Friday, October 18News That Matters

Month: August 2022

પ્રધાનમંત્રી મોદીએ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર ખાતે હોસ્પિટલનું ઉદ્ઘાટન તેમજ સેન્ટર ઑફ એક્સેલન્સ ફોર વુમન અને એનિમલ હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રી મોદીએ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર ખાતે હોસ્પિટલનું ઉદ્ઘાટન તેમજ સેન્ટર ઑફ એક્સેલન્સ ફોર વુમન અને એનિમલ હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો

Gujarat, Most Popular, National, Science & Technology
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના વલસાડ જિલ્લામાં શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુરના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે હોસ્પિટલ પ્રોજેક્ટ મહિલાઓ અને સમાજના અન્ય જરૂરિયાતમંદ વર્ગો માટે મોટી સેવા સાબિત થશે. તેમણે શ્રીમદ રાજચંદ્ર મિશનની મૂક સેવાની ભાવનાની પ્રશંસા કરી હતી.     મિશન સાથેના તેમના લાંબા જોડાણને યાદ કરતાં, પ્રધાનમંત્રીએ તેમની સેવાના રેકોર્ડની પ્રશંસા કરી અને કહ્યું કે આઝાદી કા અમૃત મહોત્સવના આજના સમયમાં ફરજની આ ભાવના સમયની જરૂરિયાત છે. પીએમએ ગુજરાતમાં ગ્રામીણ સ્વાસ્થ્ય ક્ષેત્રે પૂજ્ય ગુરુદેવના નેતૃત્વમાં શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા કરવામાં આવેલા પ્રશંસનીય કાર્ય પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે નવી હોસ્...
વાપીમાં GPCB નો સપાટો, થેલો ને ક્લોઝર, ક્રિએટિવ અને કુંદર કેમિકલને લાખોના દંડ સાથે નોટિસ?

વાપીમાં GPCB નો સપાટો, થેલો ને ક્લોઝર, ક્રિએટિવ અને કુંદર કેમિકલને લાખોના દંડ સાથે નોટિસ?

Gujarat, Most Popular, National
વાપી GIDC માં ઉદ્યોગો દ્વારા પર્યાવરણને થતા નુકસાન સામે GPCB એ લાલ આંખ કરી છે. હવા, પાણીના પ્રદુષણ માટે બદનામ વાપી GIDC ના ઉદ્યોગો સામે GPCBએ છેલ્લા ત્રણેક મહિનામાં સપાટો બોલાવ્યો છે. ત્યારે હાલમાં GPCB એ વાપીમાં આવેલ થેલો કલર્સ નામની કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે. તો, ક્રિએટિવ ટેકસ્ટાઈલ્સને 38 લાખનો દંડ અને નોટિસ ઓફ ડાયરેક્શન આપ્યું છે. અન્ય કંપની કુંદર કેમિકલને 25 લાખનો દંડ અને નોટિસ ઓફ ડાયરેક્શન આપતા વાપીના ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો છે. ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા વાપીની 3 કંપની સામે કાયદાનો દંડો ઉગામતા GIDC ના અન્ય ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો છે. આ અંગે મળતી વિગત મુજબ GPCB દ્વારા વાપી GIDCના 3rd ફેઝમાં પ્લોટ નંબર 808/A/1&3 માં આવેલ થેલો કલર્સ પ્રાઇવેટ લીમીટેડ નામની કંપનીને ક્લોઝર નોટિસ આપી છે. કંપની સામે GPCB એ સેક્શન 5 હેઠળ 15 દિવસની ક્લોઝર નોટિસ ફટકારી જવાબ ...
વલસાડના ધરમપુર ખાતે 250 બેડની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સથી ઉદઘાટન કરશે

વલસાડના ધરમપુર ખાતે 250 બેડની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સથી ઉદઘાટન કરશે

Gujarat, National, Science & Technology
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 ઓગસ્ટના રોજ સાંજે 4:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના વલસાડ જિલ્લામાં શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુરના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.   પ્રધાનમંત્રી વલસાડના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ આશરે રૂ. 200 કરોડ રહ્યો છે. તે અત્યાધુનિક મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે 250 બેડની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ છે જે ખાસ કરીને દક્ષિણ ગુજરાત વિસ્તારના લોકોને વિશ્વ કક્ષાની તૃતીય તબીબી સુવિધાઓ પૂરી પાડશે.       પ્રધાનમંત્રી શ્રીમદ રાજચંદ્ર એનિમલ હોસ્પિટલનો શિલાન્યાસ કરશે. આશરે રૂ. 70 કરોડના ખર્ચે 150 બેડની આ હોસ્પિટલ બનાવવામાં આવશે. તે ઉચ્ચ કક્ષાની સુવિધાઓ અને પશુચિકિત્સકો અને આનુષંગિક કર્મચારીઓની સમર્પિત ટીમથી સજ્જ હશે. આ હોસ્પિટલ પ્રાણીઓની સંભાળ અને જાળવણ...
મોલાસીસમાંથી બને છે ઇથાઇલ-મિથાઇલ, એક દવા તરીકે અમૃત સમાન તો બીજુ દારૂ તરીકે ઝેર સમાન

મોલાસીસમાંથી બને છે ઇથાઇલ-મિથાઇલ, એક દવા તરીકે અમૃત સમાન તો બીજુ દારૂ તરીકે ઝેર સમાન

Gujarat, Most Popular, National, Science & Technology
લઠ્ઠાકાંડ માં વગોવાયેલું મિથેનોલ (મિથાઇલ) મોટેભાગે સુગર ફેક્ટરીમાંથી નીકળતા મોલાસીસમાંથી બનેલા ઇથેનોલ (ઇથાઇલ) માંથી બને છે. વલસાડ સુગર ફેકટરીમાં સિઝન દરમ્યાન 12 હજારથી થી 20 હજાર ટન મોલાસીસ શેરડીના પીલાણ બાદ બાયપ્રોડક્ટ્સ તરીકે સરકારના નિયમોને આધીન તેમજ એક્સાઇઝ અધિકારીઓની નજર હેઠળ ડેરી ઉદ્યોગોમાં તેમજ અન્ય ફાઉન્ડરી ઉદ્યોગમાં મોકલવામાં આવે છે. વલસાડ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીમાં મોલાસીસમાંથી ઇથેનોલ મેળવવાનો ડિસ્ટીલરી પ્લાન્ટ નથી. પરન્તુ અન્ય કેટલીક સુગર ફેક્ટરીઓમાં આવો ડિસ્ટીલરી પ્લાન્ટ છે. જેમાંથી ઇથેનોલ આલ્કોહોલ તૈયાર કરવામાં આવે છે. જો કે આ આલ્કોહોલને કેટલીક પ્રોસેસમાંથી પસાર કરો ત્યાર બાદ દારૂ જેવા પીણામાં અને દવામાં ઉપયોગ થાય છે. જ્યારે આ જ ઇથેનોલમાંથી બનતો મિથેનોલ એક પ્રકારનું કેમિકલ છે. તે પીવા યોગ્ય નથી. ઝેર સમાન છે. આ ઝેરમાંથી બનાવેલ દેશી દારૂએ હાલમાં ગુજરાતના બરવા...
સરીગામના રાય બંધુને મહત્તમ 3 વર્ષની સજા, 2007માં 2 ભાઈઓને માર મારી ગોળીબાર કરી ઘાયલ કર્યા હતાં

સરીગામના રાય બંધુને મહત્તમ 3 વર્ષની સજા, 2007માં 2 ભાઈઓને માર મારી ગોળીબાર કરી ઘાયલ કર્યા હતાં

Gujarat, National
વર્ષ 2007માં સરીગામ ખાતે 2 યુવક પર તલવાર, લાકડાથી માર મારી, બદુકથી ગોળીબાર કરી, કારથી કચડી નાખવા સહિતના ગુન્હામાં મે. વાપીના એડિશનલ સેશન્સ જજ ધર્મેન્દ્ર સિંગ દ્વારા હત્યાનો પ્રયાસ નહિ પરંતુ ગુનાહિત મનુષ્યવધ કરવાની કોશિશના ગુન્હા હેઠળ સરીગામના પપ્પુ@સંતોષ કમલાશંકર રાય, અશોક કમલાશંકર રાય, નીરજ અશોક રાય, રાકેશ કમલાશંકર રાય, પંકજ કમલાશંકર રાય, સાગરકુમાર અશોક રાયને દોષીત જાહેર કરતો ચુકાદો આપી, દરેકને મહત્તમ ત્રણ વર્ષની સજા અને કુલ 11000 ₹ દંડ ભરવાનો હુકમ કર્યો છે. મે. વાપીના એડિશનલ સેશન્સ જજ ધર્મેન્દ્ર સિંગ દ્વારા હત્યાનો પ્રયાસ નહિ પરંતુ ગુનાહિત મનુષ્યવધ કરવાની કોશિશ કરવાનાં ગુનામાં ડી જી પી અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખી સરીગામના પપ્પુ@સંતોષ કમલાશંકર રાય, અશોક કમલાશંકર રાય, નીરજ અશોક રાય, રાકેશ કમલાશંકર રાય, પંકજ કમલાશંકર રાય, સાગરકુમાર અશોક રાયને દોષીત જાહેર કરતો ચુકાદો ...
આમ આદમી પાર્ટી (AAP)એ વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

આમ આદમી પાર્ટી (AAP)એ વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

Gujarat, National
Gujarat Assembly Election 2022ની હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. તેમ છતાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદીની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા 2022ની તમામ બેઠકો પર ચૂંટણી લડવાની અગાઉ જાહેરાત કરી હતી. તે મુજબ આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે, આમ આદમી પાર્ટીના ઉમેદવાર..... દિયોદર- ભેમાભાઈ ચૌધરી સોમનાથ- જગમાલભાઈ વાળા છોટાઉદેપુર -અર્જુન રાઠવા બેચરાજી -સાગર રબારી રાજકોટ ગ્રામ્ય -વશરામ સાગઠીયા  સુરત, કામરેજ - રામ ધડુક રાજકોટ દક્ષિણ - શિવલાલ બારસીયા ગારીયાધાર -સુધીર વાઘાણી બારડોલી -રાજેન્દ્ર સોલંકી નરોડા - ઓમપ્રકાશ તિવારી  AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાને હવે ઈમાનદાર પક્ષ મળ્યો છે. તેના કારણે લોકોમાં ખૂબ ઉત્સાહ છે. ત્યારે હવે આજે અમે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કર...
સરકાર અને પોલીસ તંત્રના આશીર્વાદથી ગુજરાતમાં દારૂબંધી નામની:- અશોક ચાવડા, BSP અધ્યક્ષ

સરકાર અને પોલીસ તંત્રના આશીર્વાદથી ગુજરાતમાં દારૂબંધી નામની:- અશોક ચાવડા, BSP અધ્યક્ષ

Gujarat, Most Popular, National
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ઉપસ્થિત રહેલા બહુજન સમાજ પાર્ટી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ લઠ્ઠાકાંડ મામલે ગુજરાત સરકાર અને પોલીસતંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં રાત્રે 2 વાગ્યે કોઈને દૂધની જરૂર પડે તો તે નથી મળતું પણ દારૂ સહેલાઈથી મળી જાય છે. સરકાર અને પોલીસતંત્રનું હપ્તાવસૂલી નેટવર્ક અને છુપા આર્શીવાદથી જ ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની છે. એટલે લઠ્ઠાકાંડ જેવી ઘટનામાં શ્રમિકો તેના જીવ ખોઈ રહ્યા છે. હાલમાં જ ગુજરાતના બોટાદ, ધંધુકા, બરવાળા ખાતે મિથેનોલ મિશ્રિત આલ્કોહોલ પીવાથી 58 જેટલા લોકોના મોત થયા છે. આ લઠ્ઠાકાંડ બાદ પોલીસ વિભાગ ગુજરાતના તમામ જિલ્લાના વિસ્તારોમાં દારૂની ભઠ્ઠીઓ પર તવાઈ બોલાવી રહી છે. નેતાઓ લઠ્ઠાકાંડના મામલે સમીક્ષા બેઠકો કરી રહ્યા છે. ત્યારે વલસાડના ધરમપુર ખાતે આવેલા બહુજન સમાજ પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એડવોકેટ અશોક ચાવડાએ જણા...