Friday, October 18News That Matters

સ્વ. અનિલ દેવ અને પત્ની સ્વ. મોહિની દેવની પુણ્યતિથિએ વાપીની આયુષ હોસ્પિટલમાં ‘રકતદાન કેમ્પ – ઓનર્સ એવોર્ડ’ સમારોહ યોજાયો

વાપીના જાણીતા ઉદ્યોગપતિ સ્વ. અનિલ દેવ અને તેમના પત્ની સ્વ. મોહિની દેવની પુણ્યતિથિએ આયુષ હોસ્પિટલ દ્વારા પ્રથમ આયુષ ઓનર્સ એવોર્ડ્સ તથા ત્રીજા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કનુભાઈ દેસાઈ, (કેબિનેટ મિનિસ્ટર એનર્જી અને પેટ્રોલ કેમિકલ્સ) તથા ગેસ્ટ ઓફ ઓનર તરીકે આર. આર. રાવલ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ) તથા એમ. એમ.પ્રભાકર (એક્સ ડિન એન્ડ સુપ્રિટેન્ડેન્ટ સિવિલ હોસ્પિટલ અમદાવાદ) તથા કપિલ સ્વામીજી ટ્રસ્ટી, સલવાવ સ્વામિનારાયણ એજ્યુકેશનલ ટ્રસ્ટ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે પૂ. કપિલ સ્વામી દ્વારા આર્શિવચન ઉપરાંત પવિત્ર યાત્રાધામ બોર્ડના સેક્રેટરી અને જિલ્લાના પૂર્વ કલેકટર આર.આર. રાવલે સેવા, પરમાર્થ અને સંસ્કારની વાતોને લઈ મનનીય વકતવ્ય આપ્યું હતું જયારે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ એ ડો. દેવ પરિવારની સેવા પ્રવૃત્તિના સંસ્મરણો તાજા કરતાં તેમની સેવા ભાવનાને બિરદાવી હતી.

આયુષ ઓનર્સ એવોર્ડ્સ સન્માન સત્કાર સમારોહમાં રાજયના કેબિનેટ કક્ષાના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સના મંત્રી તથા પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈના હસ્તે પ્રથમ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એમ. એમ. પ્રભાકરને આપવામાં આવ્યો હતો. તથા શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કાર્ય બદલ અમિતભાઈ મહેતા, સીઈઓ, માં ફાઉન્ડેશન ને આપવામાં આવ્યો હતો. વલસાડ, નવસારી, ડાંગ જીલ્લા અને સંઘપ્રદેશ દમણ તથા દાનહને સૌપ્રથમ સંપૂર્ણ દૈનિક દમણગંગા ટાઈમ્સની ભેટ આપનાર સ્થાપક અને તંત્રી સ્વ. શ્રી એન.વી. ઉકાણીને (મરણોપરાંત) સન્માનિત કરાયા હતાં. તથા કલા, સંસ્કૃતિ અને સંગીતના પ્રમોશન બદલ સ્પંદન ફાઉન્ડેશનને સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્ટાર્ટ અપ ફાઉન્ડર કોમ્યુનિટી ક્ષેત્રમાં ઉત્તમ યોગદાન બદલ સ્ટાર્ટઅપ વાપી ફાઉન્ડેશનને સન્માનિત કરવામાં આવ્યું હતું.

સામાજિક જાગૃતિ, તંદુરસ્ત જીવન તથા આધ્યાત્મિક જીવનના ઉત્કૃષ્ટ કાર્ય બદલ બ્રહ્માકુમારી રશ્મિબેન પ્રજાપિતાને સન્માનિત કર્યા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ખેલ ક્ષેત્રમાં મેરેથોન રેસમાં સતત 12 કલાકથી વધુ સમય માટે દોડી અને 100 કિલોમીટર કરતાં વધુ અંતર કાપી ને મેરાથોન દોડમાં પ્રથમ આવેલા વાપીના ઉજ્જવ ડ્રોલિયાનુ સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓ, ડોક્ટર ફર્ટિલનીટી, બ્લડ ડોનર્સ, શુભચિંતકો તથા હિતેચ્છુઓએ બહોળા પ્રમાણમાં હાજરી આપી હતી. બ્લડ ડોનેશન કેમ્પમાં 125 થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. રકતદાન માટે વાપીની લાયન્સ બ્લડબેંકના અગ્રણીઓ અને સ્ટાફે સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડો. આશિષ દેવ, ડો. સમિધા દેવ, ડો. અમિત દેવ, ડો. વંદના દેવ અને કેપ્ટન દેવ આયુષ હોસ્પિટલ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *