
ભારતમાતાનું અપમાન કરનારાઓને સાથે લઈને ‘ભારત જોડો’નો કયો પ્રયત્ન કૉંગ્રેસ કરી રહી છે? નરેંદ્ર સુર્વે, પ્રવક્તા, હિંદુ જનજાગૃતિ સમિતિ
ભારતમાતાનું અપમાન કરનારાઓને લઈને ‘ભારત જોડો’ના કયા પ્રયત્નો કૉંગ્રેસ કરી રહી છે, એવો સજ્જડ પ્રશ્ન હિંદુ જનજાગૃતિ સમિતિના દિલ્લી રાજ્ય પ્રવક્તા નરેંદ્ર સુર્વેએ ઉપસ્થિત કર્યો છે.
તેમણે આ અંગે જણાવ્યું હતું કે, 75 વર્ષ પહેલાં જેમના કાર્યકાળમાં આપણા દેશનું વિભાજન થયું, તે કૉંગ્રેસ પક્ષ ‘ભારત તેરે ટુકડે હોંગે’ની ઘોષણા દેનારા કન્હૈયાકુમારને સાથે લઈને ‘ભારત જોડો’ યાત્રા કરી રહ્યો છે. પાદરી જ્યોર્જ પોનૈય્યા ભારતમાતાને ‘અપવિત્ર’ માને છે અને કેવળ ઇસુને માને છે, તેમજ હિંદુઓનાં દેવી-દેવતાઓને માનવાને બદલે તેમના અસ્તિત્વ પર જ પ્રશ્નો નિર્માણ કરે છે. રાહુલ ગાંધી જ્યોર્જ પોનૈય્યા જેવા પાદરીઓને લઈને યાત્રા કાઢે છે, તે સમયે તેમના ઉદ્દેશ પર જ પ્રશ્ન નિર્માણ થાય છે. કે, આવા ભારતમાતાનું અપમાન કરનારાઓને લઈને ‘ભારત જોડો’ના કયા પ્રયત્નો કૉંગ્રેસ કરી રહી છે,
‘ભારત તોડો’માં સહભ...