કૌશિક હરીયા ટેક્નીક્લ સેંટર (ITI) ખાતે ગુરુવાર 12મી ઓક્ટોબર 2023 ના રોજ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમા ચીફ ગેસ્ટ તરીકે રોટરી કલબના પ્રમુખ કૃશીત શાહ, કે.બી.એસ કોલેજના ડાયરેકટર ડૉ. સી. કે. પટેલ તથા કે.બી.એસ. કોલેજના પ્રિન્સીપાલ ડૉ. પૂનમબેન ચૌહાણ તથા આઇ.ટી.આઇના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ વિરેન્દ્ર હિંગુ તથા સ્ટાફગણ ઉપસ્થિત રહીને વિવિધ ટ્રેડમાં પાસ થયેલ તાલીમાર્થીને NCVT ના પ્રમાણપત્રો એનાયત કરેલ છે.
આ એન.સી.વી.ટી. પ્રમાણપત્રોથી તાલીમાર્થીને વિવિધ કંપનીમાં જોબ મેળવે છે. અને વિદેશમાં જવા માટે પણ આ સર્ટીફીકેટ ઘણું જ ઉપયોગી છે. આ કાર્યક્રમ સફળ બનાવવા બદલ પધારેલ મહેમાનો તથા સ્ટાફગણનો આઇ.ટી.આઇના ઇન્ચાર્જ પ્રિન્સીપાલે આભાર વ્યકત કરેલ છે.