Friday, October 18News That Matters

Month: May 2023

વટારના સરપંચ-ઉપસરપંચે તળાવની માટી દમણની કંપનીઓને વેંચી દઇ ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ગ્રામજનોએ કલેક્ટર-ખાણ ખનીજ માં કરી લેખિત અરજી

વટારના સરપંચ-ઉપસરપંચે તળાવની માટી દમણની કંપનીઓને વેંચી દઇ ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ગ્રામજનોએ કલેક્ટર-ખાણ ખનીજ માં કરી લેખિત અરજી

Gujarat, National
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના વટાર ગામે સરપંચ અને ઉપસરપંચે સત્તાનો દુરુપયોગ કરી ગામના તળાવને ઊંડું કરવાના નામે કોન્ટ્રાકટર સાથે મળી તળાવની માટી દમણની કંપનીઓમાં વેંચી દઈ ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ફરિયાદ સ્થાનિક ગ્રામજનોએ વલસાડ કલેકટર અને ખાણ ખનીજ વિભાગ સહિતના વિભાગોમાં કરી છે. આ અંગે મળતી વિગતો મુજબ વટાર ગામના ગ્રામજનોએ વલસાડ કલેકટર, વલસાડ ખાણ ખનીજ વિભાગ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી ને લેખિતમાં અરજી કરી છે. અરજીમાં ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે. ગામના સરપંચે અને ઉપસરપંચે તળાવને ઊંડું કરવાની અને તેની માટી વેંચવાની કામગીરીમાં કોન્ટ્રાકટર સાથે મળી ભ્રષ્ટાચાર આચર્યો છે. ગ્રામજનોને કરેલી અરજી મુજબ વટાર ગામે પાંચિયા ફળિયામાં ખંભળાવ તળાવ આવેલું છે. આ તળાવને ઊંડું કરવા દમણની એક કોન્ટ્રાક્ટરને મંજૂરી આપી છે. ગ્રામ સભાને બદલે સામાન્ય સભામાં આ બાબતે ઠરાવ કરી દમણના ક...
વાપીમાં માથાભારે રીક્ષા ચાલકે મહિલા સાથે કર્યું અભદ્ર વર્તન, જુઓ પછી પોલીસે રીક્ષા ચાલકને કેવો પાઠ ભણાવ્યો?

વાપીમાં માથાભારે રીક્ષા ચાલકે મહિલા સાથે કર્યું અભદ્ર વર્તન, જુઓ પછી પોલીસે રીક્ષા ચાલકને કેવો પાઠ ભણાવ્યો?

Gujarat, Most Popular, National
વાપીમાં મહિલા સાથે અભદ્ર ટિપ્પણી કરનાર માથાભારે રીક્ષા ચાલક સામે પોલીસે કાયદાનો દંડો ઉગામી બરાબરનો પાઠ ભણાવ્યો છે. આ ઘટના અંગે મળતી વિગતો મુજબ વાપી રેલવે સ્ટેશને એક મહિલા સાથે ગીતાનગર ના માથાભારે રીક્ષા ચાલકે ગેરવર્તન કરી અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. જેનો વિડિઓ વાયરલ થતા વાપી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી રીક્ષા ચાલકને ધાક બેસાડતો પાઠ ભણાવ્યો છે. આ અંગે વાપી ટાઉન પોલીસે આપેલી વિગતો મુજબ વાપી રેલવે સ્ટેશને સેલવાસની એક રીક્ષા ચાલક મહિલા પોતાના પારિવારિક સભ્યને લેવા આવી હતી. તે દરમ્યાન તેમણે રેલવે સ્ટેશન સામે પોતાની રીક્ષા પાર્ક કરી હતી. જ્યાં વાપી ગીતાનગરમાં રહેતા અને રીક્ષા ચલાવતા આરીફ સૈયદ ઉર્ફે માંજરાએ મહિલા સાથે ગેરવર્તન કરી અભદ્ર ભાષાનો પ્રયોગ કરી દાદાગીરી કરી હતી. આ સમગ્ર ઘટનાનો ભોગ બનનાર મહિલાએ વિડિઓ ઉતારી વાયરલ કરવા સાથે પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદ આધારે વલ...
વાપીમાં Malabar Gold & Diamond શૉ-રૂમ ખાતે ‘Brides of India’ થીમ હેઠળ યોજાયું જવેલરી પ્રદર્શન

વાપીમાં Malabar Gold & Diamond શૉ-રૂમ ખાતે ‘Brides of India’ થીમ હેઠળ યોજાયું જવેલરી પ્રદર્શન

Gujarat, National
અવનવી આધુનિક ડિઝાઇનના આભૂષણોના શોખીનો માટે વાપીમાં રવિવારનો દિવસ કઇંક નોખો-અનોખો હતો. રવિવારે વાપીમાં પોતાનો શો-રૂમ ધરાવતા મલબાર ગોલ્ડ અને ડાયમંડ શૉ-રૂમ ખાતે 'બ્રાઇડ્સ ઓફ ઇન્ડિયા' થીમ હેઠળ જવેલરી પ્રદર્શન યોજાયું હતું. જેમાં ભારતના વિવિધ રાજ્યોમાં લગ્નપ્રસંગમાં પહેરવામાં આવતા લેટેસ્ટ ડિઝાઇનના આભૂષણોને 30 જેટલી મહિલાઓએ ગ્રાહકો સામે પ્રદર્શિત કરી હતી. વાપીમાં હાલમાં જ શરૂ થયેલા દેશના જાણીતા Malbar Gold & Diamond શૉ રૂમ ખાતે કંપની દ્વારા બનાવવામાં આવેલ લેટેસ્ટ ડિઝાઇનના સોના-ચાંદી, ડાયમંડ, પ્લેટીનમના ઘરેણાઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ અંગે વાપીના Malabar શૉ-રૂમના મેનેજર સુનિલ લીંબાચીયાએ જણાવ્યું હતું કે, વાપીમાં આ કંપનીનો નવો શૉ-રૂમ છે. મલબાર દર વર્ષે દરેક શૉ રૂમ ખાતે વિશેષ થીમ પર આ પ્રકારની ઇવેન્ટનું આયોજન કરે છે. આ વર્ષે કંપનીએ દુલહન માટેના લેટેસ્ટ ડિઝાઇનના આભૂષણોના પ્રદર્...
વાપીના UPL-મુક્તિધામમાં 6 વર્ષમાં 4763 જેટલા મૃતદેહોના અગ્નિસંસ્કાર સાથે 9,52,600 કિલો લાકડાની બચત કરી

વાપીના UPL-મુક્તિધામમાં 6 વર્ષમાં 4763 જેટલા મૃતદેહોના અગ્નિસંસ્કાર સાથે 9,52,600 કિલો લાકડાની બચત કરી

Gujarat, National
આજથી 6 વર્ષ પહેલા તા. 27 મે 2017 ના રોજ કૃષિ, ખેડૂત કલ્યાણ અને પંચાયતી રાજના રાજ્ય કક્ષાના મંત્રી પુરષોતમભાઈ રૂપાલા અને રસાયણ અને ખાતર, માર્ગ પરિવહન, ધોરીમાર્ગો અને શિપિંગના રાજ્ય કક્ષાના મંત્રી મનસુખભાઇ માંડવીયાના વરદ હસ્તે, વાપી ઔદ્યોગિક ક્ષેત્ર અને તેની આસપાસની જાહેર જનતા માટે, VIA દ્વારા સંચાલિત - મુક્તિધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક આધુનિક અને ઇકો ફ્રેન્ડલી મુક્તિધામનું લોકાર્પણ વાપી ઔદ્યોગિક ક્ષેત્ર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં આજ દિન સુધી લગભગ 4763 જેટલા મૃતદેહોનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો છે. જેને કારણે લગભગ 9,52,600 Kg જેટલા લાકડાની બચત થઇ છે. મુક્તિધામને 6 વર્ષ પૂર્ણ થયા તે નિમિતે છેલ્લા 6 વર્ષનો ચિતાર મેળવવા અને તેની ઉજવણી રૂપે આજ રોજ upl -મુક્તિધામ ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુક્તિધામની છેલ્લા 6 વર્ષની કામગીરી વિષે વિગતવાર ચિતાર મેળવવામાં આવ્યો...
હિટવેવ, કમોસમી વરસાદને કારણે વલસાડમાં કેરીના પાકનું ઉત્પાદન અને મીઠાશ ઘટી

હિટવેવ, કમોસમી વરસાદને કારણે વલસાડમાં કેરીના પાકનું ઉત્પાદન અને મીઠાશ ઘટી

Gujarat, National
વલસાડ જિલ્લો કેરીના ઉત્પાદન અને તેની મીઠાસ માટે જાણીતો છે. પરંતુ, હાલમાં વાતાવરણમાં આવતા પલટા ને કારણે આ જિલ્લામાં ખેડૂતોને મોટેપાયે નુકસાન ગયું છે. તેમ છતાં સરકારે પાક નુક્સાનીની સહાયમાં વલસાડ જિલ્લાના ખેડૂતોને બાકાત રાખ્યા છે. જ્યારે બીજી તરફ મોટાભાગની કેરી કેનિંગમાં મોકલવાની નોબત આવી છે. વલસાડ જિલ્લાની વિવિધ કેરી માર્કેટમાં હાલ કેરીની ડિમાન્ડ વધી છે. ખેડૂતો પોતાની આંબાવાડીમાંથી વેપારીઓને ત્યાં કેરી વેંચાણ માટે લાવી રહ્યા છે. એક સમયે તાલુકાની વિવિધ માર્કેટમાં દૈનિક 1500 ટન કેરીની આવક થતી હતી જેની સામે હાલ માત્ર 400 ટન આસપાસ જ કેરીની આવક થઈ રહી છે. જે અંગે વેપારીઓ-ખેડૂતો ગ્લોબલ વોર્મિંગ અને કમોસમી વરસાદને નુક્સાનીનું મુખ્ય કારણ માની રહ્યા છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાનાં જાણીતા કેરીના વેપારી એવા આશાપુરા ફ્રુટ કંપનીના ધર્મેન્દ્રસિંહ ચૌહાણે આ અંગે જણાવ્યું હતું કે, ગુજરાતમા...
ગાય માતાને રાષ્ટ્રીય પશુનો દરજ્જો મળે, ગૌસેવા પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે માટે ભાગવત કથાનું આયોજન

ગાય માતાને રાષ્ટ્રીય પશુનો દરજ્જો મળે, ગૌસેવા પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે માટે ભાગવત કથાનું આયોજન

Gujarat, National
વાપીમાં ગુંજન વિસ્તારમાં આવેલ અંબા માતા મંદિરના પ્રાંગણમાં ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી મદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભાગવત કથા ના ઉદેશ્ય અંગે પ્રમોદ ઉપાધ્યાય અને કાર્તિક જોષીએ જણાવ્યું હતું કે, દેશમાં ભગવાન કૃષ્ણ ના મંદિર બનાવવા કરતા તેમની પ્રિય ગાય માતાની સેવા કરવાથી વૈકુંઠ ધામના દર્શન થશે. આ સેવકાર્યમાં દાતાઓ દાનની શરવાણી વહાવે, ગાય માતાને રાષ્ટ્રીય પશુ નો દરજ્જો મળે, લોકો ગૌસેવા માટે આગળ આવે તેની જનજાગૃતિ માટે આ કથાનું આયોજન કરાયું છે. સાપ્તાહિક કથામાં ભાગવત્તાચાર્ય પંડિત ગોપાલ શાસ્ત્રી દ્વારા ઉપસ્થિત ભક્તોને કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. કથા અંગે પંડિત સંત ગોપાલજી મહારાજે જણાવ્યું હતું કે, ગૌ સેવા હોય કે, કન્યા વિવાહ લાભાર્થે જ્યાં પણ શ્રી મદ ભાગવત કથાનું આયોજન થાય ત્યાં પંડિતજી નિઃશુલ્ક કથાનું રસપાન કરાવે છે. કથામાં ગૌમાતાના લાભાર્...
વાપીમાં બ્રાન્ડેડ કંપનીના બાથવેર-કિચનવેર, ટાઇલ્સ, સીરામીકની વિશાળ રેન્જ ધરાવતા માર્બલ પાર્કનું નાણાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન

વાપીમાં બ્રાન્ડેડ કંપનીના બાથવેર-કિચનવેર, ટાઇલ્સ, સીરામીકની વિશાળ રેન્જ ધરાવતા માર્બલ પાર્કનું નાણાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન

Gujarat, National
વાપીમાં ચાર રસ્તા નજીક દક્ષિણ ગુજરાતના સૌથી મોટા માર્બલ પાર્ક શૉ રૂમનું રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ માર્બલ પાર્ક શૉ રૂમમાં દેશ-વિદેશની વિવિધ બ્રાન્ડના લકઝરીયસ બાથરૂમ સેટ, કિચનવેર, ટાઈલ્સ, સીરામિક્સ સહિતની પ્રોડક્ટ ઉપલબ્ધ કરવામાં આવી છે. બ્રાન્ડેડ કંપનીના બાથવેર-કિચનવેર, ટાઇલ્સ, સીરામીકની વિશાળ રેન્જ ધરાવતા માર્બલ પાર્કના અરુણભાઈ અને તેના દીકરાઓ નિકુંજ અને પ્રાંજલના જણાવ્યા મુજબ આ માર્બલ પાર્ક શો રૂમમાં દરેક પ્રકારની અદ્યતન વેરાયટી ઉપલબ્ધ છે. જે માટે દેશની અને વિદેશની વિવિધ જાણીતી કંપનીઓ સાથે ટાઈ-અપ કરવામાં આવ્યું છે. માર્બલ પાર્કમાં આવનાર દરેક ગ્રાહક Aquant, Carysil, AO-Smith, Qutone, TOTO, hansgrohe, Zero-B, Simero, American Standerd, Grohe, Grundfros, Mozart, Vermora ટાઇલ્સ-બાથવેર, Grafite સીરામિક્સ, Kajaria જેવી કંપનીની પ્રોડક્ટ ર...
भिलाड़वासियों ने शांतिदूत का किया भव्य स्वागत, आचारयुक्त ज्ञान ही है परिपूर्ण ज्ञान – आचार्य महाश्रमण

भिलाड़वासियों ने शांतिदूत का किया भव्य स्वागत, आचारयुक्त ज्ञान ही है परिपूर्ण ज्ञान – आचार्य महाश्रमण

Gujarat, National
दादरा नगर हवेली को आध्यात्मिक आलोक से आलोकित कर जैन श्वेतांबर तेरापंथ धर्मसंघ के वर्तमान अनुशास्ता आचार्य महाश्रमण का गुरुवार को भिलाड़ में पदार्पण होने पर भिलाड़वासियों ने भव्य स्वागत किया। अपनी धवल सेना संग भिलाड़ के स्वामीनारायण गुरुकुल में श्रद्धालुओं को प्रवचन दिया। इससे पूर्व 15 किमी का विहार कर भिलाड़ की सीमा में पहुंचने पर लोगों ने बुलंद जयघोष के साथ अभिनंदन किया। बाद में गुरुकुल में बने प्रार्थनालयम में भीकमजी बैद व पवन बैद परिवार द्वारा आयोजित मुख्य प्रवचन कार्यक्रम में आचार्य महाश्रमण ने कहा कि शास्त्र के एक श्लोक में बताया गया है कि पहले ज्ञान और फिर बाद में दया और आचरण। दुनिया में ज्ञान का परम महत्व है और अपने आप में ज्ञान पवित्र तत्व है। जिसके पास कुसाग्र बुद्धि हो, ज्ञान का खूब अच्छा विकास हो तो समझना चाहिए कि उसके ज्ञानावरणीय कर्म का अच्छा क्षयोपशम है। आचार्य ने कहा...
ભિલાડમાં જૈન સમાજે આચાર્ય મહાશ્રમણજીનું ભવ્ય સ્વાગત કરી આશીર્વચનનો લ્હાવો લીધો

ભિલાડમાં જૈન સમાજે આચાર્ય મહાશ્રમણજીનું ભવ્ય સ્વાગત કરી આશીર્વચનનો લ્હાવો લીધો

Gujarat, National
તીર્થંકરના પ્રતિનિધિ, મહાન તપસ્વી, અહિંસા યાત્રા બાદ દેશભરમાં વ્યસન મુક્તિ, નૈતિકતા, સામાજિક સદભાવનાના સંદેશ સાથે અણુંવ્રત યાત્રાના પ્રણેતા એવા યુગ પ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજી તેમની ધવલસેના સાથે ઔદ્યોગિક નગરી વાપીથી મુંબઈ તરફ પોતાની યાત્રા આગળ વધારી રહ્યા છે. ત્યારે તેમની આ યાત્રાનું ભિલાડ ખાતે તેરાપંથ જૈન સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ ભિલાડ ખાતે આવેલ સ્વામિનારાયણ હોલમાં પ્રવચનનો લ્હાવો લીધો હતો. વલસાડ જિલ્લાના વાપી બાદ ભિલાડ ખાતે યુગપ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભિલાડ ખાતે જાણીતા ઉદ્યોગકારો એવા પવનકુમાર બૈડ અને તેમના પરિવાર દ્વારા આ માટે વિશેષ અયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પવનકુમાર બૈડ સહિત તેમના પરિવારજનોએ અને જૈન સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા આધ્યાત્મિક સ્વાગત કરી ઉમળકાભેર અણુંવ્રત રેલીમાં જોડાયા હતાં. ભિલાડ રેલવે ગરનાળાથી સ્...
દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખે જિલ્લા પંચાયતનો આજથી વિધિવત ચાર્જ સાંભળ્યો

દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખે જિલ્લા પંચાયતનો આજથી વિધિવત ચાર્જ સાંભળ્યો

Gujarat, National
કેન્દ્રશાસિત પ્રદેશ દમણ જિલ્લા પંચાયતની ચૂંટણી બાદ નવા પ્રમુખ - ઉપપ્રમુખ ચૂંટવામાં આવ્યા છે. આ ચૂંટાયેલા નવા પ્રમુખ જાગૃતિબેન પટેલ અને ઉપપ્રમુખ બાબુભાઈ પટેલે સોમવારે વિધિવત પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. જેઓને દમણ સાંસદ સહિત પંચાયત ના સભ્યોએ શુભેચ્છાઓ પાઠવી હતી. દમણ જિલ્લા પંચાયતના નવા ચૂંટાયેલા પ્રમુખ જાગૃતિબેન કલ્પેશભાઈ પટેલે આજે તેમના કાર્યાલયમાં શ્રી મંગલમૂર્તિ ગણેશજીનું પૂજન કર્યા બાદ પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે દમણ દીવના સાંસદ લાલુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પ્રમુખ જાગૃતિબેનને શુભકામનાઓ પાઠવી હતી, તો બીજી તરફ ઉપપ્રમુખ નો પદભાર સંભાળનાર બાબુભાઈ પટેલે પણ પ્રમુખને શુભકામના પાઠવી હતી. તેમણે સવારે ઓફિસમાં પૂજા કર્યા પછી, જિલ્લા પં. ઉપપ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ જાગૃતિબેન પટેલે જિલ્લા પંચાયતના તમામ હાજર સભ્યો સાથે મળીને કેન્...