Friday, October 18News That Matters

વાપી એસટી ડેપોના કામદારો દ્વારા શહીદ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી બે મિનિટનું મૌન પાળ્યું

આજરોજ 30 જાન્યુઆરી 2024ના વાપી એસટી ડેપોના કામદાર દ્વારા શહીદ દિન નિમિત્તે સરહદ ઉપર હિન્દુસ્તાનની પ્રજાની રક્ષા કરતા શહીદ થનાર વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી બે મિનિટનો મૌન પાડવામાં આવેલ. ત્યારબાદ 15 મી જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી માસિક સુરક્ષા અભિયાન નિમિત્તે વાપી ડેપોના ડ્રાઇવર કંડક્ટર મિકેનિક ભાઈ બહેનોને જરૂરી માર્ગદર્શન આપવા માટે એક સમારંભનું આયોજન વાપી ડેપો મેનેજર જયદીપસિંહ માલા સાહેબના વડપણ હેઠળ કરવામાં આવ્યું હતું.

જેમાં વલસાડ વિભાગ આરટીઓ વિભાગ તરફથી આર્મી ચૌહાણ સાહેબ તેમજ એમ આર પરમાર સાહેબ ઉપસ્થિત રહેલ આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા ટ્રાફિક અવરનેસ બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવેલ જેમાં ખાસ કરીને અકસ્માત નિવારવામાં કયા કયા પગલાં લેવામાં આવેલ અને અકસ્માત કઈ કઈ કુટેવના કારણે થાય છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ છે

આરટીઓ ઇન્સ્પેક્ટર ચૌહાણ સાહેબ દ્વારા રોડ અને બાંધકામ વિભાગ દ્વારા જે ચિન્હો મૂકવામાં આવેલ છે જેની પણ વિસ્તૃત માહિતી અકસ્માતોમાં મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ હોય તેવું જણાવ્યું હતું. આરટીઓ ઇન્સ્પેક્ટર પરમાર સાહેબ દ્વારા ચાલુ ડ્રાઇવિંગ એ મોબાઈલનો ઉપયોગ અકસ્માત કરવામાં ખરાબમાં ખરાબ ગણાવી હતી

વાપી ડેપોના આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર ધનસુખ પટેલ દ્વારા અકસ્માત ઘટાડવામાં કંડકટરની ભૂમિકા અહમ હોય છે ત્યારે તો ઘણા એવા અકસ્માત રોકવાની ક્ષમતા કંડકટર ધરાવી શકે એવું જણાવ્યું હતું તેમ જ ડ્રાઇવરોને દર છ માસે આંખોની તપાસ સારામાં સારા ડોક્ટર પાસે કરાવવાની પણ હિમાયત કરવામાં આવી હતી

અકસ્માત નિવારવા માટે ડ્રાઇવર કંડકટર એ એક મહત્વની ભૂમિકામાં હોય છે જેથી તેઓએ સમય સૂચકતા રાખી ડ્રાઇવિંગ કરવું જોઈએ અને કંડક્ટરે પણ સમય સૂચકતા રાખીને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા ડ્રાઇવરો અને સરસ સૂચન પણ આપી શકે એવું જણાવ્યું હતું અંતે વાપી ડેપોના ડેપો મેનેજર માહલા સાહેબ દ્વારા સૌ ડ્રાઇવર કંડકટર મિત્રો તેમજ સમારંભમાં ઉપસ્થિત આરટીઓ સાહેબનું આભાર વ્યક્ત કરેલ છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *