સરીગામ ખાતે આવેલ શ્રીમતી.શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળામાં તારીખ 05/06/2024 દિને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાન જે વધારો થઈ રહ્યો છે, તેનાથી કંઈક અંશે રાહત મળે અને બાળકોને વૃક્ષોનું મહત્વ સમજાય તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડ અને પીપળ જેવા સુખાકારી આપનારા છોડ વાવવામાં આવ્યા હતા.જેથી કરીને આવનારી પેઢીને આ વૃક્ષોના મહત્વની જાણકારી અને લાભ રહે.આ કાર્યક્રમમાં કેમ્પસના મેનેજિંગ કોર્ડીનેટર ગોહિલ સર અને શાળાના આચાર્ય શ્રી પ્રવીણભાઈ પવાર તથા શાળાના શિક્ષકો દ્વારા વૃક્ષારોપણ કરી સૌને વૃક્ષો રોપવાની પ્રેરણા આપી.
આ કાર્યક્રમના આયોજન,યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન પુરુ પાડનાર શાળાના ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા અને કુ.કિંજલબેન ગજેરાનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે.