Friday, October 18News That Matters

Month: May 2023

DNH માં દારૂ-બિયર વેંચતા રિસોર્ટસ-રેસ્ટોરન્ટમાં ડબ્બલ ભાવની ઉઘાડી લૂંટ, આ રેસ્ટોરન્ટમાં ગ્રાહકો ₹ 75 ની સામે ₹ 135 ચૂકવવા પડે છે.

DNH માં દારૂ-બિયર વેંચતા રિસોર્ટસ-રેસ્ટોરન્ટમાં ડબ્બલ ભાવની ઉઘાડી લૂંટ, આ રેસ્ટોરન્ટમાં ગ્રાહકો ₹ 75 ની સામે ₹ 135 ચૂકવવા પડે છે.

Gujarat, Most Popular, National
લિકર ફી ગણાતા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં હાલ દારૂ બિયરનું સેવન કરનારા ગ્રાહકો સાથે બાર, રિસોર્ટસ રેસ્ટોરન્ટ ના માલિકો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. જેમાં એક્સાઇઝ સહિતના ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ પોતાની ભાગબટાઈમાં મશગુલ બન્યા છે. આ વિગતો હાલમાં જ એક ગ્રાહક દ્વારા આપવામાં આવી છે. જેમાં એક 75 રૂપિયાના પ્રિન્ટ ભાવના બિયરના ટીનનું બિલ 135 રૂપિયા વસુલ્યું છે. નિયમ મુજબ રિસોર્ટસ કે રેસ્ટોરન્ટમાં પ્રિન્ટ મુજબનો ભાવ લેવાનો નિયમ છે. સર્વિસ ચાર્જના બહાને 20 ટકા જેટલી રકમ રિસોર્ટસ કે રેસ્ટોરન્ટ સંચાલકો લેતા હોય છે. પરન્તુ હવે આ રિસોર્ટસ કે રેસ્ટોરન્ટના માલિકો રીતસરની ઉઘાડી લૂંટ પર આવ્યા છે. અને સીધા પ્રિન્ટ ભાવ ના બે ગણા ભાવ વસૂલી રહ્યા છે.   આવી જ ઘટના આ ગ્રાહક સાથે સેલવાસના દાદરા રિસોર્ટ એન્ડ રેસ્ટોરન્ટમાં બની છે. દાદરા રિસોર્ટસ એન્ડ રેસ્ટોરન્ટમાં દારૂ-બિયર પી...
32 साल के इंजीनियर चंद्र प्रकाशने 4 साल में 41 बार पैदल यात्रा कर के मुंबई से खाटू श्याम तक का 1350 किलोमीटर का सफर तय किया।

32 साल के इंजीनियर चंद्र प्रकाशने 4 साल में 41 बार पैदल यात्रा कर के मुंबई से खाटू श्याम तक का 1350 किलोमीटर का सफर तय किया।

Breaking News
मूल रूप से राजस्थान के रहने वाले और मुंबई को कर्मभूमि बनाने वाले इंजीनियर चन्द्र प्रकाश ढाँढ़ण पिछले 4 साल से मुंबई से राजस्थान के प्रसिद्ध तीर्थ स्थल खाटू श्याम बाबा की पैदल यात्रा कर रहे हैं। सायन्स की पढ़ाई कर के इंजीनियर बने इस युवक को खाटू श्याम बाबा की भक्ति और भजनों पर अटूट विश्वास है। जिन्होंने मजबूत मनोबल के साथ 1350 किलोमीटर की 41 पदयात्राएं पूरी कर 42वीं यात्रा के साथ बाबा के दरबार में माथा टेकने के लिए निकल पड़े हैं। जिसका वापी में रहने वाले बाबा खाटू श्याम के भक्तों ने स्वागत किया और कीर्तन कार्यक्रम आयोजित किया। राजस्थान के सीकर जिले के रामगढ़ शेखावाटी तालुका के ढाँढ़ण गांव के 32 वर्षीय चन्द्र प्रकाश ढाँढ़ण पिछले 4 साल से राजस्थान के सीकर जिले के खाटू श्याम धाम में बाबा के दर्शन के लिए पैदल यात्रा कर रहे हैं। अपनी पैदल यात्रा के बारे में चन्द्र प्रकाश ढाँढ़ण ने बताया कि मुंब...
વાપી ભાજપ તાલુકા સંગઠનના ઉપપ્રમુખની સરા જાહેર ગોળી મારી હત્યા કરી હત્યારા ફરાર

વાપી ભાજપ તાલુકા સંગઠનના ઉપપ્રમુખની સરા જાહેર ગોળી મારી હત્યા કરી હત્યારા ફરાર

Gujarat, National
વાપી તાલુકાના રાતા-કોચરવા ગામ રોડ પર આવેલ શિવમંદિરે પત્ની સાથે દર્શન કરવા ગયેલ વાપી તાલુકા ભાજપ સંગઠન ના ઉપપ્રમુખ એવા શૈલેષ પટેલ પર બાઇક પર આવેલ અજાણ્યા શખ્સોએ 3 રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા નિપજાવતા ભાજપ કાર્યકરોમાં ચકચાર મચી ગઇ છે. વાપી તાલુકા ભાજપ સંગઠનમાં ઉપપ્રમુખ નો હોદ્દો સાંભળતા શૈલેષ પટેલ પર સોમવારે સવારે 4 જેટલા અજાણ્યા હુમલાખોરોએ ફાયરિંગ કર્યું છે. આ ઘટનામાં શૈલેષ પટેલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. હાલ આ ઘટનાને લઈ પોલીસે હત્યારાઓને ઝડપી લેવા નાકાબંધી કરી તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લાના વાપી તાલુકાના રાતા-કોચરવા ગામ રોડ પર આવેલ શિવમંદિર સામે ફાયરિંગની ઘટના બનતા પંથકમાં ચકચાર મચી ગઇ છે. ધોળે દિવસે 2 બાઇક પર આવેલ 4 જેટલા ઈસમોએ મંદિર બહાર સ્કોર્પિયો કાર માં બેસેલ ભાજપના અગ્રણી શૈલેષ પટેલ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં 3 જેટલી ગોળી શૈલેષ પટેલને વાગતા તેનું ઘટના સ્...
સેલવાસમાં સ્માર્ટ સીટી બસમાં કંડક્ટરની નોકરી કરતી યુવતીએ ચોરીના આરોપથી હતાશ થઈ આપઘાત કરી લેતા સાથી કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર

સેલવાસમાં સ્માર્ટ સીટી બસમાં કંડક્ટરની નોકરી કરતી યુવતીએ ચોરીના આરોપથી હતાશ થઈ આપઘાત કરી લેતા સાથી કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર

Gujarat, National
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં કાર્યરત સ્માર્ટ સીટી બસની મહિલા કંડક્ટરે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. મૃતક યુવતી પર સ્માર્ટ સીટી બસના સંચાલકે ચોરીનો આરોપ મૂકી અપમાનિત કરી હતી. જેથી હતાશ થઈ યુવતીએ આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં સ્માર્ટ સીટી બસના કર્મચારીઓએ હડતાળ પાડી બસ સંચાલકો સામે આક્રોશનો સુર વ્યક્ત કર્યો છે. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના મોરખલના બરડપાડા ગામે રહેતી અને છેલ્લા 3 વર્ષથી સેલવાસ સ્માર્ટ સીટી બસમાં મહિલા કંડકટર તરીકે ફરજ બજાવતી સરસ્વતી ભોયા નામની યુવતીએ તેમના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સ્માર્ટ સીટી બસના સંચાલકો સામે યુવતીના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યા છે. યુવતીના અપમૃત્યુ બાદ સ્માર્ટ સીટી બસના અન્ય કર્મચારીઓએ પણ હડતાળ પાડી આક્રોશ વ્યક્ત કર્યો છે. ઘટના અંગે મૃતક યુવતીના પિતાએ જણાવ્યું હતું કે, તેમની દીકરી પર ચોરીનો આર...
દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ લગ્નમાં 11 દીકરા-દીકરીઓને લગ્ન બંધનમાં બાંધી સુખી લગ્નજીવનના આશીર્વાદ આપ્યા

દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ લગ્નમાં 11 દીકરા-દીકરીઓને લગ્ન બંધનમાં બાંધી સુખી લગ્નજીવનના આશીર્વાદ આપ્યા

Gujarat, National
શનિવારે 6 મેં 2023ના દિવસે દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી દમણ જિલ્લા કોળી સમાજ હોલમાં આયોજિત આ દ્વિતીય સમૂહ લગ્નમાં 11 દીકરા-દીકરીઓ અગ્નિની સાક્ષીએ અને ભુદેવોના મંત્રોચ્ચાર વચ્ચે સાતફેરા ફરી લગ્ન બંધનમાં બંધાયા હતાં. જેને ઉપસ્થિત તમામ સમાજના આગેવાનોએ સુખી લગ્નજીવનના આશીર્વાદ આપ્યા હતાં. યુનિયન ટેરિટરી ગણાતા દમણમાં શ્રી દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા 6 મેં 2023ના શનિવારે દ્વિતીય સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 11 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતાં. લગ્નના આ શુભ અવસરે આદિવાસી સમાજની પરંપરાગત શૈલીમાં ગ્રહશાંતક બાદ તમામ વરરાજાઓને શણગારેલા ઘોડાઓ પર બેસાડી આદિવાસી વાજિંત્રો ના મધુર ધ્વનિ સંગાથે ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ઘોડા પર સવાર તમામ વરરાજાઓ વાજતે ગાજતે લગ્ન મંડપ સ્થળે પહોંચ્યા હતાં. લગ્ન મંડપ સ્થળે ઉપસ...
વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની 52મી AGM માં સતીશ પટેલની VIA ના પ્રમુખ તરીકે નિમણૂક

વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની 52મી AGM માં સતીશ પટેલની VIA ના પ્રમુખ તરીકે નિમણૂક

Gujarat, National
વાપીમાં શનિવારે 5મી મેં 2023ના VIA ઓડિટોરિયમ ખાતે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ની 52મી Annual General Meeting (AGM)નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયેલ આ વાર્ષિક સામાન્ય સભામાં તમામ VIA ના મેમ્બરોની ઉપસ્થિતિમાં સતીશ પટેલને વર્ષ 2023થી 2026 ના કાર્યકાળ માટે પ્રમુખ તરીકેનો કાર્યભાર સોંપાયો હતો. VIA ની AGM માં વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાથે સંકળાયેલ તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. આ તમામ ઉદ્યોગકારોની ઉપસ્થિતિમાં VIA માં 6 વર્ષથી સેક્રેટરી તરીકે સેવા બજાવતા સતીશ પટેલને VIA ના નવા પ્રમુખ ઘોષિત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે પૂર્વ પ્રમુખ કમલેશ પટેલ, પ્રકાશ ભદ્રા, યોગેશ કાબરીયાના કાર્યકાળ દરમ્યાન વાપીના ઉદ્યોગોના હિતમાં લેવાયેલા નિર્ણયો, વિકાસના કાર્યોની વિગતો સભ્યો સમક્ષ રજુ કરવામાં આવી હતી. AGMમાં પાછલા વિકાસના કાર્યો નો હિસાબ આપ્યા બાદ ...
જમીયત ઉલમાં ટ્રસ્ટ વાપી દ્વારા બેરોજગાર યુવાનો માટે જોબ ફેર નું આયોજન કરાયું

જમીયત ઉલમાં ટ્રસ્ટ વાપી દ્વારા બેરોજગાર યુવાનો માટે જોબ ફેર નું આયોજન કરાયું

Gujarat, National
વાપીમાં બિન વારસી મૃતદેહોને તેની અંતિમ મંઝીલે પહોંચાડવાનું સેવાકીય કાર્ય કરતા જમીયત ઉલમાં વાપી ટ્રસ્ટ દ્વારા બેરોજગાર યુવાનો માટે Free Entry Job Drive નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 70 જેટલા યુવાનો પોતાના બાયોડેટા સાથે ઉપસ્થિત રહ્યા હતાં. વાપીમાં ગોદાલ નગરમાં આવેલ જમાત ખાના ઘાંચી હોલમાં જમીયત ઉલમાં ટ્રસ્ટ વાપી દ્વારા free Entry Job Drive નું આયોજન કર્યું હતું. વાપીમાં વસતા દરેક સમાજના પરિવારોના યુવાનોને રોજગાર મળે તે માટે આયોજિત આ જોબ ફેર અંગે ટ્રસ્ટના પ્રમુખ ઇન્તેખાબ ખાને જણાવ્યું હતું કે, આજકાલ અનેક પરિવારના દીકરા દીકરીઓ આત્મહત્યા જેવું પગલું ભરી લેતા હોય છે. વાપીમાં છેલ્લા 2 દિવસમાં 9 અપમૃત્યુના કેસ બન્યા છે. જેમાં 4 આપઘાત ના કેસ હતાં. જેઓ રોજગારી નહિ મળતા ચિંતાગ્રસ્ત હતાં. આવા અનેક કેસ તેમની સામે આવતા હોય અમદાવાદની સંસ્થા સાથે મળી આ રોજગાર કેમ્પનું આયોજન કરવામાં આવ્...
વાપી રેલવે સ્ટેશને અજાણી મહિલાનું ટ્રેન અડફેટે મોત, ચલાના રોયલ ડ્રિમના ફ્લેટમાંથી વૃદ્ધ મૃત હાલતમાં મળ્યા

