Sunday, September 8News That Matters

સરીગામ નજીક માંડા ખાતે બિલ્ડીંગના ખાળકુવામાં પડતાં માસુમ બાળકનું કરુણ મૃત્યુ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ પાસે આવેલા માંડા ગામમાં એક આઠ વર્ષના માસુમ બાળકનું બિલ્ડીંગના ખાળકુવામાં પડતાં કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ હૃદયદ્રાવક ઘટનાને કારણે મૃતકના પરિવારમા માતમ છવાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઉમરગામ તાલુકાના માંડા ગામમાં એક આઠ વર્ષનો બાળક બિલ્ડીંગના ખાળકુવામાં પડી ગયો હતો. જે અંગે તાત્કાલિક ઘટનાની જાણકારી ફાયર અને પોલીસને આપવામાં આવી હતી. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. બાળકને બચાવવાના પ્રયાસો હાથ ધર્યા હતાં.ફાયરના જવાનોએ ખાળકુવામાં ગરક બાળકને બહાર કાઢ્યો હતો. બાળક ગંભીર રીતે ઘાયલ હોય તેને તરત જ નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણકારી સ્થાનિક ધારાસભ્ય રમણભાઈ પાટકરને થતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતકના પરિવારને સાંત્વના પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *