
ધરમપુરમાં સ્વામી વિશ્વાત્માનંદજીના વરદહસ્તે વિવેકાનંદ વેલ્યુ એજ્યુકેશન એન્ડ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત થયું
શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ ધરમપુર દ્વારા નવનિર્માણ પામનારા વિવેકાનંદ વેલ્યુ એજ્યુકેશન એન્ડ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત સોમવારે શ્રી રામકૃષ્ણ અદ્વૈત આશ્રમ વારાણસીના અધ્યક્ષ સ્વામી વિશ્વાત્માનંદજીના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.
આ ખાતમુહૂર્ત વિધિ ગુજરાતભરના શ્રી રામકૃષ્ણ મિશનના ગણમાન્ય સન્યાસીઓ, શારદામઠ વલસાડના માતાજીઓ, શ્રીમદ રાજચંદ્ર મિશનના ગુરુદેવ રાકેશભાઈ ઝવેરી, ભાગવતાચાર્ય શરદભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા, ખાતમુહૂર્તની વિધિ રામકૃષ્ણદેવના પ્રણામીમંત્રના સથવારે સંપન્ન થઇ હતી.
આ પ્રસંગે ડો દોલતભાઈ દેસાઈએ તમામને આવકારી ટ્રસ્ટની વિવિધ માનવહિતકારી પ્રવૃતિઓનો ચિતાર આપ્યો હતો, બાદ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજે જણાવ્યુ કે અહીં બનનારું વિવેકાનંદ વેલ્યુ એજ્યુકેશન એન્ડ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓના મૂલ્યનિષ્ઠ શિક્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહેશે ...