Monday, September 16News That Matters

Gujarat

વાપીમાં 6 મહિનાના બાળક સાથે સુરત જતી મહિલા બુટલેગર ઝડપાઇ, ભડકમોરામાં 4 બુટલેગરો નાસી છૂટ્યા!

વાપીમાં 6 મહિનાના બાળક સાથે સુરત જતી મહિલા બુટલેગર ઝડપાઇ, ભડકમોરામાં 4 બુટલેગરો નાસી છૂટ્યા!

Gujarat
વાપી :- કોરોના મહામારી દરમ્યાન પણ બુટલેગરો અવનવા કિમીયા સાથે દમણથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતા અચકાતા નથી. વાપી ટાઉન પોલીસે દમણથી સુરત જતી મહિલા પાસેથી 22,650નો દારૂ જપ્ત કર્યો છે. જ્યારે ભડકમોરા ખાતે કારમાંથી 1,05,600નો દારૂ ઝડપ્યો હતો. જો કે કાર ચાલકો પોલીસને ચકમો આપી નાસી ગયા હતા. ST બસમાં સુરત દારૂ લઈ જતી મહિલા ઝડપાઇ... વાપી ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ આધારે વાપી બસ ડેપો પર 6 મહિનાના બાળક સાથે આવેલ સુરતની મહિલા પાસેથી પોલીસે 22,650 રૂપિયાનો દારૂ ઝડપ્યો હતો. ટાઉન પોલીસને બાતમી મળી હતી કે દમણના કચીગામથી એક મહિલા એક ઇસમ સાથે મોટરસાયકલ પર દારૂ લઈને આવી રહી છે. પોલીસે બાતમી આધારે GJ15-DA-6526 નંબરની મોટર સાયકલના ચાલક હર્ષદ સોલંકીને અટકાવી તેની પાછળ 6 માસના બાળક સાથે બેસેલ બીજલી નામની મહિલા પાસે રહેલ થેલો તપાસતા તેમાંથી 261 નંગ દારૂની બોટલ અને પાઉચ મળી આવ્યા હતાં. દાર...
કોરોના મહામારીમાં રાત-દિવસ દોડી રહી છે 108 એમ્બ્યુલન્સ

કોરોના મહામારીમાં રાત-દિવસ દોડી રહી છે 108 એમ્બ્યુલન્સ

Gujarat, National
વાપી :- કોરોના રોગચાળાના આ યુગમાં, 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ ઓક્સિજનના અભાવને લીધે તૂટતા શ્વાસનો પ્રથમ અને સૌથી મોટો આધાર બની ગયો છે.  આ દિવસોમાં, મોટાભાગના દર્દીઓમાં કોરોનાથી સંક્રમિત ઓક્સિજનનું સ્તર ઓછું થાય છે.  આવી સ્થિતિમાં દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થાય ત્યાં સુધી 108 એમ્બ્યુલન્સમાં ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે. આ કામ ડોકટરોની સલાહ મુજબ કરવામાં આવી રહ્યું છે.  એમ્બ્યુલન્સ પાઇલટ અને પેરામેડિકલ સ્ટાફને દર્દીઓને પ્રાથમિક સારવાર આપવા માટે તાલીમ આપવામાં આવે છે. વલસાડ જિલ્લામાં 108 ની 23 એમ્બ્યુલન્સ છે. તેમાંથી આઠ જેટલી એમ્બ્યુલન્સ શહેરી વિસ્તારોમાં જ્યારે બાકીની ગ્રામીણ વિસ્તારોમાં દોડી રહી છે.  સામાન્ય દિવસોમાં, જ્યાં એમ્બ્યુલન્સ દીઠ ત્રણ કોલ આવતા હતા, તેને બદલે હાલના દિવસોમાં ચારથી પાંચ કોલ આવી રહ્યા છે. 108 એમ્બ્યુલન્સના નિયંત્રણ કેન્દ્રમાંથી જણાવાયું હતું કે દરરોજ લગભગ 90 કોલ આવે છ...
કોરોના મહામારીમાં ઉદ્યોગોનું ઉત્પાદન ઘટ્યું

