Friday, October 18News That Matters

શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસે વાપીના ડુંગરા આશ્રમ ખાતે બાપુના સાધકોએ કર્યું સમૂહ પિતૃ તર્પણ અને પિંડદાન

દર વર્ષે ભાદરવા મહિનામાં આવતા શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓનું શ્રાદ્ધ કરવાનો મહિમા છે. ત્યારે શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસ એવા ભાદરવી અમાસે વાપીના ડુંગરા ખાતે આવેલ આશારામ બાપુ આશ્રમ ખાતે સાધકોએ સમૂહમાં ઉપસ્થિત રહી અંતિમ શ્રાદ્ધ ના દિવસે પિતૃ તર્પણ અને પિંડદાન ક્રિયા કરી પિતૃઓને તૃપ્ત કર્યા હતાં.
શ્રાદ્ધ પક્ષના અંતિમ દિને અને મહત્વના શ્રાદ્ધ દિન કહેવાતા દિવસને ધ્યાનમાં રાખીને વાપીના ડુંગરા ખાતે આવેલ આશારામ આશ્રમ ખાતે 1,000 જેટલા સાધકોએ સમૂહ પિતૃ તર્પણ અને પિંડદાન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ અંગે ઉપસ્થિત ભગવતી પ્રસાદ પાઠકે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 40 વર્ષથી આશ્રમમાં સેવા આપી રહ્યા છે. તેમના હસ્તે જ આશારામ બાપુએ સર્વપ્રથમ ભૈરવી ખાતે શ્રાદ્ધ ક્રિયા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જે બાદ હાલમાં 140 થી વધુ આશ્રમમાં દર વર્ષે પિતૃના કલ્યાણ માટે શ્રાદ્ધ ક્રિયાનું આયોજન કરવામાં આવે છે.
પિતૃ નું આ શ્રાદ્ધ કરવાથી તે મનુષ્યને ઉચ્ચ સ્થાને બેસાડે છે. માતા-પિતાની સેવા એ જ પરમ ઉદ્દેશ્ય હોવાની પ્રેરણા પૂરી પાડે છે. એટલે જ કહેવાય છે કે શ્રદ્ધાથી કરેલું કાર્ય એટલે શ્રાદ્ધ, આજના આ દિવસે વાપી અને તેની આસપાસના વિસ્તારમાંથી અંદાજિત 1000 જેટલા સાધકો વાપીના ડુંગરા ખાતે આવેલ આશ્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
શ્રાદ્ધ અંગે શ્રાદ્ધ કરતા સાધકોનું માનવું છે કે પિતૃ શ્રાદ્ધ કરવાથી તેમને અનેક ગણો લાભ પ્રાપ્ત થાય છે. જેના અનુભવો પણ આ પ્રસંગે વર્ણવે છે. કાર્યક્રમ દરમ્યાન સાધકોએ પિતૃ તર્પણ અને પિંડદાન કર્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પિતૃને તૃપ્ત કરી પોતે પણ તૃપ્તિનો અનુભવ કર્યો હતો. શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસે સમૂહમાં યોજાયેલ આ શ્રાદ્ધ કાર્યક્રમમાં પિતૃ તર્પણ પિંડદાન કાર્યક્રમ બાદ ભજન કીર્તન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત સાધકોએ લાભ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *