Friday, October 18News That Matters

Month: August 2023

વાપીની બે કથિત મહિલા પત્રકારોની બીજા ગુનામાં પણ રેગ્યુલર જામીન અરજી નામંજૂર

વાપીની બે કથિત મહિલા પત્રકારોની બીજા ગુનામાં પણ રેગ્યુલર જામીન અરજી નામંજૂર

Gujarat, National
વાપીના એડિશનલ સેશન્સ જજ પુષ્પા સૈનીએ વાપીની બે કથિત મહિલા પત્રકારો (1) સોનિયા તુષાર ચોહાણ (2) સેમ મહેન્દ્ર શર્માની વાપી ટાઉન પોલીસ દ્વારા બીજા એક ગુનામાં ધરપકડ કર્યા બાદ આરોપીઓએ બીજા ગુનામાં પણ જામીન મુક્ત થવા કરેલ રેગ્યુલર જામીન અરજી સંદર્ભે ડી જી પી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી બંને કથિત મહિલા પત્રકારોની બીજા ગુનામાં પણ રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો છે. આ બન્ને કથિત મહિલા પત્રકારો અને ક્રિષ્ના ઝા નામના કહેવાતા પત્રકાર સામે વાપીમાં ખુશી મસાજ પાર્લર નામે મસાજ પાર્લર ચલાવતા જીતેન્દ્ર રામ પ્રવેશ સિંઘે વાપી ટાઉનમાં ફરિયાદ નોંધાવી હતી કે, આ ત્રણેયે તેમની દુકાન પર આવી વાર્ષિક પાંચ લાખ રૂપિયા આપવાની માંગણી કરી હતી. જે સંદર્ભે વાપી ટાઉન પોલીસે ફરિયાદ નોંધતા ત્રણેય ભૂગર્ભમાં ઉતરી ગયા હતાં. જે બાદ બન્ને મહિલાઓએ કરેલ આગોતરા અરજી નામંજૂર થતા આખરે પોલીસના શરણે થઈ જતા તેની ...
વાપી બાદ ઉમરગામમાં પણ ઉદ્યોગકારો-વેપારીઓ સામે પત્રકારનો રોફ જમાવતા YouTube’s ગેંગ સામે નોંધાઇ શકે છે ફરિયાદ:-સૂત્ર

વાપી બાદ ઉમરગામમાં પણ ઉદ્યોગકારો-વેપારીઓ સામે પત્રકારનો રોફ જમાવતા YouTube’s ગેંગ સામે નોંધાઇ શકે છે ફરિયાદ:-સૂત્ર

Gujarat, National
વાપીમાં ખડણી મામલે 5 કહેવાતા પત્રકારો સામે ફરિયાદ નોંધાઇ હતી. જે કેસમાં હાલ 2 મહિલા પત્રકાર નવસારી જેલમાં છે. ત્યારે આવા જ કહેવાતા યૂટ્યૂબ પત્રકારની ગેંગથી ઉમરગામમાં પણ ઉદ્યોગકારો-વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેના પર સિકંજો કસવા ઉદ્યોગકારો, વેપારીઓ કાયદાનો સહારો લેવા ફરિયાદ કરવાની તજવીજમાં હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. સૂત્રો તરફથી મળતી વિગત મુજબ ઉમરગામમાં એક પુરુષ અને એક મહિલા પોતાને પત્રકાર ગણાવી યુ ટ્યૂબ ચેનલમાં સમાચાર પ્રસારિત કરવાની ધમકીઓ આપી ઉમરગામ વિસ્તારના ઉદ્યોગકારો, વેપારીઓ પાસે સેટિંગ ડોટ કોમની ડિમાન્ડ કરતા ફરી રહ્યા છે. આ ટોળકી ઉદ્યોગકારો પાસે જઈ તેમની કંપનીના વિવિધ સરકારી મંજૂરી ના દસ્તાવેજ માંગી રૌફ જમાવી રહ્યા છે. સમાચાર પ્રસારિત કરી બદનામ કરી દેવાની ધમકીઓ આપી રહ્યા છે. ત્યારે, હવે આ ગેંગથી ત્રાસેલા લોકો આવા કહેવાતા પત્રકાર પર સિકંજો કસવામાં આવે તેવી ...
વાપી નજીક હાઇવે પર ભેંસના ટોળાએ કેમિકલ ભરેલ ટેન્કરને મરાવી પલ્ટી, હાઇવે નંબર 48 પર ટ્રાફિક જામ

વાપી નજીક હાઇવે પર ભેંસના ટોળાએ કેમિકલ ભરેલ ટેન્કરને મરાવી પલ્ટી, હાઇવે નંબર 48 પર ટ્રાફિક જામ

Gujarat, National
વાપી નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર મંગળવારે વહેલી સવારે એક કેમિકલ ભરેલ ટેન્કર પલ્ટી મારી ગયું હતું. ટેન્કર પલ્ટી મારતા તેમાં ભરેલ કેમિકલ રસ્તા પર ઢોળાયું હતું. જેને કારણે હાઇવે પર ગભરાટ નો માહોલ ઉત્પન્ન થયો હતો. મળતી વિગતો મુજબ ભેંસો નું ટોળું હાઇવે પર આવી જતા ટેન્કર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી ટેન્કર પલ્ટી મારી ગયું હતું. અને ટ્રાફિક જામ સર્જાયો હતો. વાપી નજીક પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર ગોકુલ વિહાર ગેટની સામે વહેલી સવારે એક ટેન્કર પલ્ટી મારી ગયું હતું. સીમરન ટ્રાન્સપોર્ટ કંપનીના ટેન્કર નંબર NL01-N-8088માં કેમિકલ ભરેલ હતું. આ કેમિકલ સુરતથી મુંબઈ ટેન્કરમાં લઈ જવાય રહ્યું હતું. ત્યારે હાઇવે પર ભેંસોનું ટોળું આવી જતા તેને બચાવવામાં ટેન્કર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. ટેન્કર પલ્ટી મારી જતા તેમાં ભરેલ કેમિકલ રસ્તા પર ઢોળાયું હતું. કેમિકલ રસ્તા પર...
નેશનલ હેન્ડલૂમ ડે નિમિતે દમણમાં યોજાયો હેન્ડલૂમ ફેશન શૉ, મહિલાઓ-બાળકોએ હેન્ડલૂમના વસ્ત્ર પરિધાન કરી સ્ટેજ પર કર્યું રેમ્પ વૉક…!

નેશનલ હેન્ડલૂમ ડે નિમિતે દમણમાં યોજાયો હેન્ડલૂમ ફેશન શૉ, મહિલાઓ-બાળકોએ હેન્ડલૂમના વસ્ત્ર પરિધાન કરી સ્ટેજ પર કર્યું રેમ્પ વૉક…!

Gujarat, National
સંઘપ્રદેશ દમણમાં આવેલ સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં ભાજપ મહિલા મોરચા દ્વારા નેશનલ હેન્ડલૂમ ડે નિમિત્તે હેન્ડલૂમ ફેશન શૉ નું આયોજન કર્યું હતું. આ દિવસને ધ્યાનમાં રાખી આયોજિત સાપ્તાહિક કાર્યક્રમ હેઠળ હેન્ડલૂમ ઉદ્યોગ સાથે સંકળાયેલ મહિલાઓને સન્માનિત કરી હેન્ડલૂમ ઉદ્યોગ કાયમ જળવાય રહે તેનાથી આવતી કાલનું ભવિષ્ય ગણાતા બાળકો પરિચિત બને તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાથશાળ ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે દર વર્ષે ભારત સરકાર અને વણાટ ઉદ્યોગ સાથે સંકળાયેલ સંસ્થાઓ હેન્ડલુમની ચીજવસ્તુઓ અંગે પ્રદર્શન યોજી નેશનલ હેન્ડલૂમ દિવસની ઉજવણી કરે છે. જે અંતર્ગત દમણમાં પણ નેશનલ હેન્ડલુમ ડે નિમિત્તે હેન્ડલુમ ફેશન શો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોથી માંડીને યુવાનો, મહિલાઓએ ખાદી સહિત હેન્ડલૂમમાંથી તૈયાર થયેલ વસ્ત્રોનું પરિધાન કરી દેશની અલગ અલગ સંસ્કૃતિમાં તે કેટલું મહત્વ ધરાવે છે તેનાથી ...
અખિલ ભારતીય લઘુ ઉદ્યોગ ભારતી વલસાડ જિલ્લા દ્વારા ઉદ્યોગકાર મિત્રો સાથે પરિચય બેઠક યોજાઈ

અખિલ ભારતીય લઘુ ઉદ્યોગ ભારતી વલસાડ જિલ્લા દ્વારા ઉદ્યોગકાર મિત્રો સાથે પરિચય બેઠક યોજાઈ

Gujarat, National
તારીખ 06/8/2023 ને રવિવાર નાં દિવસે આજરોજ તારીખ 06/8/2023 ને રવિવાર નાં દિવસે અખિલ ભારતીય લઘુ ઉદ્યોગ ભારતી ની વલસાડ જિલ્લા દ્વારા આયોજિત ઉદ્યોગકાર મિત્રોની મુલાકાત અને પરિચય બેઠક વાપી સ્થિત જ્ઞાનધામ ઇંગ્લિશ સ્કૂલના ઓડિટોરિયમ હોલ ખાતે આયોજિત કરવામાં આવી હતી જેમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે પ્રકાશ ચંદ્રગુપ્તા અખિલ ભારતીય સંગઠન મંત્રી તેમજ અતિથિ વિશેષ કહી શકાય એવા બળદેવભાઈ પ્રજાપતિ રાષ્ટ્રીય અધ્યક્ષ લઘુ ઉદ્યોગ ભારતી ઉપસ્થિત રહ્યા હતા. અન્ય ઉપસ્થિત અગ્રણીઓમાં જયેશભાઈ પંડ્યા પ્રમુખ લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત પ્રદેશ, ઇશ્વરભાઇ સજ્જન મહામંત્રી લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત પ્રદેશ, ઇશ્વરભાઇ પટેલ પ્રમુખ કર્ણાવતી સંભાઞ લઘુ ઉદ્યોગ ભારતી, મેહુલભાઈ પટેલ પ્રમુખ વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતી, શીલ્પેશભાઈ દેસાઈ વલસાડ જિલ્લા મહામંત્રી સતિષભાઈ પટેલ...
સંજાણ રેલવે સ્ટેશનના પુનઃ વિકાસના શિલાન્યાસ કાર્યક્રમમાં ઉમરગામ તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ દિલીપ ભંડારી મંચ ઉપર બેસવાના અભરખામાં ભાન ભૂલ્યા….?

સંજાણ રેલવે સ્ટેશનના પુનઃ વિકાસના શિલાન્યાસ કાર્યક્રમમાં ઉમરગામ તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ દિલીપ ભંડારી મંચ ઉપર બેસવાના અભરખામાં ભાન ભૂલ્યા….?

Gujarat, National
સંજાણ રેલવે સ્ટેશનના પુનઃ વિકાસના શિલાન્યાસ સમારંભમાં હાજરી આપવા આવેલા રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ ડોક્ટર કે.સી. પટેલ, પદ્મશ્રી ગફુરભાઈ બિલાખીયા, જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહ, રેલવેના ડી આર એમ મંચસ્થ હતા એ સમયે કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ઉમરગામ તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ દિલીપ ભંડારીને મંચ ઉપર સ્થાન માટે આમંત્રિત ન કરતા તેઓ નાના બાળકની જેમ રેલવે વિભાગના અધિકારીઓ સામે મંચ ઉપર કેમ બેસાડવામાં આવ્યા નથી, તમારો કાર્યક્રમ હમણાં જ બંધ કરાવી દઉં જેવા શબ્દો ઉચ્ચારી જાણે પગ પછાડતા હોય તેમ બબડવા લાગ્યા હતા. આ માહોલ જોઇ થોડી ક્ષણ માટે આજુબાજુ બેસેલા લોકોમાં હાસ્યનો મોજુ ફરી વળ્યું હતું જો કે કાર્યક્રમમાં કોઈ નારાજ ના થાય તેવા હકારાત્મક વલણ સાથે અધિકારીઓએ ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ દિલીપ ભંડારીને મંચ ઉપર અલાયદી ખુરશીની વ્યવસ્થા કરી તેમના સાથીઓ સાથે બેસાડ્યા હતા. આજનો આ કા...
ઉમરગામના સંજાણ રેલવે રેલવે સ્ટેશનનું પારસી સમાજની સંસ્કૃતિના આધારે નવીનીકરણ કરાશે

ઉમરગામના સંજાણ રેલવે રેલવે સ્ટેશનનું પારસી સમાજની સંસ્કૃતિના આધારે નવીનીકરણ કરાશે

Gujarat, National
દેશમાં આજે એક ઐતિહાસિક પગલાના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વીડિયો કોન્ફરન્સિંગના માધ્મયથી સમગ્ર દેશમાં રૂ. 24470 કરોડથી વધુ ખર્ચે પુનઃ નવીનીકરણ થનારાં 508 રેલવે સ્ટેશનો માટે શિલાન્યાસ કર્યો હતો. જે પૈકી વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ રેલવે સ્ટેશનની પણ કાયાપલટ થનાર હોય રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સંજાણ સ્ટેશનનો પુનઃ વિકાસ માટે શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો. જેની તકતીનું અનાવરણ મંત્રી કનુભાઈ અને સંસદ સભ્ય ડો. કે.સી.પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, ભારત નવી ઉર્જા અને નવા સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે ત્યારે દેશના 508 રેલવે સ્ટેશનોને રિનોવેટ કરી, નવી સુવિધા પૂરી પાડવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આજે સંજાણ અને આજુબાજુની જનતા માટે નવો સુ...
સંજાણ રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટથી પારસીઓના કીર્તિ સ્તંભની કીર્તિમાં થશે વધારો…..!

સંજાણ રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટથી પારસીઓના કીર્તિ સ્તંભની કીર્તિમાં થશે વધારો…..!

Gujarat, National
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 508 રેલવે સ્ટેશનને જે તે શહેરની ઓળખ અને સંસ્કૃતિની ઝલક સાથે નવા બનાવવા માટે e શિલાન્યાસ કર્યો છે. ત્યારે તેમાં પારસીઓનું મહત્વનું તીર્થસ્થાન મનાતા સંજાણ ગામના રેલવે સ્ટેશનને પણ પારસીઓની ઐતિહાસિક ધરોહર જેવું બનાવવાવ સાથે સંજાણ રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થતા પારસી સમાજે તેને વધાવી ખુશી વ્યક્ત કરી હતી. વલસાડ જિલ્લાનું સંજાણ ગામ પારસીઓ માટે તેમની ઐતિહાસિક સંસ્કૃતિનું સ્થળ છે. જેના રેલવે સ્ટેશનને આગામી દિવસોમાં 18 કરોડના ખર્ચે નવું બનાવવામાં આવશે. ત્યારે, આગામી દિવસોમાં સંજાણ ડે સિવાયના દિવસોમાં પણ વધુ પારસીઓ કીર્તિ સ્તંભ ની મુલાકાતે આવી શકશે તેવી લાગણી પારસી સમાજે વ્યક્તિ કરી હતી. વલસાડ જિલ્લાનું સંજાણ ગામ પારસીઓ માટે તેમની ઐતિહાસિક સંસ્કૃતિનું સ્થળ છે. જેના રેલવે સ્ટેશનને આગામી દિવસોમાં 18 કરોડના ખર્ચે નવું બનાવવામાં આવશે. ત્યારે આ શુભ પ્રસંગે ઉપસ્થિત ...
હવે મોરાઈ ROB ની પણ પોલ ખુલી…? એક ગર્ડર થયું ધરાશાયી….!

હવે મોરાઈ ROB ની પણ પોલ ખુલી…? એક ગર્ડર થયું ધરાશાયી….!

Gujarat, National
વલસાડ જિલ્લામાં ROB ના ચાલતા તકલાદી કામમાં સંજાણ બ્રિજ અને વલસાડ નજીકના બ્રિજ પર ગાબડા પડવાની ઘટનાએ ચકચાર જગાવી હતી. ત્યારે એ ઘટના હજુ સમી નથી. ત્યાં મોરાઈ ખાતે નિર્માણ પામી રહેલ ROB ની કામગીરી દરમ્યાન એક ગર્ડર ધરાશાયી થઈ જતા હવે આ બ્રિજની કામગીરી અને તેની ઠેકેદારી સામે પણ પ્રશ્નાર્થ ઉભા થયા છે. ઘટના અંગે PWD ના અધિકારી તરફથી મળેલી વિગતો મુજબ કામગીરી દરમ્યાન બ્રિજ પરનું ગર્ડર નીચે પડી ગયું છે. ઘટનામાં કોઈ જાનહાની કે અન્ય નુકસાની થઈ નથી. જો કે, વાપી નજીક મોરાઈ ગામે બની રહેલ રેલવે ઓવરબ્રિજની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. વાપીમાં વાપી ઇસ્ટ વેસ્ટ ને જોડતા મુખ્ય ફોરલેન રેલવે ઓવરબ્રિજ, બલિઠા નજીક બનતો ઓવર બ્રિજ અને મોરાઈ ફાટક પર બની રહેલ ઓવર બ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ કરવા તંત્ર ભારે જહેમત ઉઠાવી રહ્યું છે. ત્યારે સંજાણ કે વલસાડ ના ઓવરબ્રિજ જેવી તકલાદી કામગીરી આ ROB માં થાય નહિ ત...
ઉમરગામ તાલુકો ગ્રાન્ટ વાપરવામાં સૌથી પછાત…! મોદીના ડ્રિમ પ્રોજેકટને અધિકારીઓએ બનાવ્યો ખિસ્સા ભરવાનો પ્રોજેકટ…?

ઉમરગામ તાલુકો ગ્રાન્ટ વાપરવામાં સૌથી પછાત…! મોદીના ડ્રિમ પ્રોજેકટને અધિકારીઓએ બનાવ્યો ખિસ્સા ભરવાનો પ્રોજેકટ…?

Gujarat, National
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં વિકાસલક્ષી કામની ગ્રાન્ટનો ફાયદો સીધો લાભાર્થીને થાય એ માટે વચેટીયાઓને દૂર કરવા અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા છે. નવી ટેક્નોલજી પર ભાર મૂકી સરકારી લેવડદેવડમાં અનેક ફેરફાર કર્યા છે. આવા જ મોદીના ડ્રિમ પ્રોજેકટ મનાતા GeM (Government e Marketplace) પોર્ટલને હાલ અધિકારીઓ અને વેપારીઓએ ગ્રહણ લગાડ્યું છે. જેને કારણે ઉમરગામ તાલુકો ગ્રાન્ટ વાપરવામાં સૌથી પછાત તાલુકો બન્યો હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.....! દેશની દરેક ગ્રામ પંચાયતમાં વિકાસના કામ થઈ શકે, તે માટે જરૂરી તમામ પ્રકારની ખરીદી (બાંકડા, પંચાયતનું ફર્નિચર, સ્ટ્રીટ લાઈટ, કચરા પેટી અન્ય જરૂરિયાત મુજબની સાધન સામગ્રી) ઓનલાઈન ખરીદી શકે, સસ્તા દરે ખરીદી શકે, ગ્રાન્ટ મુજબના ભાવમાં ખરીદી શકે તેવા અનેક શુભ વિચાર સાથે વડાપ્રધાને Gem પોર્ટલ લોન્ચ કર્યું છે. જો કે, આ Gem પોર્ટલથી વચેટિયાઓને મળતા પૈસા અટકી જશે....