વાપી રેલવે સ્ટેશને અજાણી મહિલાનું ટ્રેન અડફેટે મોત, ચલાના રોયલ ડ્રિમના ફ્લેટમાંથી વૃદ્ધ મૃત હાલતમાં મળ્યા

Gujarat, National
વલસાડ જિલ્લાના વાપી રેલવે સ્ટેશને બુધવારે વહેલી સવારે એક 50 વર્ષીય વૃદ્ધા નું ટ્રેન અડફેટે મોત નીપજ્યું હતું. જેની ઓળખ માટે વાપી રેલવે પોલીસ સ્ટેશન દ્વારા જાણકારી આપવા અપીલ કરાઈ છે. તો, ચલામાં આવેલ રોયલ ડ્રિમ સોસાયટીના એક ફ્લેટમાંથી એક વૃદ્ધનો મૃતદેહ પણ મળી આવ્યો હોય અને પારડીમાં પણ એક આપઘાતનો બનાવ બન્યો હોય પંથકમાં અરેરાટી ફેલાઈ છે.   વાપીના જમીયત ઊલમાં ટ્રસ્ટ વાપીના ઇન્તેખાબ ખાને વિગતો આપી હતી કે, વાપી રેલવે પોલીસ સ્ટેશન તરફથી તેમને ફોન આવેલ કે રેલવેમાં એક 50 વર્ષીય મહિલા કપાઈ ગઈ છે. જે બાદ તેમની સંસ્થાના સભ્યો સાથે તે વાપી રેલવે સ્ટેશને પહોંચી મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે ચલા સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ માટે લઈ જઈ રહ્યા છે. મૃતકની ઓળખ અંગે વાપી રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈએ અને નરેન્દ્રસિંહે વિગતો આપી હતી કે, બુધવારે 3જી મેં ના વહેલી સવારે વાપ...
ભિલાડના ઇન્ડિયાપાડાના ૐ ત્રીનેશ્વર મહાદેવ મંદિરે 51 શક્તિપીઠના નિર્માણ માટે MLA સાહિત 11 દાતાઓનો મળ્યો સહકાર, 11 મંદિરના નિર્માણ માટે દાનની કરી જાહેરાત

ભિલાડના ઇન્ડિયાપાડાના ૐ ત્રીનેશ્વર મહાદેવ મંદિરે 51 શક્તિપીઠના નિર્માણ માટે MLA સાહિત 11 દાતાઓનો મળ્યો સહકાર, 11 મંદિરના નિર્માણ માટે દાનની કરી જાહેરાત

Gujarat, National
વલસાડ જિલ્લામાં ઉમરગામ તાલુકાના ભિલાડમાં ઇન્ડિયાપાડા ખાતે આગામી દિવસોમાં 51 શક્તિપીઠ નું નિર્માણ થવાનું છે. આ 51 શક્તિપીઠ ના નિર્માણમાં દાતાઓ ઉદાર હાથે દાન આપે તેનું સ્થાનિક ધારાસભ્ય રમણલાલ પાટકરે બીડું ઝડપ્યું છે. ૐ ત્રીનેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરનારા આદિવાસી ગજાનન મહારાજે 5 એકર જમીન દાનમાં આપી 51 શક્તિપીઠ ધામ બનાવવાનો નીર્ધાર કર્યો છે. જેમાં MLA પાટકર ના સહયોગથી પ્રથમ 11 મંદિર માટે દાતાઓએ આગળ આવી દાન આપવાની જાહેરાત કરી છે.   30મી એપ્રિલે ભિલાડ નરોલી માર્ગ પર આવેલ ૐ ત્રીનેશ્વર મહાદેવ મંદિર ના પૂજારી ગજાનન મહારાજ સાથે સ્થાનિક ધારાસભ્ય રમણલાલ પાટકર, ભાજપના આગેવાનો, ઉદ્યોગપતિઓએ બેઠક કરી હતી. જેમાં અહીં નિર્માણ થનારા 51 શક્તિપીઠ ધામ માટે પ્રથમ 11 મંદિરના દાતાઓનો સહકાર લઈ આગામી દિવસોમાં શક્તિપીઠના નિર્માણનું ખાતમુહૂર્ત અને તે બાદ મંદિર નિર્માણની કામગીરી શરૂ કરવા સંકલ્પ લેવ...