યુટી પાર્લરમાં જતા શોખીનોની પ્રથમ પસંદગી બનેલા Styles N Smiles હેર એન્ડ બ્યુટી ફેમિલી સલૂનની ગુરુવારે નાની દમણમાં આવેલ તીન બત્તી ખાતે નવી શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.છેલ્લા 7 વર્ષથી મોટી દમણમાં hair, skin, makeup, nail art માટે જાણીતા Styles N Smiles ફેમિલી સલૂનના સંચાલક મુમતાઝ પરેરા દ્વારા નાની દમણમાં તીન બત્તી ખાતે સલૂનની નવી શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દમણ-દીવ સાંસદના ધર્મપત્ની તેમની દીકરી, રાજકીય આગેવાન વિશાલ ટંડેલ, દમણ નગરપાલિકાના પ્રમુખ અસ્પી દમણીયા તેમજ અન્ય રાજકીય આગેવાનો, સામાજિક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. તમામે સલૂનના સંચાલક મુમતાઝ પરેરા સહિત તેમના પરિવાર ને અભિનંદન પાઠવ્યા હતાં. કોઈપણ નેશનલ બ્રાન્ડ ને બદલે પોતાની ઉત્તમ સેવા સાથે આગવું નામ ધરાવનાર Styles N Smiles સલૂન પરેરા ફેમિલીની પોતીકી બ્રાન્ડ છે. જે છ...
સરીગામ નજીક માંડા ખાતે બિલ્ડીંગના ખાળકુવામાં પડતાં માસુમ બાળકનું કરુણ મૃત્યુ

સરીગામ નજીક માંડા ખાતે બિલ્ડીંગના ખાળકુવામાં પડતાં માસુમ બાળકનું કરુણ મૃત્યુ

Gujarat, National
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ પાસે આવેલા માંડા ગામમાં એક આઠ વર્ષના માસુમ બાળકનું બિલ્ડીંગના ખાળકુવામાં પડતાં કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ હૃદયદ્રાવક ઘટનાને કારણે મૃતકના પરિવારમા માતમ છવાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઉમરગામ તાલુકાના માંડા ગામમાં એક આઠ વર્ષનો બાળક બિલ્ડીંગના ખાળકુવામાં પડી ગયો હતો. જે અંગે તાત્કાલિક ઘટનાની જાણકારી ફાયર અને પોલીસને આપવામાં આવી હતી. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. બાળકને બચાવવાના પ્રયાસો હાથ ધર્યા હતાં.ફાયરના જવાનોએ ખાળકુવામાં ગરક બાળકને બહાર કાઢ્યો હતો. બાળક ગંભીર રીતે ઘાયલ હોય તેને તરત જ નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણકારી સ્થાનિક ધારાસભ્ય રમણભાઈ પાટકરને થતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતકના પરિવારને સાંત્વના પાઠવી હતી....
Railway Protection Force (RPF)એ છેલ્લા 7 વર્ષમાં ‘ઓપરેશન નન્હે ફરિશ્તે’ હેઠળ 84,119 બાળકોને બચાવ્યા

Railway Protection Force (RPF)એ છેલ્લા 7 વર્ષમાં ‘ઓપરેશન નન્હે ફરિશ્તે’ હેઠળ 84,119 બાળકોને બચાવ્યા

Gujarat, National
છેલ્લા સાત વર્ષથી, Railway Protection Force (RPF) 'નન્હે ફરિશ્તે' નામના ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યું છે. આ એક મિશન છે જે ભારતીય રેલવે ઝોનમાં પીડિત બાળકોને બચાવવા માટે સમર્પિત છે. છેલ્લા સાત વર્ષ (2018-મે 2024) દરમિયાન, આરપીએફએ સ્ટેશનો અને ટ્રેનોમાં જોખમમાં અથવા જોખમમાં રહેલા 84,119 બાળકોને બચાવ્યા છે.'નન્હે ફરિશ્તે' માત્ર એક ઓપરેશન કરતાં પણ વધુ છે; તે હજારો બાળકો માટે એક જીવનરેખા છે જેઓ પોતાને અનિશ્ચિત સંજોગોમાં શોધે છે. 2018 થી 2024 સુધીનો ડેટા અતૂટ સમર્પણ, અનુકૂલનશીલતા અને સંઘર્ષ ક્ષમતાની વાર્તા દર્શાવે છે. દરેક બચાવ એ સમાજના સૌથી અસુરક્ષિત સદસ્યોની સુરક્ષા માટે RPFની પ્રતિબદ્ધતાનું એક પ્રમાણ છે. વર્ષ 2018માં 'ઓપરેશન નન્હે ફરિશ્તે'ની મહત્વપૂર્ણ શરૂઆત થઈ. આ વર્ષે, આરપીએફએ કુલ 17,112 બાળ પીડિતોને બચાવ્યા. જેમાં બાળકો અને બાળકીઓ બંને શામિલ હતા. બચાવી લેવામાં આવેલા 17,112 બાળકોમાંથી 13,18...
સરીગામના રાજેશ રાઠોડ સામે જમીન પચાવી પાડવાની ફરિયાદ બાદ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

સરીગામના રાજેશ રાઠોડ સામે જમીન પચાવી પાડવાની ફરિયાદ બાદ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

Gujarat, National
સરીગામ ના માહ્યાવંશી ફળિયામાં રહેતા રાજેશભાઇ ભગવાનભાઈ રાઠોડ અને યોગીની રાજેશભાઈ રાઠોડ વિરુદ્ધ ભિલાડ-સેલવાસ રહેતા અરવિંદભાઈ શંકરભાઇ પંચાલે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદો અધિનિયમ હેઠળ ફરિયાદ કરતા વલસાડ પોલીસે રાજેશ રાઠોડની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ભિલાડ પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ સરીગામ માહ્યાવંશી ફળિયામાં રહેતા રાજેશભાઈ ભગવાનભાઇ રાઠોડ તથા યોગીની રાજેશ રાઠોડ બન્નેએ ભેગા મળી એકબીજાની મદદગારીમાં ઉમરગામ તાલુકાના કરમબેલા ગામ ખાતે અરવિંદભાઈ પંચાલની જમીનને ખોટી રીતે પચાવી પાડી પોતાની માલીકી ખોટી રીતે પ્રસ્થાપિત કરી હતી. તેમજ જમીનમાં લોખંડની કેબીન તેમજ નોટીસ બોર્ડ લગાડી દઇ ગેરકાયદેસર રીતે કબજો કર્યો હતો.જે અંગે જમીનના મૂળ માલિક અરવિંદભાઈ પંચાલે ભીલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા ઉપરાંત વાપી DYSP ઓફિસ, વલસાડ જિલ્લા પોલીસવડા કચેરીએ અને વલસાડ કલેકટર કચેરીએ લેન્ડ ગ્રેબિંગ...
વાપી GIDCમાં GPCB, કંપની સંચાલકોની મિલી ભગતમાં પેપરમિલોમાંથી પાણી નીતરતા સ્લજને સગેવગે કરવાનો કારોબાર વધ્યો…?

વાપી GIDCમાં GPCB, કંપની સંચાલકોની મિલી ભગતમાં પેપરમિલોમાંથી પાણી નીતરતા સ્લજને સગેવગે કરવાનો કારોબાર વધ્યો…?

Gujarat, National
GPS ટ્રેકર, મેનિફેસ્ટ, રિસીપ્ત બિલ, GPCB ના કડક નિયમો તમામ માત્ર કાગળ પર...? વાપી GIDC માં છેલ્લા ઘણા સમયથી પેપરમિલોનો ભીનો સ્લજ સગેવગે કરવાનો કારોબાર ચાલી રહ્યો છે. આ કારોબારમાં વાપીના એક ખાસ ઇસમના ઈશારે બે ભાઈઓ મોટેપાયે સંકળાયેલ છે. વાપીની અલગ અલગ પેપરમિલોમાંથી આ સ્લજ ભરાવી તેંને સિમેન્ટ ફેક્ટરીઓમાં ટ્રક મારફતે મોકલવા સાથે કેટલોક તદ્દન વેસ્ટ આસપાસની જમીનમાં ઠાલવી પર્યાવરણ ને પ્રદુષિત કરી રહ્યા છે. ટ્રક માં સ્લજ પાણી નીતરતો જ ભરવામાં આવે છે. પહેલા GIDC માંથી આવી એકલ દોકલ ટ્રક નીકળતી હતી. પરંતુ હવે એક સાથે ત્રણ થી વધુ ટ્રક-ડમ્પર નીકળી રહ્યા છે. જે જોતા કહી શકાય કે, વાપી GIDCમાં GPCB, કંપની સંચાલકોની મીઠી નજર હેઠળ પેપરમિલોમાંથી પાણી નીતરતા સ્લજને સંગેસગે કરવાનો કારોબાર વધ્યો છે,ટ્રક માં ઠસોઠસ ભરેલ આ નોન રિસાયકલ વેસ્ટનું ગંદુ પાણી મુખ્ય માર્ગ પર સતત પડતું રહે છે. જેનાથી રસ્તાઓ ખરાબ થવા સા...
દાદરા નગર હવેલીના નરોલીમાં આવેલ પુષ્પક બાર એન્ડ રેસ્ટોરન્ટમાં ગ્રાહક અને વેઈટર વચ્ચેની બબાલમાં ગ્રાહકનો જીવ ગયો

દાદરા નગર હવેલીના નરોલીમાં આવેલ પુષ્પક બાર એન્ડ રેસ્ટોરન્ટમાં ગ્રાહક અને વેઈટર વચ્ચેની બબાલમાં ગ્રાહકનો જીવ ગયો

Gujarat, National
નરોલી ચેકપોસ્ટ પાસે આવેલી પુષ્પક બાર એન્ડ રેસ્ટોરન્ટમાં ગઈકાલે રાત્રે જમવા આવેલા ગ્રાહકો અને હોટેલના વેઈટર વચ્ચે બબાલ થઈ હતી. પહેલા બોલાચાલી અને બાદ માં થયેલ મારામારીમાં જમવા આવેલા એક ગ્રાહકનું મૃત્યુ થયું હતું.મળતી માહિતી મુજબ પુષ્પક બાર એન્ડ રેસ્ટોરન્ટમાં સંજાણથી 5 મિત્રો રાત્રે લગભગ 9:30 વાગ્યે જમવા માટે આવ્યા હતા. જેઓને વેઈટર હમણાં ઓર્ડર કરી દો 10:30 વાગ્યા પછી જમવાનું મળશે નહીં તેવું જણાવ્યું હતું. આથી ગ્રાહકોએ જમવાનો ઓર્ડર આપી દીધો હતો. જે બાદ 5 મિત્રોમાંથી 3 દારૂ પીતા હોય તેઓએ બીઅર મંગાવી હતી. જમતા જમતા તેમને મોડું થઈ જતા હોટેલમાં કામ કરનાર વેઈટરોએ હોટેલ બંધ કરવાનો સમય થઈ ગયો છે. તમે અડધો કલાકમાં જલ્દીથી જમી લો એવું જણાવી અડધો કલાક થઈ જતા વેઈટરોએ એમની સાથે ગાળાગાળી શરૂ કરી હતી. એટલામાં એક વેઈટરે એક ગ્રાહક ઉપર ખુરસી વડે હુમલો કરી દીધો હતો અને કાન પાસે એક થપ્પડ પણ મારી હતી. અચાનક હુમ...