Sunday, March 16News That Matters

Gujarat

શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસે વાપીના ડુંગરા આશ્રમ ખાતે બાપુના સાધકોએ કર્યું સમૂહ પિતૃ તર્પણ અને પિંડદાન

શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસે વાપીના ડુંગરા આશ્રમ ખાતે બાપુના સાધકોએ કર્યું સમૂહ પિતૃ તર્પણ અને પિંડદાન

Gujarat, National
દર વર્ષે ભાદરવા મહિનામાં આવતા શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓનું શ્રાદ્ધ કરવાનો મહિમા છે. ત્યારે શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસ એવા ભાદરવી અમાસે વાપીના ડુંગરા ખાતે આવેલ આશારામ બાપુ આશ્રમ ખાતે સાધકોએ સમૂહમાં ઉપસ્થિત રહી અંતિમ શ્રાદ્ધ ના દિવસે પિતૃ તર્પણ અને પિંડદાન ક્રિયા કરી પિતૃઓને તૃપ્ત કર્યા હતાં. શ્રાદ્ધ પક્ષના અંતિમ દિને અને મહત્વના શ્રાદ્ધ દિન કહેવાતા દિવસને ધ્યાનમાં રાખીને વાપીના ડુંગરા ખાતે આવેલ આશારામ આશ્રમ ખાતે 1,000 જેટલા સાધકોએ સમૂહ પિતૃ તર્પણ અને પિંડદાન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ અંગે ઉપસ્થિત ભગવતી પ્રસાદ પાઠકે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 40 વર્ષથી આશ્રમમાં સેવા આપી રહ્યા છે. તેમના હસ્તે જ આશારામ બાપુએ સર્વપ્રથમ ભૈરવી ખાતે શ્રાદ્ધ ક્રિયા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જે બાદ હાલમાં 140 થી વધુ આશ્રમમાં દર વર્ષે પિતૃના કલ્યાણ માટે શ્રાદ્ધ ક્રિયાનું આયોજન કરવામાં આવે છે. ...

વાપીમાં VGEL ની AGM માં CETP ની ક્ષમતા, પાઇપલાઇન પ્રોજેકટ, સોલિડ વેસ્ટ સાઇટ, NGT અને પર્યાવરણ બાબતે ચર્ચા કરી વાર્ષિક રિપોર્ટ રજૂ કર્યો

Gujarat, National
વાપીમાં ઉદ્યોગો દ્વારા ફેલાતા પ્રદૂષણ ઉપર અંકુશ લાવવા સાથે ઉદ્યોગકારોની આર્થિક પ્રગતિને ધ્યાનમાં રાખીને 25 વર્ષથી વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડ નામની કંપનીની સ્થાપના કરવામાં આવેલી છે. જેની VGELના બોર્ડ ઓફ ડિરેક્ટરોની અને મેમ્બરોની ઉપસ્થિતિમાં વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2020-21 અને વર્ષ 2021-22 માં કંપનીએ કરેલી પ્રગતિ અને તેમના વિવિધ પ્રોજેક્ટની પાવર પ્રેઝન્ટેશનથી ચર્ચા કરવામાં આવી હતી. VGELની આ એન્યુઅલ જનરલ મીટીંગમાં નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ પર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વાપીમાં આવેલ VIA ઓડિટોરિયમ ખાતે વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડ કંપનીની 25મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મિટિંગમાં ખાસ ઉપસ્થિત રહેલા નોમિની ડિરેક્ટર એવા કનુભાઈ દેસાઈ, યોગેશ કાબરીયા અને અન્ય ડિરેક્ટરોએ એ જણાવ્યું હતું કે વાપી ગ્રીન 25 વર્ષથી વાપીને સુંદર પર્યાવરણ આપવાની કો...
વાપીમાં રોટરી દ્વારા થનગનાટ રોટરી નવરાત્રી મહોત્સવનું આયોજન, ટિકિટની અને દાતાઓના દાનની રકમ ગરીબ દર્દીઓ માટે વાપરશે

વાપીમાં રોટરી દ્વારા થનગનાટ રોટરી નવરાત્રી મહોત્સવનું આયોજન, ટિકિટની અને દાતાઓના દાનની રકમ ગરીબ દર્દીઓ માટે વાપરશે

Gujarat, National
વાપીમાં રોટરી ક્લબ ઓફ વાપી દ્વારા થનગનાટ રોટરી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. થનગનાટ 20th નવરાત્રી મહોત્સવ એ ભારતીય સંસ્કૃતિ, માતાજીની ભક્તિ અને સમાજ સેવાના ત્રિવેણી સંગમ સામો હોવાનું જણાવતા સંસ્થાના આગેવાનોએ પત્રકાર પરિષદનું આયોજન કરી વિગતો આપી હતી. કે મહોત્સવ દરમ્યાન ટિકિટની જે રકમ આવશે તે અને દાતાઓ તરફથી જે દાન મળશે તે આરોગ્ય સેવામાં વપરાશે. રોટરી ક્લબ ઓફ વાપી તરફથી આયોજિત આ પત્રકાર પરિષદમાં રોટરી પ્રમુખ હેમાંગ નાયક, પૂર્વ પ્રમુખ પ્રકાશ ભદ્રા અને સભ્યોએ જણાવ્યું હતું કે, રોટરી ક્લબ વાપીમાં સતત 22 વર્ષથી થનગનાટ નવરાત્રી મહોત્સવનું આયોજન કરે છે. જેનું કોરોના કાળના 2 વર્ષ બાદ આ વર્ષે ફરી આયોજન કર્યું છે. સંસ્કૃતિ, માતાજીની ભક્તિ અને સમાજ સેવાનો ત્રિવેણી સંગમ ધરાવતી આ પહેલ નવરાત્રીમાં થનગનતા હૈયા અને થીરગતા પગલે યુવાનોને ગરબા રમવા ઉત્સાહિત કરશે.    રોટરી સંસ્થાએ લ...
વાપીમાં વકીલ પર હુમલો કરનારા આરોપીનું વકીલાતનામું નહિ કરવા બાર એસોસિએશન દ્વારા ઠરાવ કરી સજાની માંગ કરાઈ

વાપીમાં વકીલ પર હુમલો કરનારા આરોપીનું વકીલાતનામું નહિ કરવા બાર એસોસિએશન દ્વારા ઠરાવ કરી સજાની માંગ કરાઈ

Gujarat, National
વાપીમાં વાહન તકરાર બાબતે વકીલાતનામું કરનાર વકીલ પર 2 વ્યક્તિએ હુમલો કરી કાચ તોડી એડવોકેટના હાથ પર ગંભીર ઈજા પહોંચાડી હોવાની ઘટના બની છે. જે ઘટના બાદ વાપી બાર એસોસિએશન ના વકીલોએ વાપી ટાઉન પોલીસ મથકે આરોપીઓને સજા કરવામાં આવે તેવી માંગ કરી છે. સાથે જ વકીલોએ આરોપી તરફથી કોઈ પણ વકીલ વકીલાતનામું નહિ કરે તેવો ઠરાવ કરી ઘટનાનો વિરોધ નોંધાવ્યો છે.  ઘટના અંગે મળતી વિગતો મુજબ વાપીના જાણીતા એડવોકેટ પી. એન. સીંગે એક સર્વજીત કુમાર નામના વ્યક્તિને વાહન તકરાર બાબતે કાનૂની સેવા આપી હતી. જેનાથી નારાજ જયપ્રકાશ સિંગ અને શિવા બચુ સિંગ નામના 2 લોકોએ આનંદ નગરના શાંતિ એપાર્ટમેન્ટ ખાતે એડવોકેટ પી. એન. સિંગની ઓફિસે આવી તેમની કારના કાચ તોડી વકીલ પર હુમલો કરી હાથમાં આંગળીના ભાગે ઇજા પહોંચાડી હતી. ઘટના દરમ્યાન સ્થળ પર હાજર લોકોએ દોડીને શિવા સિંગ ને દબોચી લીધો હતો. જ્યારે મુખ્ય સૂત્રધાર જય પ્રકાશ સિંગ ભાગી ગય...
વલસાડ રૂરલ પોલીસે દિવસની ઘરફોડ ચોરી કરનાર રીઢા ઘરફોડ ચોરને ઝડપી અનડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો 

વલસાડ રૂરલ પોલીસે દિવસની ઘરફોડ ચોરી કરનાર રીઢા ઘરફોડ ચોરને ઝડપી અનડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો 

Gujarat, National
વલસાડ રૂરલ પોલીસ મથક વિસ્તારમાં આવેલ ગુંદલાવ, ઘડોઇ ફાટક નજીક બંધ ફલેટનું તાળું તોડી કબાટની તિજોરીમા રાખેલ 60 હજારના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયેલા શૈલેન્દ્રકુમાર ઉર્ફે એસ.કે ઓમપ્રકાશ શર્માની રાજસ્થાનથી ધરપકડ કરી છે. વલસાડ રૂરલ પોલીસે પકડેલ રીઢા ચોર સામે સુરતના ઉમરા, અડાજણ, અમદાવાદના વેજલપુરમાં ચોરી, દારૂની હેરાફેરી સહિતના અનેક ગુન્હા નોંધાયેલ છે. પકડાયેલ આરોપી દિવસ દરમ્યાન સોસાયટી તથા એપાર્ટમન્ટમાં ફરી ચોરી કરવા બંધ મકાનને ટાર્ગેટ કરી તે મકાનના આજુબાજુના ફલેટને બહારથી અડાગરા મારી ફલેટનુ તાળુ તોડી સોના, ચાંદીના દાગીના તથા રોકડા રૂપીયાની ચોરી કરતો હતો. વલસાડ રૂરલ પોલીસની ટીમેં ગણતરીના દિવસોમાં વણશોધાયેલ દિવસની ઘરફોડ ચોરીનો ગુનો શોધી મહત્વની સફળતા મેળવી છે. મકાન માલિક જયેશ પટેલે નોંધાવી હતી ચોરીની ફરિયાદ.... ગત 26 ઓગસ્ટના વલસાડ રૂરલ પોલીસ મથક વિસ્તારમાં આવેલ ગ...
આપ પાર્ટી BJP ની B ટીમ છે, વલસાડની 5 પૈકી 3 વિધાનસભા બેઠકમાં કોંગ્રેસની મજબૂત સ્થિતિ :- નીતિન રાઉત, કોંગ્રેસ

આપ પાર્ટી BJP ની B ટીમ છે, વલસાડની 5 પૈકી 3 વિધાનસભા બેઠકમાં કોંગ્રેસની મજબૂત સ્થિતિ :- નીતિન રાઉત, કોંગ્રેસ

Gujarat, National
વલસાડ જિલ્લાની 5 વિધાનસભા ક્ષેત્રના મતદારો રસ્તા, રોજગારી સહિતની સમસ્યાને કારણે ગુજરાતની ભાજપ સરકારથી નારાજ છે. જેથી 3 વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસ માટે સાનુકૂળ સ્થિતિ હોવાનું અને આમ આદમી પાર્ટી ભાજપની B ટીમ બની પોતાના ફાયદા માટે ગરબડ કરવાની કોશિશ કરી રહી હોવાના આક્ષેપ વલસાડ જિલ્લાના 2 દિવસીય પ્રવાસે આવેલા કોંગ્રેસના MLA અને વલસાડ લોકસભા સીટના નિરીક્ષક નીતિન રાઉતે કર્યા છે.  ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022ને લઈને અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી દ્વારા વલસાડ લોકસભા સીટના નિરીક્ષક તરીકે મહારાષ્ટ્ર સરકારના માજી મંત્રી અને હાલમાં ધારાસભ્ય ડો. નિતિન રાઉતને જવાબદારી સોંપી છે. જે બાદ નીતિન રાઉત હાલ 2 દિવસથી વલસાડ જિલ્લાની 5 વિધાનસભા ક્ષેત્રનો પ્રવાસ કરી રહ્યા છે. રાઉત વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ અને અન્ય કોંગ્રેસી કાર્યકરો સાથે કરી રહેલા પ્રવાસ દરમ્યાન પક્ષના નેતાઓ, આગેવાનો, કાર્...

વલસાડનાં કપરાડા જોગવેલ ગામ નજીકના રસ્તા પર ખાંડ ભરેલી ટ્રકમાં લાગતા ખાંડ સહિત ટ્રક આગમાં સ્વાહા

Gujarat, National
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના જોગવેલ ગામ નજીક એક ખાંડ ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગતા આખેખાખી ટ્રક મુદ્દામાલ સાથે બળીને સ્વાહા થઈ જવા ગઈ છે. જો, કે. આ ઘટનામાં ટ્રકના ચાલકે સમય સૂચકતા વાપરતાં તેનો બચાવ થયો છે. ઘટના અંગે મળતી વિગતો મુજબ મહારાષ્ટ્રના નાસીકથી ખાંડ ભરીને સૂરત તરફ આવી રહેલ ટ્રક વહેલી સવારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના જોગવેલ ગામ નજીક પહોંચી હતી.  ત્યારે અચાનક ટ્રકમાં કોઈ યાંત્રીક ખાંમી સર્જાતા ટ્રકમાં નાની સરખી આગ લાગી હતી. જે જોતા ટ્રકના ડ્રાઈવરે ટ્રકને રસ્તામાં જ થોભાવી બહાર નીકળી ગયો હતો. જો કે આગનું છમકલું તે બાદ વિકરાળ આગમાં ફેરવાયું હતું. ટ્રક આગની ચપેટમાં આવી ગયા બાદ આખી ટ્રક ભડભડ સળગી ઉઠતા તેમાં રહેલા ખાંડ નો જથ્થો પણ સ્વાહા થયો હતો. બનાવને પગલે ફાયરને જાણ કરી હતી. ફાયરની ટીમ બનાવ સ્થળે આવે એ પહેલા આખી ટ્રક બળીને ભષ્મિભૂત થઈ ગઈ હતી. ઘટનાને લઈ હાઈવે ...
પાણી પુરવઠા પ્રધાન ચૌધરીના ગામના પૂજારીનું બુકાનીધારીઓએ અપહરણ કરી માર માર્યો, ઇજાગ્રસ્ત પૂજારી વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ 

પાણી પુરવઠા પ્રધાન ચૌધરીના ગામના પૂજારીનું બુકાનીધારીઓએ અપહરણ કરી માર માર્યો, ઇજાગ્રસ્ત પૂજારી વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ 

Gujarat, National
રાજ્યના પાણી પુરવઠા પ્રધાન એવા જીતુ ચૌધરીના ગામના પૂજારીનું અપહરણ કરી અજાણ્યા ઈસમોએ માર માર્યો હોવાની ઘટનાથી પંથકમાં ચકચાર મચી ગઇ છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કાકડકોપર ગામે મહાદેવના મંદિરમાં પૂજા અર્ચના કરતા પૂજારીનું 4 જેટલા બુકાનીધારીઓએ અપહરણ કર્યું હતું. જે બાદ તેને વાપી નજીક આવેલ કરમબેલા ગામ ખાતે લાવી બેફામ માર માર્યો છે. માર ના કારણે ઇજાગ્રસ્ત બનેલ પુજારીને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  કાકડકોપર ગામમાં રહેતા અને મહાદેવના મંદિરમાં પૂજા અર્ચના કરી ગુજરાન ચલાવતા ભગત રીતેશ બાબુભાઇ અંધેરનું મંગળવારે નાનાપોંઢા-વાપી હાઇવે ઉપરથી 4 ઇસમોએ ઇકો કારમાં અપહરણ કરી લઈ જતા પંથકમાં ચકચાર મચી હતી. પૂજારી સવારે ઘરેથી ચા પીવા માટે નીકળ્યા હતા ત્યારે કાકડકોપર ગામે વિમલ ગુટખા ફેકટરીની સામે પોતાની કાર નંબર GJ15-CB-5869 માંથી ઉતર્યા તે દરમ...
વાપીમાં અવિક ફાર્મા કંપનીએ 120 કામદારોને કોરોનાનો બુસ્ટર ડોઝ અપાવી સુરક્ષિત કર્યા

વાપીમાં અવિક ફાર્મા કંપનીએ 120 કામદારોને કોરોનાનો બુસ્ટર ડોઝ અપાવી સુરક્ષિત કર્યા

Gujarat, National
કોરોના કાળમાં ઉદ્યોગોએ તેમની સામાજિક જવાબદારી પુરી પાડી તેમના કર્મચારીઓને બનતી મદદ કરી છે. જો કે હજુ પણ કોરોના ગયો નથી. ત્યારે, કોરોના વેકસીનના 2 ડોઝ લીધા બાદ પ્રિકોશન માટેનો 3જા બુસ્ટર ડોઝ પ્રત્યે પણ કર્મચારીઓ જાગૃત બને અને કોરોના સામે સુરક્ષિત રહી શકે તેવા ઉદેશયથી વાપીમાં આવેલ અવિક ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લીમીટેડ વાપી ખાતે H R એડમીન ડિપાર્ટમેન્ટ દ્વારા કંપની પરિસરમાં જ 120 કર્મચારીઓને કોરોના રસીનો ત્રીજા બુસ્ટર ડોઝ અપાવ્યો હતો.  કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને હચમચાવી મુક્યા બાદ હજુ પણ કોરોનાનો કહેર નાબૂદ થયો નથી. દેશભરમાં કોરોનાની રસી શોધાયા બાદ તેના 2 ડોઝ દરેક નાગરિકોને આપી દેવામાં આવ્યા છે. જ્યારે પ્રિકોશન માટે નો 3જો બુસ્ટર ડોઝ લેવામાં હજુ પણ કેટલાક નાગરિકો ઉદાસીનતા દાખવી રહ્યા છે. ત્યારે, વાપીમાં આવેલ અવિક ફાર્માસ્યુટિકલ નામની કંપનીના H R એડમીન ડિપાર્ટમેન્ટ દ્વારા કંપનીના કર્...
બલિઠામાં પંચાયતના સત્તાધીશોએ અને વહીવટી તંત્રના અધિકારીઓએ પોતાના વિકાસ માટે બિલ્ડરો સાથે સાંઠગાંઠ રચી હાઇરાઈઝ ઇમારતોને મંજૂરી આપી દીધી?

બલિઠામાં પંચાયતના સત્તાધીશોએ અને વહીવટી તંત્રના અધિકારીઓએ પોતાના વિકાસ માટે બિલ્ડરો સાથે સાંઠગાંઠ રચી હાઇરાઈઝ ઇમારતોને મંજૂરી આપી દીધી?

Gujarat, National
વલસાડ જિલ્લાનો વાપી તાલુકો ઔદ્યોગિક ક્ષેત્રે જાણીતો તાલુકો છે. આ તાલુકામાં વાપી શહેરની સરહદને અડીને આવેલુ બલિઠા ગામ આજે પણ અનેક પાયાની સુવિધાઓથી વંચિત છે. ગામની મધ્યમાથી હાઇવે નંબર 48 અને પશ્ચિમ રેલવે લાઇન પસાર થતી હોય ગામના અનેક લોકોએ રેલવેમાં તેમજ હાઇવે પર વાહનોની અડફેટે જીવ ગુમાવ્યા છે.  સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ વિસ્તાર સતત ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે. જેને લઈને અહીં રેલવે લાઇન પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી સાથે હાઇવે પર પણ ફોરલેન ઓવરબ્રિજ બનાવવાની માંગ ઉઠતા ઓવરબ્રિજની મંજૂરી મળી છે. જો કે એક સમયે રેલવે ઓવર બ્રિજ સાથે હાઇવે ઓવરબ્રિજ બનાવવા તેના નકશા તૈયાર કરી રેલવે ઓવરબ્રિજ ની કામગીરી શરૂ કર્યા બાદ તે હજુ પણ પૂર્ણ થઈ નથી. જ્યારે બીજી તરફ હાઇવે પરના બ્રિજ માટે જમીન સંપાદન ની નોટિસ આપ્યા બાદ અને 90 ટકાને વળતર ચૂકવ્યા બાદ અચાનક આ પ્રોજેકટ સ્થાનિક મોટા જમીનદારોને બચાવવા પ...