Tuesday, October 22News That Matters

મોદી 3.0 સરકાર પાંચ વર્ષ ચાલશે, આગામી દિવસોમાં INDIA ગઠબંધનના દળો પણ NDA માં સામેલ થશે:- રાજેશકુમાર ઝાં, રાષ્ટ્રીય અધ્યક્ષ, સેલ્યુટ તિરંગા

 

બિન રાજકીય સંગઠન એવા સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય અધ્યક્ષની ઉપસ્થિતિમાં દમણમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. દમણ અને દીવ તેમજ દાદરા નગર હવેલી અને દમણ દિવના પ્રદેશ અધ્યક્ષ તરીકે જાહેર થયેલ હોદ્દેદારોને અભિનંદન પાઠવવા યોજાયેલ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્ર કુમાર ઝા એ સેલ્યુટ તિરંગાના આગામી કાર્યક્રમો અંગે વિગતો આપી હાલમાં જ રચાયેલ મોદી 3.0 સરકાર, ઇન્ડિયા ગઠબંધન, RSS ના નિવેદન અંગે, અયોધ્યા હાર બાબતે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, મોદી 3.0 સરકાર પાંચ વર્ષ ચાલશે અને આગામી દિવસોમાં INDIA ગઠબંધનના દળો પણ NDA માં સામેલ થશે.દેશના 28 રાજ્ય અને 20 દેશોમાં રાષ્ટ્રવાદને પ્રાધાન્ય આપવા રચાયેલ સેલ્યુટ તિરંગા સંગઠન દ્વારા દાદરા નગર હવેલી અને દમણમાં પ્રદેશ અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે. જે નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવવા રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશકુમાર ઝાં, મહારાષ્ટ્ર રાજ્યના અધ્યક્ષ રવિભાઈ ચીકારા અને રાષ્ટ્રીય મહામંત્રી તેમજ દમણ, દીવ, દાદરા નગર હવેલીના પ્રભારી ઉત્તમભાઈ પટેલે ઉપસ્થિત રહી એક બેઠકનું આયોજન કર્યું હતું.આ બેઠક દરમ્યાન રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશકુમાર ઝાંએ સેલ્યુટ તિરંગાના આગામી કાર્યક્રમોની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, શહીદ પરિવારોના સન્માન જેવા કાર્યક્રમો સાથે સંગઠન આગામી 1 ઓગસ્ટ ના શ્રીનગર ખાતે 10 હજાર લોકોને તિરંગા આપી ભવ્ય તિરંગા યાત્રા કાઢશે. શ્રીનગરમાં ભવ્ય શિકારા સ્પર્ધાનું આયોજન કરી ઇનામ વિતરણ કાર્યક્રમ યોજશે. કાશ્મીરમાં આ દ્રશ્ય અદ્ભુત હશે. જેમાં હિંદુ મુસ્લિમ તમામ સમાજના લોકોને જોડવામાં આવશે. તો, આ તિરંગા યાત્રા બાદ આગામી 15,16 અને 17 સપ્ટેમ્બરે પણ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે દિલ્હીમાં થશે. જેમાં 15મીએ દિલ્હીમાં તિરંગા યાત્રા, 16મીએ દિલ્હીથી ઋષિકેશ સુધીની વાહનો સાથે ની તિરંગા યાત્રા અને 17મી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે ભવ્ય ગંગા-તિરંગા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.એ જ રીતે અટલબિહારી વાજપાઈના જન્મદિવસ એવા 25મી ડિસેમ્બરે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં અટલ તિરંગાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અટલ તિરંગા યાત્રામાં દેશના પ્રતિષ્ઠિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવશે. ખેલ, શિક્ષણ, સમાજ સેવા ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે માટે આગામી દિવસોમાં IPL જેવી ક્રિકેટ લીગ મેચનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઓલમ્પિક્સ ગેમમાં દેશના યુવાનોની પ્રતિભા નિખરે તે માટે વિવિધ રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પર્યાવરણને ધ્યાને રાખીને દેશભરમાં 100 કરોડથી વધુ વૃક્ષારોપણ કરવામાં આવશે. 2024 માં NDA ને જે સીટો મળવી જોઈતી હતી તે મળી નથી તે દુર્ભાગ્યપૂર્ણ છે……. 

સેલ્યુટ તિરંગામાં દેશના નાગરિકો ઉપરાંત 50 જેટલા સાંસદ, મંત્રીઓ અને ખુદ વડાપ્રધાન, ગૃહ મંત્રી સહિતના મહાનુભાવો પણ આ સંસ્થાને સતત પ્રોત્સાહન પૂરું પાડતા રહ્યા છે. ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશકુમાર ઝાંએ હાલમાં મોદી 3.0 સરકાર રચાઈ છે. આ સરકાર અંગે જણાવ્યું હતું કે 2014 થી 2024 દરમિયાન યોજાયેલી ચૂંટણીમાં NDA ને સ્પષ્ટ બહુમતી મળી હતી. પરંતુ 2024 માં તે સ્પષ્ટ બહુમતી મળી નથી. દસ વર્ષમાં મોદીએ ભારતને શિખર પર લાવવાનું કામ કર્યું છે. વિકાસના અનેક એવા કામ આ સરકારમાં થયા છે. તેમ છતાં આ સરકારને 2024 માં જે સીટો મળવી જોઈતી હતી તે મળી નથી તે દુર્ભાગ્યપૂર્ણ છે. NDA માં અન્ય ઘટક દળોને લઈને સરકાર રચાઈ છે. જે અંગે જે પણ ચર્ચા ચાલે છે કે આ સરકાર વધુ ટકશે નહિ તે અંગે તેમણે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ ઘટક દળ મોદીની સાથે જ રહેશે અને નવા ભારતના નિર્માણમાં યોગદાન આપશે. સરકાર પાંચ વર્ષ ચાલશે અને આગામી દિવસોમાં INDIA ગઠબંધનના દળો પણ NDA માં જોડાશે.  RSS ના નિવેદન અંગે પૂર્ણવિરામ મુકાઈ જશે, અયોધ્યા હાર દુર્ભાગ્યપૂર્ણ છે…..

RSS ના સુપ્રીમોએ NDA પર આપેલા નિવેદન અંગે જણાવ્યું હતું કે આ નિવેદન પર અને આર.એસ.એસ. સાથે જે મતભેદ છે તેના પર આગામી દિવસમાં પૂર્ણ વિરામ મુકાઈ જશે. આ નિવેદન RSS નું નહિ પરંતુ તેના સુપ્રીમોનું વ્યક્તિગત નિવેદન છે. 2024ની ચૂંટણીમાં અયોધ્યામાં NDA ની હારના મુદ્દે રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્ર કુમાર ઝાં એ જણાવ્યું હતું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે. પરંતુ મંદિરને રાજનીતિ સાથે જોડવું જોઈએ નહીં. ચૂંટણીમાં અનેક મુદ્દાઓ હોય છે. અને તે આધારે પરિણામ બદલાતું હોય છે. આ ચૂંટણીમાં NDA અને INDIA ગઠબંધન પોતાના મુદ્દાઓ લઈને આવ્યા હતા. અયોધ્યામાં અનેક કામ સરકારે કર્યા બાદ પણ અયોધ્યામાં હાર થઈ છે. એ દુઃખદ છે, આ મુદ્દાને રાજનીતિ સાથે જોડવો જોઈએ નહીં.ઉલ્લેખનીય છે કે, સેલ્યુટ તિરંગા દ્વારા દમણમાં યોજાયેલમાં બેઠકમાં સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશકુમાર ઝાં, મહારાષ્ટ્ર રાજ્યના અધ્યક્ષ રવિભાઈ ચીકારા અને રાષ્ટ્રીય મહામંત્રી તેમજ દમણ, દીવ, દાદરા નગર હવેલીના પ્રભારી ઉત્તમભાઈ પટેલે આ પ્રદેશમાં નવ નિયુક્ત કરેલા દાદરા નગર હવેલી દમણ દીવના પ્રદેશ અધ્યક્ષ ડૉ. વિનય સિંહ અને દમણના પ્રદેશ અધ્યક્ષ સુભાષ પટેલને અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે મહારાષ્ટ્રના જાણીતા ઉદ્યોગપતિ શ્રમિક જૈન અને દમણ, દાદરા નગર હવેલી તેમજ વલસાડ જિલ્લાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *