Friday, October 18News That Matters

Month: February 2022

વાપીની વાઈટલ કંપનીના શંકર, સંજય અને રાહુલ નામના ઈસમોએ ચોરીની શંકામાં કંપનીના કર્મચારીના કપડાં કાઢી માર માર્યો!

વાપીની વાઈટલ કંપનીના શંકર, સંજય અને રાહુલ નામના ઈસમોએ ચોરીની શંકામાં કંપનીના કર્મચારીના કપડાં કાઢી માર માર્યો!

Gujarat, National
વાપીમાં સપ્તાહ પહેલા નિહાલ એન્જીનીયરીંગ કંપનીના માલિક સહિત 4 લોકોએ 4 સગીર યુવકોને ચોરીના ગુન્હામાં અર્ધનગ્ન કરી ઢોર માર મારવાનો કિસ્સો હજુ શમ્યો નથી. ત્યાં જ વાપીની ફાયર સહિતની સેફટીના મામલે બદનામ વાઈટલ હેલ્થકેર કંપનીના 4 લોકોએ એક શ્રમિકને ચોરીની શંકામાં 2 દિવસ સુધી ગોંધી રાખી ઢોર માર માર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.  વાપી GIDC માં 3rd ફેઝમાં આવેલ વાઈટલ કંપનીમાં 9 વર્ષથી મશીન ઓપરેટરનું કામ કરતા સુનિલ સરોજ નામના શ્રમિકે વાપી GIDC પોલીસ મથકમાં રજુઆત કરી છે કે, ગત    શનિવાર-રવિવાર 2 દિવસ સુધી કંપનીના શંકર બજાજ, સંજય ડોડીયા, લેબર કોન્ટ્રકટર રાહુલ અને સિક્યુરિટી ગાર્ડે તેને ગોંધી રાખી કંપનીમાં અને છીરીની એક રૂમમાં પુરી ઢોર માર માર્યો છે. માર મારનારાઓએ તેમના પર વાલ્વની ચોરીની શંકા રાખી આ માર માર્યો હતો. સાથે જ જે ચોરી તેમણે કરી નથી તે ચોરીની કબૂલાત કરાવી રિઝાઇન લેટર લખાવી લ...
રવિવારે જમીઅત ઉલમાએ હિન્દ વાપી ટ્રસ્ટ કોરોના વોરિયર્સનું સન્માન કરી સન્માનપત્ર એનાયત કરશે

રવિવારે જમીઅત ઉલમાએ હિન્દ વાપી ટ્રસ્ટ કોરોના વોરિયર્સનું સન્માન કરી સન્માનપત્ર એનાયત કરશે

Gujarat, National
વાપીમાં વર્ષોથી બિન વારસી મૃતદેહોની દફનવિધિ-અગ્નિ સંસ્કાર કરી કોમી એકતાની મિશાલ બનેલા જમીયત ઉલમાએ હિન્દ વાપી ટ્રસ્ટના પ્રમુખ ઇન્તેખાબ આલમ ખાન અને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સભ્યોએ મહત્વની પહેલ કરી છે. આ ટ્રસ્ટ રવિવારે 13 દીકરીઓના સમૂહ લગ્ન કરાવવા ઉપરાંત કોરોના કાળમાં જીવના જોખમે પોતાની ફરજ નિભાવનાર આરોગ્ય કર્મચારીઓ, પત્રકારો, પોલીસ જવાનો, વિવિધ સંસ્થાના આગેવાનો, સભ્યો, સફાઈ કામદારોને કોરોના વોરિયર્સનું સન્માનપત્ર આપી સન્માનિત કરશે. વાપીમાં ડુંગરા વિસ્તારમાં દાવત પાર્ટી પ્લોટ નજીક ઉભા કરેલા લગ્ન મંડપ અને સામિયાણામાં રવિવાર 13મી ફેબ્રુઆરી 2022 ના જમીઅત ઉલમાએ હિન્દ વાપી ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. આ સંસ્થાના પ્રમુખ ઇન્તેખાબ ખાન અને અન્ય ટ્રસ્ટીઓ, સભ્યોની એક વર્ષથી ઈચ્છા હતી કે કોરોના કાળમાં જે લોકોએ જીવન જોખમે પોતાની ફરજ બજાવી છે. તેવા કોરોના વોરિયર્સનું સન્માન કરવું. ...
SVAMITVA યોજના હેઠળ ગુજરાતના માત્ર 253 ગામડાનો જ સર્વે થયો! DNH માં 73

SVAMITVA યોજના હેઠળ ગુજરાતના માત્ર 253 ગામડાનો જ સર્વે થયો! DNH માં 73

Gujarat, National, Science & Technology
સ્વામીત્વ યોજના હેઠળ દેશના 29 રાજ્યના વિવિધ જિલ્લાઓમાં  ગામડાઓમાં વસવાટ કરતા ઘરના માલિકોને ‘અધિકારોનો રેકોર્ડ’ પ્રદાન કરવાનો છે. આ માટે ડ્રોન ની મદદથી સર્વે કરવામાં આવી રહ્યો છે. જેમાં અત્યાર સુધીમાં કેટલા રાજ્યના કેટલા ગામડાઓમાં સર્વે થયો પૂર્ણ થયો છે? કેટલા રાજ્ય કે સંઘપ્રદેશમાં સર્વે ચાલુ છે તે અંગેની માહિતી કેન્દ્રીય પંચાયતી રાજ રાજ્ય મંત્રી  કપિલ મોરેશ્વર પાટીલે  લોકસભામાં એક લેખિત જવાબમાં આપી હતી.     SVAMITVA યોજનાનો ઉદ્દેશ્ય કાનૂની માલિકી હક્કો (પ્રોપર્ટી કાર્ડ્સ/ટાઈટલ ડીડ્સ) જારી કરીને ગામડાઓમાં વસવાટવાળા વિસ્તારોમાં મકાનો ધરાવતાં ઘરના માલિકોને ‘અધિકારોનો રેકોર્ડ’ પ્રદાન કરવાનો છે. પંચાયતી રાજ મંત્રાલય, રાજ્ય મહેસૂલ વિભાગ, રાજ્ય પંચાયતી રાજ વિભાગ, રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર અને સર્વે ઓફ ઈન્ડિયા (SoI) ના સહયોગથી આ યોજના અમલમાં મુકાઈ છે. યોજનાના અમલીકરણ મા...
ભારતીય વૈજ્ઞાનિકોએ SARS-CoV-2 ને શોધવા માટે નવું ટેકનોલોજી પ્લેટફોર્મ વિકસાવ્યું છે

ભારતીય વૈજ્ઞાનિકોએ SARS-CoV-2 ને શોધવા માટે નવું ટેકનોલોજી પ્લેટફોર્મ વિકસાવ્યું છે

Gujarat, National, Science & Technology
ભારતીય વૈજ્ઞાનિકોની એક ટીમે એક નવી ટેક્નોલોજી વિકસાવી છે, જે ઉત્સર્જિત ફ્લોરોસન્ટ લાઇટના માપન દ્વારા વાયરસ જેવા પેથોજેન્સની ફ્લોરોમેટ્રિક શોધ માટેનું ટેકનોલોજી પ્લેટફોર્મ છે. જેમાં SARS-CoV-2 ની શોધ માટે નવી ટેકનોલોજીની ક્ષમતા દર્શાવવામાં આવી છે.  આ ટેકનોલોજી પ્લેટફોર્મનો ઉપયોગ અન્ય DNA/RNA પેથોજેન્સ જેવા કે HIV, ઈન્ફલ્યુએન્ઝા, HCV, ઝિકા, ઈબોલા, બેક્ટેરિયા અને અન્ય પરિવર્તિત/ઈમર્જન્ટ પેથોજેન્સને શોધવા માટે પણ થઈ શકે છે.   જવાહરલાલ નેહરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચ (JNCASR), ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીની સ્વાયત્ત સંસ્થાના વૈજ્ઞાનિકોએ IISc (ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ) ના વૈજ્ઞાનિકો સાથે મળીને નોન-કેનોનિકલ ન્યુક્લિક એસિડ ટેસ્ટ વિકસાવ્યો છે. કોવિડ-19 ક્લિનિકલ સેમ્પલની શોધ. G-quaruplex (GQ) ટોપોલોજીના આધારે, ટાર્ગેટેડ ડિપેન્ડેબલ કન્સ...