કોરોના મહામારીમાં ઉદ્યોગોનું ઉત્પાદન ઘટ્યું

Gujarat, National
વાપી : - કોરોનાની બીજી લહેરે લાખો લોકોને પોતાની ઝપેટમાં લીધા છે, ત્યારે આ કપરો સમય ઉદ્યોગકારો માટે પણ કઠિન સમય છે, જો કે તેમ છતાં ગત વર્ષના લોકડાઉનની સરખામણીએ આ વખતે ઉદ્યોગો ધમધમી રહ્યા છે. ટ્રાન્સપોર્ટેશન સેવા ચાલુ છે. કામદારો વતન પરત ફર્યા નથી . જો કે તેમ છતાં ઉત્પાદનમાં 30 ટકાનો કાપ આવ્યો છે. વલસાડ જિલ્લામાં વાપી GIDC, સરીગામ GIDC, ઉમરગામ GIDC અને દમણમાં અનેક નાનામોટા ઉદ્યોગો આવેલા છે. આ ઉદ્યોગોમાં લાખોની સંખ્યામાં પરપ્રાંતીય કામદારો કામ કરી રોજીરોટી મેળવી રહ્યા છે. જો કે ગત લોકડાઉનમાં આ તમામ ઉદ્યોગોની માઠી દશા બેઠી હતી. જ્યારે આ વખતે કોરોનાની બીજી લહેરમાં હજુ સુધી ઉદ્યોગો  માટે 30 ટકાથી મોટું નુકસાન થયું નથી. સરકાર પ્રેક્ટિકલ બનશે તો તે પણ દૂર થઈ જશે તેવી આશા ઉદ્યોગકારોએ સેવી છે. ઉમરગામ GIDC માં રો - મટિરિયલ્સ કે તૈયાર ઉત્પાદન પ્રોડક્ટને લાવવા મુકવામાં કોઈ જ તકલી...
દાદરા નગર હવેલીમાં અંતિમધામના રેકોર્ડ મુજબ બે મહિનામા 241 મૃતદેહો આવ્યા!

દાદરા નગર હવેલીમાં અંતિમધામના રેકોર્ડ મુજબ બે મહિનામા 241 મૃતદેહો આવ્યા!

Gujarat, National
          સેલવાસ :- કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં કોરોના સામે વલસાડ જિલ્લા કરતા દોઢ ગણા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. છેલ્લા 2 મહિનામાં સેલવાસ મુક્તિધામ ખાતે 241 મૃતદેહોને અંતિમ સંસ્કાર કરાયા છે. જેમાં એપ્રિલ મહિનામાં જ 198 મૃતદેહોને અગ્નિસંસ્કાર કર્યા છે. પરંતુ સરકારી રેકોર્ડ મુજબ દાદરા નગર હવેલીમાં કોરોનાની બીમારીમાં માત્ર 3 દર્દીઓ જ મોતને ભેટ્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી સહિત પાટનગર સેલવાસમાં કોરોના સંક્રમણે ભરડો લીધો છે. સેલવાસની સરકારી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ કોરોનાની સારવાર મેળવી રહ્યા છે. કેટલાય દર્દીઓ સારવાર દરમિયાન મોતને ભેટી રહ્યા છે. પરંતુ, જેમ ગુજરાત સરકાર કોરોનામાં મૃત્યુુ પામનારા દર્દીઓનો સાચો આંકડો છુપાવી રહી છે તેવી જ રીતે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવ નું પ્રશાસન પણ મોતના આંકડ...
કોરોના કાળમાં કપૂરની ડિમાન્ડ વધી, 500 રૂપિયાને બદલે હવે 1200 રૂપિયા કિલો!

કોરોના કાળમાં કપૂરની ડિમાન્ડ વધી, 500 રૂપિયાને બદલે હવે 1200 રૂપિયા કિલો!

Gujarat, National
હાલની કોરોના મહામારીમાં ઠેરઠેર લવિંગ, અજમા અને કપૂરની પોટલીનો વધુ વપરાશ થઇ રહ્યો છે. બજારમાં કપુર પોટલી જ નહીં, કપુર અગરબત્તી પણ ધૂમ વેચાઇ રહી છે, જેના કારણે કપૂરની માંગમાં દસ ગણો વધારો થયો છે.  એક સમયે કપૂરનો કિલોનો ભાવ રૂા.500થી 550 હતો જે અત્યારે વધીને છેક રૂા.1200 સુધી પહોંચ્યો છે.  સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. બીજી લહેરમાં 40 ટકા દર્દીઓનું ઓક્સિજન લેવલ નીચુ આવતુ રહ્યું હોવાનું બહાર આવ્યું છે. કોરોનાના સંક્રમણથી બચવા મેડિકલ ઉપચારની સાથોસાથ આ વખતે લોકો ઘરેલું ઉપચારનો પણ ભરપૂર ઉપયોગ કરી રહ્યાં છે. જેને કારણે લવિંગ અજમા અને કપૂરની માંગમાં વધારો નોંધાતા ભાવ પણ ડબલ થયો છે. કપૂર, લવિંગ અને અજમાની પોટલી ખિસ્સામાં રાખી વારંવાર સુંઘવાથી કોરોના સામે રક્ષણ મળે છે. આવું આજકાલ આપણે તમામ લોકોના મોઢે સાંભળીયે છીએ. કોરોનાની આ બીજી લહેરમાં લોકોનું ઓક્સિજન લેવલ તરત ઘટ...
દાદરા નગર હવેલીમાં 9 શિક્ષકોનો કોરોનાએ ભોગ લીધો!

દાદરા નગર હવેલીમાં 9 શિક્ષકોનો કોરોનાએ ભોગ લીધો!

Gujarat, National
સેલવાસ :- સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 900 જેટલા શિક્ષકો કોન્ટ્રાકટ બેઝ પર ફરજ બજાવે છે. જેઓને પ્રશાસને હાલમાં કોરોના મહામારીમાં જોતરી દીધા છે. જો કે મહામારી સામે રક્ષણ મેળવવા પૂરતી કોઈ સગવડ શિક્ષકો ને અપાઈ નથી. જેને કારણે છેલ્લા 1 મહિનામાં 9 શિક્ષકો કોરોનાની બીમારીથી મોતને ભેટ્યા છે. 15થી વધુ સારવાર હેઠળ છે. ત્યારે શિક્ષકો ના પરિવારને આર્થિક સહાય મળે, વીમા કવચ મળે તેવી માંગ શિક્ષક એસોસિએશન દ્વારા કરવામાં આવી છે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 900 જેટલા શિક્ષકો કોન્ટ્રાકટ બેઝ પર ફરજ બજાવે છે. જેઓને પ્રશાસને હાલમાં કોરોના મહામારીમાં ઘરે ઘરે સર્વે કરવું, કોરોના પોઝિટિવ દર્દીઓને હોમ કવોરંટાઇન કરાવવા, તેમના આરોગ્યની રોજેરોજ ચકાસણી કરવી, હોમ કવોરંટાઇન થયેલા દર્દીઓના પરિવારને તેમજ કંટાઇનમેન્ટ ઝોનમાં લોકોને જરૂરી રાશન સામગ્રી પહોંચાડવી જેવી કામગીરી સોંપી છે. શિક્ષકો પણ આ જવાબદારી સુપેરી નિભા...
સી. આર. પાટીલ કહે છે ગુજરાતમાં રેમડેસીવીર અને ઓક્સિજન પૂરતા છે! તો, શું દર્દીઓને ડોક્ટરો મારે છે?

સી. આર. પાટીલ કહે છે ગુજરાતમાં રેમડેસીવીર અને ઓક્સિજન પૂરતા છે! તો, શું દર્દીઓને ડોક્ટરો મારે છે?

Gujarat, National
વલસાડ જિલ્લાના વલસાડ અને વાપીમાં કોવિડ સેન્ટરની મુલાકાતે આવેલા ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે વધુ એક બફાટ કર્યો છે. પાટીલને રાજ્યમાં રેમડેસીવીર અને ઓક્સિજનની પરિસ્થિતિ અંગે પત્રકારોએ પૂછેલા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે રાજ્યમાં હવે રેમડેસીવીર ઇન્જેક્શન માટે કોઈના ફોન નથી આવતા, ઓક્સિજન સિલિન્ડર પણ પૂરતા પ્રમાણમાં છે.   આ જ પાટીલે થોડા સમય પહેલા પોતાના મતવિસ્તારમાં સરકારની ઉપરવટ જઇ રેમડેસીવીર ઇન્જેક્શનની લ્હાણી કરી હતી. પોતાના મોબાઈલ નંબર પણ આપ્યા હતાં. હવે તેને એ નમ્બર પર કોઈ ફોન નથી કરતું એટલે કદાચ પાટીલ ને લાગતું હશે કે રાજ્યમાં રેમડેસીવીર ઇન્જેક્શન પૂરતા પ્રમાણમાં મળી રહે છે!   જો કે એક તરફ ડુપ્લીકેટ રેમડેસીવીર ની ફેકટરી ચલાવતા આરોપીઓ તેમના જ ગઢ ગણાતા સુરતમાં ઝડપાયા છે. 20 હજારની કાળા બજાઈ કરતા આરોપીઓ પણ તેમના જ ગઢ માંથી ઝડપાયા છે. રોજ કેટલ...
ઉમરગામ તાલુકાના સરોન્ડા ગામે તળાવની માટી ઉલેચાઈ ગઈ, તંત્ર અંધારામાં

ઉમરગામ તાલુકાના સરોન્ડા ગામે તળાવની માટી ઉલેચાઈ ગઈ, તંત્ર અંધારામાં

Gujarat
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સરોન્ડા ગામે ભુમાફિયાઓ અને ગામના સરપંચે ખાણ ખનીજ વિભાગની મંજૂરી વિના જ તળાવ ખોદી તેમાંથી બરોબાર માટીનો વેપલો કરી નાખ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ અંગે ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ગામમાં સૂઝલામ સુફલામ યોજના હેઠળ 5 તળાવનો સમાવેશ કર્યા બાદ માત્ર 2 તળાવના એગ્રીમેન્ટ્સ કર્યા હોય એગ્રીમેન્ટ્સ વિનાના તળાવમાંથી પણ ગેરકાયદેસર માટી ઉલેચવામાં આવી હોવાની રાવ ગામના જાગૃત નાગરિકોએ કરી હતી.  ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં સૂઝલામ સુફલામ અભિયાન હેઠળ તળાવ ઊંડા કરવા, નદી-નાળાની સફાઈ કરી જળસંચય અભિયાન શરૂ કર્યું છે. NGOની ભાગીદારી સાથેની આ યોજનામાં છેલ્લા ત્રણ વર્ષથી અનેક ગામોમાં માટીના વેપલાનો રીતસરનો કારોબાર ધમધમી રહ્યો છે. વલસાડ જિલ્લામાં પણ હાલ કેટલાક ભુમાફિયાઓએ ગામના સરપંચ, સરકારી અધિકારીઓ સાથે મળી એવા કેટલાય તળાવો ખોદી નાખ્યા છે. જેની મંજૂરી...
વાપીમાં VIA વેકસીનેશન કેમ્પમાં 3000 થી વધુ લોકોએ વેકસીનનો લાભ મેળવ્યો

વાપીમાં VIA વેકસીનેશન કેમ્પમાં 3000 થી વધુ લોકોએ વેકસીનનો લાભ મેળવ્યો

Gujarat, National
કોરોનાએ જ્યારે પોતાના કાળનો પંજો ફેલાવ્યો છે. ત્યારે તેના રામબાણ ઈલાજ સમી વેકસીનેશન ડ્રાઈવ ને પણ સરકારે તેજ કરી છે. જેમાં અનેક સંસ્થાઓ પણ જાગૃતતા દાખવી નાગરિકોને વેકસીનના ડોઝ લેવડાવી કોરોના સામે રક્ષણ મેળવવામાં મદદરૂપ થઇ રહી છે. વાપીમાં પણ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા 1 મહિનામાં વેકસીનેશન કેમ્પ હેઠળ 3000 નાગરિકોને નિઃશુલ્ક વેકસીનના ડોઝ અપાવ્યા છે. વાપીમાં આરોગ્ય વિભાગ દ્વારા ચાલતા વેકસીનેશન કેમ્પનો લાભ મોટી સંખ્યામાં નાગરિકો લઈ રહ્યા છે. આવા કપરા સમયે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા પણ એક મહિનાથી VIA ખાતે ખાસ વેકસીનેશન કેમ્પનો પ્રારંભ કરી 3000 જેટલા લોકોને વેકસીન ડોઝ અપાવી કોરોના મહામારીમાં મદદરૂપ થયા છે. વાપીના VIA હોલ ખાતે 2જી એપ્રિલથી વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વાપીમાં જે લોકો અન્ય આરોગ્ય વિભાગના કેમ્પમાં જઇ નથી શકતા તેવા લોકો અહીં વેકસીન ડોઝ લઈ શકે કોરોન...
વાતાવરણમાં 21 ટકા પ્રાણવાયુ છે તો, પણ કોરોના મહામારીમાં કેમ સર્જાઈ તંગી

વાતાવરણમાં 21 ટકા પ્રાણવાયુ છે તો, પણ કોરોના મહામારીમાં કેમ સર્જાઈ તંગી

Gujarat, National, Science & Technology
વાપી :- મનુષ્ય સહિત અન્ય કેટલાય જીવો માટે ઓક્સિજન એ પ્રાણ બચાવતો પ્રાણવાયુ છે. અને તે પૃથ્વી પર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ પણ છે. તેમ છતાં હાલની કોરોના મહામારીમાં પ્રાણવાયુની કટોકટી દરરોજ અનેક લોકોને મૃત્યુના ખપ્પરમાં હોમી રહી છે.  ધોરણ 6 થી ધોરણ 10માં ભણતા કોઈ બાળકને પૂછો કે પૃથ્વીના વાતાવરણમાં ઓક્સિજનની માત્રા કેટલી તો તે સચોટ જવાબ આપી દેશે 21 ટકા જેટલી. પૃથ્વી એક માત્ર ગ્રહ છે. જેને  અનુકૂળ તાપમાન, પાણી, હવા અને જીવન મળ્યું છે. જે પૃથ્વીને મળેલી અમૂલ્ય ભેટ છે. પૃથ્વીની ચારે બાજુ લગભગ 800 થી 1000 કિલો મીટરની ઊંચાઈ સુધી વિવિધ વાયુનું આવરણ છે. વાતાવરણ કહેવાતા આ આવરણમાં ઓક્સિજનની એટલી માત્રા મનુષ્ય સહિત અન્ય કેટલાય જીવો માટે પ્રાણ બચાવવા પૂરતી છે.  પૃથ્વીના વાતાવરણમાં નાઈટ્રોજનનું પ્રમાણ 78.03 ટકા, ઓક્સિજનનું પ્રમાણ 20.99 ટકા, ઓર્ગોનનું પ્રમાણ 0.94 ટકા, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ...