Friday, October 18News That Matters

Month: March 2022

રિવરલીન્ક પ્રોજેકટ હેઠળ દમણગંગા વિયરની ઊંચાઈ વધારશે તો કાંઠા વિસ્તારના ઉદ્યોગો, રહેણાંક વિસ્તારનું વિસ્થાપન થશે?

રિવરલીન્ક પ્રોજેકટ હેઠળ દમણગંગા વિયરની ઊંચાઈ વધારશે તો કાંઠા વિસ્તારના ઉદ્યોગો, રહેણાંક વિસ્તારનું વિસ્થાપન થશે?

Gujarat, National
કેન્દ્રીય બજેટમાં નિર્મલા સીતારમને દમણગંગા-તાપી-નર્મદા રિવરલીન્ક પ્રોજેકટની જાહેરાત કર્યા બાદ 3જી માર્ચે ગુજરાતના બજેટમાં નાણાપ્રધાન કનું દેસાઈ પણ જાહેરાત કરી છે કે દક્ષિણ ગુજરાતમાં પાર, નાર, તાન, અંબિકા, દમણગંગા વગેરે નદીઓ ઉપર તબક્કાવાર આગામી પાંચ વર્ષમાં 500 કરોડના ખર્ચે મોટા ચેકડેમો/બેરેજો/વિયર બનાવવાનું આયોજન છે. અને આ કામગીરી માટે 294 કરોડના જોગવાઈની જાહેરાત કરી છે.  ત્યારે, વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદી પર નો વિયર જો ઊંચો કરવાની નોબત આવશે તો નદી કાંઠે પહેલાથી 500 મીટરના અંતરને છોડવાના કાયદાને ઘોળીને પી જનારા ઉદ્યોગકારો, ચણોદ-હરિયા પાર્કમાં રહેણાંક ઇમારતો બનાવનારા બિલ્ડરો ડેવલોપર્સના પાપે લોકોનું આવી બનવાનું છે. આસપાસની જમીન આ નદીના પાણીમાં ગરકાવ થઈ જશે. આ જમીન પર હાલ રહેણાંક મકાનો, સોસાયટીઓમાં રહેતા સ્થાનિક લોકો વિસ્થાપિત થશે. જેને લઈને ધરમપુ...
દમણના અધિકારીઓની આડોડાઈમાં 5 લાખનું નુકસાન વેઠી 40 લોકોને ભૂખે મરવાની નોબત આવી

દમણના અધિકારીઓની આડોડાઈમાં 5 લાખનું નુકસાન વેઠી 40 લોકોને ભૂખે મરવાની નોબત આવી

Gujarat, National
મહારાષ્ટ્રના અમલિયારથી સંઘપ્રદેશ દમણના  કચિગામ ખાતે આનંદ મેળામાં કમાણી કરવા આવેલા 40 લોકોને 5 લાખનું નુકસાન થયું છે. દમણ કલેકટરે મેળામાં રાઈડ ચાલુ કરવાની પરમિશન આપ્યા બાદ સ્થાનિક અન્ય અધિકારીઓએ મંજૂરી નહિ આપતા 40 લોકો પાસે ખાવાના પૈસા પણ ખૂટી ગયા હોય ભૂખે મરવાની નોબત આવી છે. દમણના કચિગામ ફ્લિઆ માર્કેટમાં વાપીના ડુંગરાના પરાગસિંગ પુલસિંગ રઘુવંશીને એમ્યુઝમેન્ટ, આનંદ મેળા ના આયોજનની દમણ કલેકટર તપસ્યા રાઘવે પરમિશન આપી છે. અહીં 27મી ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધીની પરમિશન આપવામાં આવી છે. આ આનંદ મેળામાં કમાણી કરવા મહારાષ્ટ્રના એહમદ ખાન અને તેનો પરિવાર અલગ અલગ રાઈડ જેવી કે ચકડોળ, ટોરાટોરા, બ્રેક ડાન્સ, હોડી, ડ્રેગનરાઈડ, કટરપિલર વગેરેનો સમાન ભરી કચિગામ આવી તમામ રાઈડને ઉભી કરી દીધી છે. પરંતુ દમણ ના ડેપ્યુટી કલેકટર અને મામલતદારે સ્થળ પર આવી કોઈપણ પ્રકારની તપાસ કર્યા વિના જ તેને બંધ કરાવી દી...
વિદેશમાં યુદ્ધ ફાટ્યું તો સરકારે ઉગાર્યા એવા વિદ્યાર્થીઓનું દેશ માટે શું યોગદાન છે કે તેમને મળવા નેતાઓ અને અધિકારીઓએ જવું પડે

વિદેશમાં યુદ્ધ ફાટ્યું તો સરકારે ઉગાર્યા એવા વિદ્યાર્થીઓનું દેશ માટે શું યોગદાન છે કે તેમને મળવા નેતાઓ અને અધિકારીઓએ જવું પડે

Gujarat, National
હેડિંગ વાંચીને જ વાંચકોને સમજાઈ ગયું હશે કે આ લેખ રશિયા યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધ બાદ ભારતના વિદ્યાર્થીઓને સરકારે ઉગાર્યા અને જે તે રાજ્યના જે તે જિલ્લાના ગામના વતન સુધી હેમખેમ પહોંચેલા વિદ્યાર્થીઓને હોંશે હોંશે મળી ફોટો ખેંચાવતા નેતાઓ ને વખડતો હશે. તો એ અનુમાન સાચું છે. કેમ કે આ પ્રકારનો શિષ્ટાચાર વખોડવાને લાયક જ છે. દેશમાં મેડીકલક્ષેત્રે અનેક સારી કોલેજો છે. હજારો વિદ્યાર્થીઓ સરકારની ગ્રાન્ટ પર સરકારી કે ખાનગી કોલેજોમાં મેડીકલક્ષેત્રે અભ્યાસ કરે છે. તેમ છતાં આપણી શિક્ષણ વ્યવસ્થાને કોષી લોન લઈ કે ઉધારી કરીને વિદેશમાં મેડીકલક્ષેત્રે અભ્યાસ કરવાની ઘેલછા ધરાવતા વિદ્યાર્થીઓ અભ્યાસ બાદ પણ દેશમાં પરત ફરી તેનું શું યોગદાન આપશે તેની કોઈ ખાતરી નથી. આવા વિદ્યાર્થીઓ અને તેના માતાપિતા વળી પાછા જો એવા દેશમાં યુદ્ધ ફાટી નીકળે કે મહામારી ફાટી નીકળે ત્યારે સરકારને કોષ...