Friday, October 18News That Matters

ખુડવેલ માં મોદીની સભામાં 800 બસ દ્વારા મેદની એકઠી કરવામાં આવશે, વલસાડ જિલ્લાના મુસાફરો 2 દિવસ અટવાશે 

નવસારીના ચીખલી તાલુકાના ખુડવેલ ગામે 10મી જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરોડોના વિકાસના કામોને લીલીઝંડી આપશે. વડાપ્રધાન અહીં જાહેર સભાને સંબોધન કરી આગામી વિધાનસભા ચૂંટણીના પ્રચાર પડઘમની શરૂઆત કરવાના છે. ત્યારે, વડાપ્રધાનના આ કાર્યક્રમમાં 50 હજારની મેદની એકઠી કરવા 800 બસો ફાળવી દેતા 9 અને 10 જૂન એમ 2 દિવસ વલસાડ, નવસારી જિલ્લાના એસ. ટી. બસના અનેક રૂટ રદ્દ થયા છે. જેને લઈને મોટી સંખ્યામાં મુસાફરો અટવાશે.
તારીખ 10 જુનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીના ચીખલી તાલુકાના ખુડવેલ ગામે 764 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને 200 કરોડના વિકાસના કામોનું ખાતમુહરત કરવાના છે. ખુડવેલ ગામે મોદી જાહેર જનતાને સંબોધન પણ કરવાના છે. ત્યારે મોદીના આ કાર્યક્રમમાં 50 હજારની જનમેદની એકઠી કરવા વહીવટીતંત્રે તડામાર તૈયારીઓ આરંભી છે.
ખુડવેલના કાર્યક્રમ સ્થળે વલસાડ, નવસારી જિલ્લાના ભાજપના કાર્યકરોને એકઠા કરવા એસ. ટી.ની 800 જેટલી બસ ફાળવવામાં આવી છે. આ બસો મારફતે 15000 લોકોને લઈ જવામાં આવશે જેમાં વલસાડ થી 170, પારડી થી 20, ધરમપુર 220, કપરાડા 220, વાપી 20, ઉમરગામ માટે 150 બસો ફાળવવામાં આવી છે જેને પગલે વાપી ડેપોની માત્ર એક્સપ્રેસ બસો જ દોડશે જ્યારે લોકલ રૂટ બંધ રહેવાના હોય મુસાફરો અટવાય એવી શક્યતા છે. તો એસ.ટી. વિભાગ દ્વારા મળતી વિગતો મુજબ વલસાડ જિલ્લામાં એસટી બસોની ઘટ પુરવા આમદાવાદથી 50, ભાવનગરથી 20, મહેસાણા 40 બસો મંગાવવામાં આવી છે જે વલસાડ થી મુસાફરો ભરી ને રવાના થશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *