Friday, October 18News That Matters

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસના રખોલી પુલ પરથી યુવાનની મોતની છલાંગ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસના રખોલી પુલ પરથી એક યુવાને મોતની છલાંગ લગાવી મોતને વહાલું કરી દીધું છે. મૃતક યુવકનું નામ કૃણાલ સુરેશ ગાંગોડા છે. જે DNH ના ખાડીપાડા કરાડ ગામનો રહીશ હતો. 22 વર્ષીય યુવાન સેલવાસની આલોક કંપનીમાં કામ કરતો હતો. મંગળવારે મોડી રાત્રે પોતાની મોપેડ લઈ ઘરેથી નીકળ્યો હતો. તેને કોઈ વાતનું માઠું લાગી આવ્યું હોય પુલ પરથી નદીના પથરાળ પટ પર છલાંગ લગાવી આત્મહત્યા કરી લીધી હતી.

મળતી માહિતી મુજબ DNH ના ખાડીપાડા કરાડ ગામમાં રહેતો 22 વર્ષીય કૃણાલ સુરેશ ગાંગોડા નામનો યુવાન સેલવાસની આલોક કંપનીમાં કામ કરતો હતો. મંગળવારની મોડી રાત્રે પોતાની કાળા કલરની મોપેડ નં. DD-01-D-0552 પર સવાર થઈ ઘરેથી નીકળ્યો હતો. તે સીધો રખોલી પુલ પર આવ્યો હતો અને કોઈ વાતનું તેને માઠું લાગી આવતા તેણે તેની મોપેડ ને પુલ પાસે મૂકી ત્યાર બાદ પુલ પરથી નદીના પથરાળ પટ પર છલાંગ લગાવી આત્મહત્યા કરી લીધી હતી.

બનાવની જાણ સવારે પુલ પરથી પસાર થતા લોકોને થતાં આ વાતની જાણ સેલવાસ પોલીસને કરી હતી. પોલીસની એક ટીમ જગ્યા સ્થળ પર આવી જરૂરી કાર્યવાહી કરી હતી. જે બાદ મૃતક યુવાનના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે સેલવાસ ની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. યુવાને કયા કારણ થકી આ પગલું ભરી જીવન ટુંકાવી દીધું છે એ હાલ જાણી શકાયું નથી. પોલીસે આ મામલે પોલીસ ચોપડે અકસ્માત નો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *